AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેસર કેરીનાં ગઢ ગણાતા તાલાળા ગીરમાં કેસર કેરીની હરાજીનો પ્રારંભ, ઇતિહાસમાં પહેલી વખત બોક્સનો ભાવ 1500 રૂપિયા બોલાયો

વાતાવરણની વિષમતાને કારણે આ વર્ષ કેરીનું ઉત્પાદન ઓછું થવાને કારણે તાલાળા મેંગો માર્કેટમાં આજે પ્રથમ દિવસે માત્ર 2600 બોક્સ જ આવ્યા હતા. જે ગત વર્ષની સરખામણીએ 3 હજાર બોક્સ ઓછા આવ્યા છે.

કેસર કેરીનાં ગઢ ગણાતા તાલાળા ગીરમાં કેસર કેરીની હરાજીનો પ્રારંભ, ઇતિહાસમાં પહેલી વખત બોક્સનો ભાવ 1500 રૂપિયા બોલાયો
Kesar mango auction begins in Talala Gir
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 27, 2022 | 11:34 AM
Share

કેસર કેરી (Kesar mango) નાં ગઢ ગણાતા તાલાળા ગીર (Gir) ખાતે કેસર કેરીની હરરાજીનો પ્રારંભ કરાયો છે. આ વર્ષે જગ વિખ્યાત ગીરની કેસર કેરી ગત તમામ વર્ષના રેકોર્ડ તોડી ઇતિહાસમાં સર્વોચ્ય 1500 રૂપિયે બોક્સનાં ભાવે પહોંચી છે. સોમનાથના ધારાસભ્ય (MLA) વિમલ ચૂડાસમાએ પહેલી હરાજી (auction) માં બોલી લગાવી ગૌશાળાનાં લાભાર્થે 16000 રૂપિયે બોક્સ ખરીદ્યું હતું. વાતાવરણની વિષમતાને કારણે આ વર્ષ કેરીનું ઉત્પાદન ઓછું થવાને કારણે તાલાળા મેંગો માર્કેટમાં આજે પ્રથમ દિવસે માત્ર 2600 બોક્સ જ આવ્યા હતા. જે ગત વર્ષની સરખામણીએ 3 હજાર બોક્સ ઓછા આવ્યા છે.

ફળોના રાજા તરીકે ઓળખાતી કેસર કેરીની આજે તાલાળા એ.પી.એમ.સી. ખાતે વિધિવત હરરાજીની શરૂઆત થઈ છે.ગત વર્ષની તુલના એ ખૂબ ઓછા એટલે કે માત્ર 2600 બોક્સ જ કેસરના મેંગો માર્કેટમાં આવ્યા હતા.હરરાજીનું પ્રથમ બોક્સ 16 હજાર રૂપિયામાં ગયું હતું.આ રકમ પરંપરાગત રીતે ગૌશાળામાં આપવામાં આવી હતી.ત્યારબાદ ન્યૂનતમ 500 રૂપિયા અને મહત્તમ 1500 રૂપિયામાં સારી કેરીના એક બોક્સની બોલી લાગી હતી. નાના અને મધ્યમ ફળના 700 થી 800 રૂપિયા બોક્સનો ભાવ રહેશે.

પ્રતિકૂળ હવામાન અને ગત વર્ષનાં વાવાઝોડા ને કારણે કેરીને ગ્રહણ લાગી ગયું છે.જેને લઈ ઉત્પાદન ઘણુંજ ઘટ્યું છે.આ વખતે એક્સપોર્ટની સંભાવના પણ નહિવત છે. એક એક બગીચામાંથી દર વખતે 300 થી 400 બોક્સ કેસર હરાજીમાં આવતી જેને બદલે આ વર્ષ 15 થી 60 બોક્સ જ આવ્યા છે. આ વર્ષની સિઝન લાંબી ચાલે તેવી સંભાવના છે.અંદાજે 15 જૂન સુધી સિઝન ચાલશે.પરંતુ પ્રમાણમાં કેસર ની આવક ઓછી થશે.

સમગ્ર ગીર વિસ્તારમાં આ વખતે વાતાવરણની વિષમતાને કારણે કેસરનું ઉત્પાદન ઘટ્યું છે.ત્યારે કેસર પકવતા ખેડૂતો ખૂબ મોટી નુકશાની ભોગવી રહ્યા છે.સરેરાશ જો ભાવ ઊંચા રહે તો ખેડૂતોના ભાગે ઓછી નુકશાની આવે. સામે ઈજારદાર અને વેપારીને પણ મોટું નુકસાન ન જાય.ઘણા ઇજારદારોએ ઝાડ અને પાન જોઈ 15 લાખ જેવી રકમમાં કેસરનો ઇજારો રાખ્યો છે. તેઓને માંડ 5 લાખ રૂપિયાની કેરી થાય તેમ છે તેવું ઈજારદાર જણાવી રહ્યા છે. હાલમાં કેસરના એક બોક્સનો ભાવ 800,1200 અને મહત્તમ 1500 રૂપિયા આવી રહ્યો છે.

ઇજારદારનું કહેવું છે કે કેસરના એક બોક્સનો ન્યૂનતમ ભાવ 1500 થી લઈને 2 હજાર રૂપિયા જેવો મળે તો પણ માત્ર મૂડી ઉભી થાય તેવું છે.સામે વેપારીઓ પણ જણાવી રહ્યા છે કે વર્તમાન સમય માં કેસરનું ઉત્પાદન ઘટતા સિઝન આગળ પાછળ હોવા છતાં માલની અછત રહેશે. સરેરાશ ભાવ 800 થી 1500 રહેશે. સિઝન લાંબી ચાલવા છતાં ઓછા માલની આવકને કારણે ભાવો જળવાઈ રહેશે.આખી સિઝન દરમ્યાન માંડ 5 લાખ બોક્સ તાલાળા મેંગો માર્કેટમાં આવે તેવી સંભાવના છે.આ વર્ષ ગરીબ લોકો માટે તો કેસર કડવી બનશે તે નક્કી છે..

આજે તાલાળા મેંગો માર્કેટમાં કેસરની હરરાજી શરૂ થઈ છે.નીચામાં 500 થી 800 અને ઊંચામાં 1500 રૂપિયા ભાવે એક બોક્સ કેસર કેરીનું વેચાયું છે.ત્યારે સોમનાથ વિસ્તારનાં ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાએ ગૌશાળાના લાભાર્થે 16 હજાર રૂપિયાનું એક બોક્સ ખરીદી હરરાજીની શરૂઆત કરાવી હતી.ત્યારબાદ તેઓએ જણાવ્યું હતું કે યેનકેન પ્રકારે કેસર પકવતા ખેડૂતો છેલ્લા પાંચ વર્ષથી નુકશાન ભોગવતા આવ્યા છે.ત્યારે સરકાર આવા બાગાયતી પાકો જેમકે નાળિયેરી,ચિકું અને ખાસ કરીને આંબા નાં પાકને પાક વીમામાં આવરી લે તો આવા બાગાયતી પાક લેતા ખેડૂતોને નુકશાની ન જાય.આ બાબતે તેઓએ વિધાનસભામાં પણ રજુઆત કરી હતી.

આ પણ વાંચોઃ Rajkot: કાગવડ ખોડલધામ ખાતે આજે ટ્રસ્ટીઓની બેઠક, નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશ અંગે ચર્ચા કરશે

આ પણ વાંચોઃ ગરમીની અસર : સુરત રેલવે સ્ટેશન પર રેલ નીરની ડિમાન્ડ વધી, રોજની 2 હજાર કરતા વધુ બોટલોની સપ્લાય પણ પડી રહી છે ઓછી

પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
g clip-path="url(#clip0_868_265)">