AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gir somanth: સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં કર્મકાંડ, મંદિર વ્યવસ્થાપન, વાસ્તુ સહિતના ઓનલાઈન અભ્યાસનો થશે પ્રારંભ

સોમનાથની સંસ્કૃત યુનિવર્સિટીમાં (Shree somnath sanskrit university ) ધોરણ 12 પાસ વિદ્યાર્થીઓ માટે ઘેર બેઠા જ કર્મકાંડ,મંદિર વ્યવસ્થાપન,વાસ્તુ,જ્યોતિષ (Jyotish) અને સંસ્કૃત (sanskrit)જેવા વિષયો શીખવાડવાની શરૂઆત કરાવવામાં આવશે. આ માટે 17 ઓગસ્ટ સુધીમાં ફોર્મ ભરી શકાશે.

Gir somanth: સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં કર્મકાંડ, મંદિર વ્યવસ્થાપન, વાસ્તુ સહિતના ઓનલાઈન અભ્યાસનો થશે પ્રારંભ
Gir somanth: Somnath Sanskrit University
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 20, 2022 | 7:47 PM
Share

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ (Veraval) ખાતે આવેલી શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ ડો. લલિતકુમાર પટેલના માર્ગદર્શનમાં વર્ષ 2022-23થી ઓનલાઈન અભ્યાસક્રમની શરૂઆત કરવામાં આવી છે. જેમાં ધોરણ 12 પાસ કોઈ પણ વ્યક્તિ વિવિધ વિષયમાં ડિપ્લોમા અભ્યાસ કરી શકશે. ડિપ્લોમા અભ્યાસ કરવા ઈચ્છતા ઉમેદવારો ડિપ્લોમા ઈન કર્મકાંડ, ડિપ્લોમા ઈન જ્યોતિષ, ડિપ્લોમા ઈન વાસ્તુશાસ્ત્ર, ડિપ્લોમા ઈન સંસ્કૃત ભાષા, ડિપ્લોમા ઈન મંદિર વ્યસ્થાપન જેવા વિષયમાં અભ્યાસ કરી શકશે. નોકરિયાત વ્યક્નેતિ અને ગુજરાતમાં ક્યાયં પણ રહેતા વિદ્યાર્થી સરળતાથી ઓનલાઇન અભ્યાસમાં જોડાઈ શકશે. હાલમાં આ અંગેના ફોર્મ ભરાવવાની શરૂઆત થઈ ગઈ છે અને તેની અંતિમ તારીખ 17 ઓગસ્ટ છે. સોમનાથની સંસ્કૃત યુનિવર્સિટીમાં (Shree somnath sanskrit university ) ધોરણ 12 પાસ વિદ્યાર્થીઓ માટે ઘેર બેઠા જ કર્મકાંડ,મંદિર વ્યવસ્થાપન,વાસ્તુ,જ્યોતિષ (Jyotish) અને સંસ્કૃત (sanskrit) જેવા વિષયો શીખવાડવાની શરૂઆત કરાવવામાં આવશે. આ માટે 17 ઓગસ્ટ સુધીમાં ફોર્મ ભરી શકાશે.

યુનિવર્સિટીની વેબસાઈટ પરથી મળશે માહિતી

આ અંગેની વિસ્તૃત માહિતી  આપતા ઓનલાઈન શિક્ષણના વહીવટી અધિકારી ડો.રામભાઈ બાકુએ જણાવ્યું હતું કે,  શ્રી સોમનાથ યુનિવર્સિટી દ્વારા ડિપ્લોમા અભ્યાસને લઈ ઓનલાઈન ફોર્મ મંગાવવામાં આવી રહ્યાં છે. તા. 17 જુલાઈ 2022થી ઓનલાઈન ફોર્મ ભરાવવાનો પ્રારંભ થયો છે. જે તા. 17 ઓગસ્ટ 2022 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશો. તેમજ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીની વેબસાઈટ  ઉપર લોગ ઈન કરીને  www.de.sssu.ac.in અથવા www.sssu.ac.in ઉપરથી પણ ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.

ધોરણ 12 પાસ વિદ્યાર્થીઓ કરી શકશે વિવિધ  ઓનલાઈન કોર્સ

  1. ડિપ્લોમા ઇન કર્મકાંડ
  2.  ડિપ્લોમા ઇન જ્યોતિષ
  3. આ પણ વાંચો

  4. ડિપ્લોમા ઇન વાસ્તુશાસ્ત્ર
  5. ડિપ્લોમા ઇન સંસ્કૃત ભાષા
  6.  ડિપ્લોમા ઇન મંદિર વ્યસ્થાપન

સંસ્કૃત શીખવા માટે યુનિવર્સિટીમાં દેશ વિદેશથી આવે છે વિદ્યાર્થીઓ

નોંધનીય છે કે પવિત્ર યાત્રાધામ સોમનાથ ખાતે સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસ કરવા માટે ગત વર્ષે સરકારની શિષ્યવૃત્તિ (Scholarship) પર પ્રવેશ મેળવવા વિદેશના 9 વિદ્યાર્થીઓએ ગત વર્ષે અરજી  કરી હતી, જે પૈકી ઈરાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના 3 વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો  હતો. ગીર સોમનાથની સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો ICCR (Indian Council for Cultural Relations)ની યાદીમાં પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં સંસ્કૃતમાં અભ્યાસ કરવા માગતા 3 વિદ્યાર્થીઓની અરજી સ્વીકારવામાં આવી હતી તો બાંગ્લાદેશના વિદ્યાર્થીને સંસ્કૃતમાં પીએચડી માટે પ્રવેશ આપવામાં આવ્યો હતો.

Follow Us
જો તમારી ગાડીમાં નંબર પ્લેટ નહી હોય તો પેટ્રોલ આપવામાં આવશે નહી
જો તમારી ગાડીમાં નંબર પ્લેટ નહી હોય તો પેટ્રોલ આપવામાં આવશે નહી
દક્ષિણ ગુજરાતમાં આજે બે થી ત્રણ જિલ્લામાં યલો એલર્ટ
દક્ષિણ ગુજરાતમાં આજે બે થી ત્રણ જિલ્લામાં યલો એલર્ટ
વેપારમાં પ્રગતિના નવા માર્ગો ખુલશે, કાર્યક્ષેત્રે માન-સન્માન વધશે
વેપારમાં પ્રગતિના નવા માર્ગો ખુલશે, કાર્યક્ષેત્રે માન-સન્માન વધશે
Trending Video: ચહેરા પર ઈનો અને ટૂથપેસ્ટ ઘસીને વાણંદે કર્યું 'ફેસિયલ'
Trending Video: ચહેરા પર ઈનો અને ટૂથપેસ્ટ ઘસીને વાણંદે કર્યું 'ફેસિયલ'
તલાટીઓની કામગીરીની સ્પષ્ટ વહેંચણી: રાજ્ય સરકારનો મોટો નિર્ણય
તલાટીઓની કામગીરીની સ્પષ્ટ વહેંચણી: રાજ્ય સરકારનો મોટો નિર્ણય
નક્ષત્રના આધારે અંબાલાલની આગાહી, 23થી 31 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ પડશે
નક્ષત્રના આધારે અંબાલાલની આગાહી, 23થી 31 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ પડશે
શરીર પર લીંબુ લટકાવીને રસ્તા વચ્ચે કર્યો હેરાન કરનારો સ્ટંટ
શરીર પર લીંબુ લટકાવીને રસ્તા વચ્ચે કર્યો હેરાન કરનારો સ્ટંટ
SEBI એ ભાવનગરના ઈકોનો બ્રોકિંગ પર પાડ્યા દરોડા
SEBI એ ભાવનગરના ઈકોનો બ્રોકિંગ પર પાડ્યા દરોડા
સુરેન્દ્રનગર:અકાળાથી પાસવાડા ગામનો રસ્તો બિસમાર બનતા ગામલોકો ત્રાહિમામ
સુરેન્દ્રનગર:અકાળાથી પાસવાડા ગામનો રસ્તો બિસમાર બનતા ગામલોકો ત્રાહિમામ
સુરતમાં કારીગરોની હડતાળ, પોલીસ પર પથ્થરમારો 500 થી વધુ સામે ફરિયાદ
સુરતમાં કારીગરોની હડતાળ, પોલીસ પર પથ્થરમારો 500 થી વધુ સામે ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">