AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM MODIનો સંસ્કૃત પ્રત્યેનો પ્રેમ, સોમનાથ ટ્રસ્ટના સન્માનપત્રો હવે દેવભાષા સંસ્કૃતમાં

વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં પણ અનેક વાર સંસ્કૃત સુભાષિતો, શ્લોકો, સુક્તિઓ ઉપરાંત વેદમંત્રોનો પણ સમાવેશ કર્યો છે. તો ક્યારેક દેશમાં અને વિદેશમાં પણ વડાપ્રધાન મોદીનું સ્વાગત વૈદિક મંત્રોના સૂત્રોચ્ચારથી કરવામાં આવે છે.

PM MODIનો સંસ્કૃત પ્રત્યેનો પ્રેમ, સોમનાથ ટ્રસ્ટના સન્માનપત્રો હવે દેવભાષા સંસ્કૃતમાં
ફાઈલ ફોટો : વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Jan 24, 2021 | 5:43 PM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI)નો દેવભાષા સંસ્કૃત પ્રત્યેનો પ્રેમ અવારનવાર વ્યક્ત થતો રહે છે. વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં પણ અનેક વાર સંસ્કૃત સુભાષિતો, શ્લોકો, સુક્તિઓ ઉપરાંત વેદમંત્રોનો પણ સમાવેશ કર્યો છે. તો ક્યારેક દેશમાં અને વિદેશમાં પણ વડાપ્રધાન મોદીનું સ્વાગત વૈદિક મંત્રોના સૂત્રોચ્ચારથી કરવામાં આવે છે. ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે તેમણે ગીર-સોમનાથમાં રાજ્યની પ્રથમ સંસ્કૃત યુનિવર્સિટી સ્થાપી હતી જે આજે સંસ્કૃત જગતમાં સફળતાના શિખરો સર કરી રહી છે. આ તમામ બાબતોમાં વડાપ્રધાન મોદીનો દેવભાષા સંસ્કૃત પ્રત્યેનો પ્રેમ વ્યકત થાય છે. યોગાનુયોગ વડાપ્રધાન મોદી સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ બનતા જ સંસ્કૃત ભષાને લઈને ટ્રસ્ટે મહત્વનો નિર્ણય લીધો છે.

અયોધ્યા મંદિર નિર્માણના સન્મમાન પત્ર સંસ્કૃતમાં લખાશે સોમનાથ ટ્રસ્ટના સ્વ.કેશુભાઈ ચેરમેન હતા ત્યારે તા.30-9-20 ના સોમનાથ ટ્રસ્ટ ની વર્ચ્યુઅલ મીટીંગ મળેલી ત્યારે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ ચાલી રહ્યું હોય જે સંદર્ભે સોમનાથ ટ્રસ્ટ દ્રારા એક અભિનંદન પ્રસ્તાવ આપવાનો ઠરાવ કરાયો હતો.જેમાં નરેન્દ્ર મોદીના અથાગ પ્રયાસ સાથે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને રામ મંદીર ન્યાસ સહીતનો આભાર પ્રસ્તાવ સન્માનપત્ર આપવાનો ઠરાવ કરાયેલ. ત્યારે વડાપ્રધાન મોદીએ આ પ્રસ્તાવમાં સન્માનપત્ર દેવભાષા સંસ્કૃતમાં લખાય તેવી વાત જણાવી હતી. જે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને સંસ્કૃતના ઊપાસક એવા પ્રો.જે.ડી.પરમારે આ સન્માનપત્ર સંસ્કૃતભાષામાં તૈયાર કર્યૂ છે જે ટુક સમયમાં વડાપ્રધાન મોદી સહીત તમામને અર્પણ કરાશે.

રામમંદિર પરિસર, મોદી-શાહ-યોગીની ઓફીસમાં લાગશે સન્માનપત્રો પ્રો.જે.ડી.પરમારે કહ્યું કે તા. તા.30-9-20 ના રોજ યોજાયેલી સોમનાથ ટ્રસ્ટની મીટીંગ વર્ચ્યુઅલ મીટીંગમાં અયોધ્યામાં રામમંદિર નિર્માણ ચાલી રહ્યું હોય જે સંદર્ભે મોદીજીએ રામ મંદીર કાર્યને સરળતાથી સંપન્ન કર્યું, જે માટે અભિનંદન પ્રસ્તાવ પત્ર આપવાનો ઠરાવ કરાયો હતો જેમાં મોદીજીએ આ પત્ર દેવભાષા સંસ્કૃતમાં લખાય તેવી વાત કરેલી અને આ વાતનો અમે સ્વીકાર કર્યો હતો.મોદીજી ઊપરાંત અમીત શાહ, યોગી આદીત્ય નાથ અને રામ મંદીર ન્યાસ માટે આ મઢાયેલ સન્માનપત્ર વડાપ્રધાન મોદી સહીતના મહાનુભાવો પોતાની ઓફીસ અથવા રામ મંદીર પરીસરમાં લગાવાશે.

વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
g clip-path="url(#clip0_868_265)">