AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gir somnath: 19 ગામોના 1300થી વધુ ખેડૂતો માલવાહક બ્રોડગેજ રેલવે લાઈનને લઇને ચિંતામાં, ખેડૂતોની ફળદ્રુપ જમીન રેલવે પ્રોજેક્ટમાં સંપાદિત થવાનો ડર

સોમનાથ-કોડીનાર નવી રેલવે લાઈનમાં ખેડૂતોની ફળદ્રુપ જમીન સંપાદન મામલે ખેડૂતોમાં (Farmers) ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. ગીર સોમનાથ (Gir somnath) ના વેરાવળ, સુત્રાપાડા અને કોડીનાર તાલુકાના 19 ગામોના હજારો ખેડૂતોની ફળદ્રુપ જમીન આ રેલ પ્રોજેક્ટમાં સંપાદિત થવા જઈ રહી છે. જેને કારણે ખેડૂતોમાં નારાજગી છે.

Gir somnath: 19 ગામોના 1300થી વધુ ખેડૂતો માલવાહક બ્રોડગેજ રેલવે લાઈનને લઇને ચિંતામાં, ખેડૂતોની ફળદ્રુપ જમીન રેલવે પ્રોજેક્ટમાં સંપાદિત થવાનો ડર
Gir somnath farmers fear acquisition of their land for broad gauge railway line
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 15, 2022 | 3:16 PM
Share

ગીર સોમનાથના (Gir somnath) વેરાવળ, સુત્રાપાડા અને કોડીનાર તાલુકાના 19 ગામોના 1300થી વધુ ખેડૂતો આજકાલ ચિંતામાં છે. ગીર સોમનાથ જિલ્લાના ચાર ઔદ્યોગિક એકમોના ફાયદા માટે સોમનાથથી કોડીનાર સુધી સ્થપાઈ રહેલી માલવાહક બ્રોડગેજ રેલવે લાઈન 1300થી વધુ ખેડૂતોને જમીન વિહોણા કરશે તેવો ખેડૂતોએ (Farmers) આક્ષેપ કર્યો છે. બીજી તરફ ગુજરાત ખેડૂત એકતા મંચ ગીર સોમનાથના આ ખેડૂતોની વ્હારે આવ્યુ છે. તેમણે અસરગ્રસ્ત ખેડૂતો સાથે બેઠકો કરી ધરણા કાર્યક્રમ કરવાનું નક્કી કર્યુ છે.

સોમનાથ-કોડીનાર નવી રેલવે લાઈનમાં ખેડૂતોની ફળદ્રુપ જમીન સંપાદન મામલે ખેડૂતોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. ગીર સોમનાથના વેરાવળ, સુત્રાપાડા અને કોડીનાર તાલુકાના 19 ગામોના હજારો ખેડૂતોની ફળદ્રુપ જમીન આ રેલ પ્રોજેક્ટમાં સંપાદિત થવા જઈ રહી છે. જેને કારણે ખેડૂતોમાં નારાજગી છે. સ્થાનિક ખેડૂત આગેવાનોનો આક્ષેપ છે કે સરકાર માત્ર ઔદ્યોગિક એકમોના ફાયદા માટે આ રેલ પ્રોજેક્ટ સ્થાપી રહી છે. આ માલવાહક રેલવે લાઈનથી સ્થાનિકોને કોઈ ફાયદો થશે નહીં, તેને બદલે ખેડૂતોની અતિ કિંમતી અને મહામૂલી ફળદ્રુપ જમીન છીનવાઈ જશે. જેને કારણે બેરોજગારી સાથે ખેડૂત સમુદાય પાયમાલી તરફ ધકેલાઈ જશે. આ ખેડૂતોની માગ છે કે સરકારે આ રેલ પ્રોજેક્ટને રદ કરવો જ જોઈએ.

ગીર સોમનાથ જિલ્લાના આ ખેડૂતોની વ્હારે ગુજરાત ખેડૂત એકતા મંચ આવ્યું છે. સ્થાનિક આગેવાનોએ જુદા જુદા ગામના અસરગ્રસ્ત ખેડૂતો સાથે બેઠકો કરી અને આગામી 25થી 27 તારીખ સુધી કલેકટર ઓફિસ ખાતે ધરણાં કરવાનું નક્કી કર્યુ છે. જો સાત દિવસમાં સરકાર તરફથી લેખિતમાં કોઈ ખાતરી ન મળે તો 8 કે 9 દિવસમાં ખેડૂતો સોમનાથ દાદાના દર્શન કરી સચિવાલય ગાંધીનગર જવા માટે એક બાઈક યાત્રા કરશે. અને તેમની માગને આગળ વધારશે.

પોતાનું જીવન ગુજરાન જેની પર ચાલે છે એવી ફળદ્રુપ જમીનો આપવા આ ખેડૂતો તૈયાર નથી. ત્યારે હવે તંત્ર અને ખેડૂતો વચ્ચેનો ગજગ્રાહ કેવી રીતે ઉકેલાય છે તે જોવાનું રહેશે.

આ પણ વાંચોઃ  વડોદરામાં પણ સાયન્સ સિટી બનાવવાની તૈયારીઓ શરૂ, મેયરે ગાંધીનગરમાં આ અંગે ચર્ચા કરી હોવાનું જણાવ્યું

આ પણ વાંચોઃ મોંઘા પેટ્રોલનો વિરોધ કરવા 1 રૂપિયે લીટર વેચાણ કરાયું પણ એટલી ભીડ ઉમટી કે પોલીસ બોલાવવી પડી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">