કોઈપણ કુદરતr આપત્તિ પૂર, ભૂકંપ કે વાવાઝોડાની સ્થિતિ હોય સોમનાથ ટ્રસ્ટ હંમેશા જનસેવા માટે તત્પર રહેતુ હોય છે. તાજેતરમાં બીપરજોય વાવાઝોડાની (Cyclone Biporjoy) કપરી સ્થિતિમાં જરૂરતમંદો અને અસરગ્રસ્તોની મદદ માટે સોમનાથ ટ્રસ્ટ સતત કાર્યરત રહ્યુ હતુ. બિપરજોય વાવાઝોડામાં સોંમનાથ ટ્રસ્ટ નિરાધારનો આધાર બન્યુ અને જિલ્લામાં 10 હજારથી વધારે ફુડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યુ. આશ્રય સ્થાનોમાં ભોજન આપવામાં આવ્યું છે.
દેવભૂમિ દ્વારકામાં 9000 અને વેરાવળમાં 1200થી વધુ ફુડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. સોમનાથ ટ્રસ્ટ દ્વારા કોમ્યુનિટી હોલ ખાતે સ્થળાંતર થયેલા લોકો માટે સવાર સાંજ પર્યાપ્ત ભોજન મોકલવામાં આવ્યુ હતુ. સોમનાથ ટ્રસ્ટ દ્વારા વેરાવળ શહેરમાં ફુડ પેકેટ, અને ભોજન વિતરણમાં સેવાયજ્ઞમાં RSSના સ્વયંસેવકો પણ જોડાયા હતા.
કોઈપણ પ્રાકૃતિક આપદામાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટ હંમેશા જન સેવા માટે તત્પર રહ્યું છે. ત્યારે તાજેતરમાં બિપરજોય વાવાઝોડાની કપરી પરિસ્થિતિમાં જરૂરિયાતમંદોની મદદ માટે પણ સોમનાથ ટ્રસ્ટ સતત કાર્યરત રહ્યું હતું. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથ જિલ્લામાં બિપરજોય ચક્રવાતના ગંભીર સમયમાં જન સેવાના કાર્યો સતત શરૂ રાખ્યા હતા.
સોમનાથ ટ્રસ્ટના સેવાભાવી અભિગમ સાથે ટ્રસ્ટના સચિવ યોગેન્દ્ર દેસાઈના માર્ગદર્શનમાં સોમનાથ ટ્રસ્ટે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વહીવટી તંત્ર સાથે સંકલનમાં કરી વાવાઝોડા પૂર્વે 5000 ફૂડ પેકેટનું વિતરણ કર્યું હતું. અને વાવાઝોડા બાદ અસરગ્રસ્તો માટે વધુ 4000 જેટલા ફૂડ પેકેટ દેવભૂમિ દ્વારકા ખાતે વહીવટી તંત્રને પહોંચાડવામાં આવ્યા હતા જેનું તંત્ર દ્વારા જરૂરિયાતમંદોને વિતરણ કરવામાં આવ્યું હતું.
બિપરજોય વાવાઝોડાના તોફાની પવનો વચ્ચે વેરાવળ પંથકના ઝૂપડપટ્ટી વિસ્તારમાં રહેતા જરૂરિયાતમંદ લોકોની ક્ષુધા સંતોષવા સોમનાથ મહાદેવના પ્રસાદ સ્વરૂપે બૂંદી ગાંઠિયાના ફૂડ પેકેટ તૈયાર કરીને સોમનાથ ટ્રસ્ટ દ્વારા RSSના સ્વયંસેવકોની મદદથી પ્રત્યેક જરૂરિયાતમંદ પરિવાર સુધી ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
અલગ અલગ વિસ્તારોમાં ઝૂંપડપટ્ટી કે કાચા મકાનોમાં રહેતા જરૂરિયાત મંદોને શોધીને તેમને સોમનાથ મહાદેવના પ્રસાદ સ્વરૂપે બુંદી અને ગાંઠિયાના ફૂડ પેકેટ આપવામાં આવ્યા હતા. અને તેઓને કોઈપણ પરિસ્થિતિમાં પૂરતો સહયોગ આપવા માટે તૈયારી બતાવવામાં આવી હતી. કોમ્યુનિટી હોલ ખાતે સ્થળાંતર કરાયેલા લોકોને સોમનાથ ટ્રસ્ટ દ્વારા સવાર અને સાંજ બંને સમયનું ભરપેટ ભોજન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકોના હાથે મોકલવામાં આવ્યું હતું. મહાદેવ નો મહાપ્રસાદ વિતરણ કરેલુ હતુ.
આ પણ વાંચો : Gujarati Video : દ્વારકા અને ગીર સોમનાથના દરિયામાં ભરતીના કારણે બોટને નુકસાન, ચાર હજારથી વધુ બોટ કિનારે લાંગરી દેવાઇ
આવી રીતે ટ્રસ્ટના અધ્યક્ષ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં સોમનાથ ટ્રસ્ટ “સર્વજન સુખાય, સર્વજન હિતાય”, ના ધ્યેય સાથે સતત જનકલ્યાણની જ્યોત જલાવી રહ્યું છે. અને કોઈપણ આપદામાં લોકોની તમામ સંભવિત મદદ કરવામાં મોખરે રહ્યું છે.
Input Credit- Yogesh Joshi- Gir Somnath
ગીરસોમનાથ સહિત ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 9:18 pm, Sat, 17 June 23