AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગીરસોમનાથ: નેશનલ હાઈવે પાણીમાં ગરકાવ, લોકો ત્રસ્ત અને તંત્ર નિંદ્રાધીન

છેલ્લા બે અઠવાડિયાથી ગીર સોમનાથ જિલ્લામાં ચાલી રહેલ વરસાદની હેલી ક્યાંકને ક્યાંક મેઘ મહેરમાંથી મેઘકહેરમાં પલટાઈ રહી છે. જિલ્લાની તમામ નદીઓમાં પૂર આવ્યા છે, જેને કારણે સોમનાથ-ભાવનગર નેશનલ હાઇવે પર પણ પુરના પાણી ફરી વળ્યાં છે. ત્યારે 1.5 થી 2 ફૂટ પુરના પાણી અને રસ્તા પર પહેલેથી મોજુદ એકથી દોઢ ફૂટના ખાડાએ જીવલેણ સમન્વય સાબિત […]

ગીરસોમનાથ: નેશનલ હાઈવે પાણીમાં ગરકાવ, લોકો ત્રસ્ત અને તંત્ર નિંદ્રાધીન
Yogesh Joshi
| Edited By: | Updated on: Sep 19, 2020 | 7:06 PM
Share

છેલ્લા બે અઠવાડિયાથી ગીર સોમનાથ જિલ્લામાં ચાલી રહેલ વરસાદની હેલી ક્યાંકને ક્યાંક મેઘ મહેરમાંથી મેઘકહેરમાં પલટાઈ રહી છે. જિલ્લાની તમામ નદીઓમાં પૂર આવ્યા છે, જેને કારણે સોમનાથ-ભાવનગર નેશનલ હાઇવે પર પણ પુરના પાણી ફરી વળ્યાં છે. ત્યારે 1.5 થી 2 ફૂટ પુરના પાણી અને રસ્તા પર પહેલેથી મોજુદ એકથી દોઢ ફૂટના ખાડાએ જીવલેણ સમન્વય સાબિત થઈ શકે છે. વાહનચાલકોનો ટ્રાફિક જામ થતાં નજીકના ગામના લોકોએ ટ્રાફિક ક્લિયર કર્યો હતો. છતાં ઘટના સ્થળે સ્થિતિ જોવાની કોઈપણ સરકારી તંત્ર કે નેશનલ હાઈવે ઓથોરીટીએ દરકાર લીધી નહોતી.

GirSomnath: National highway pani ma garkav loko trast ane tantra nindradhin

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

GirSomnath: National highway pani ma garkav loko trast ane tantra nindradhin

કપિલા નદીમાં આવેલા પુરને કારણે સોમનાથ ભાવનગર હાઈવે પર પાણી ફરી વળ્યું છે સાથે જ હાઈવે પણ મસમોટા ખાડાઓ હોવાને કારણે પાણી વચ્ચેથી વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે મોટો ટોલટેક્સ ઉઘરાવતી નેશનલ હાઈવે ઓથોરિટી બિસ્માર હાલતમાં રોડ હોવા છતાં ટ્રાફિક નિયમન કે રોડના સમારકામ અથવા ડાયવર્ઝન કાઢવા માટે હાજર નથી. ત્યારે નજીકના ગામના સેવાભાવી યુવાનો લોકોને ખાડાઓથી સચેત કરીને હાઈવે પરનો ટ્રાફિક જામ દૂર કરી રહ્યા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

લોકો પોતાના પરિવાર સાથે આ હાઈવે ઉપર નથી ચાલી શકતા. વાહન બગડતા રાતવાસો રોડ ઉપર કરવો પડે છે. આવી ગંભીર પરિસ્થિતિમાં પણ નેશનલ હાઈવે ઓથોરિટી પોતાની ફરજ પરથી ભાગી રહી છે. છેલ્લા પાંચ વર્ષથી આ વિસ્તારમાં હાઈવે ડૂબી જવાની ઘટના બને છે. પરંતુ તંત્ર દ્વારા કોઈ ધ્યાન નથી આપવામાં આવી રહ્યું, તેવો સ્થાનિકોનો આક્ષેપ છે. ત્યારે હાઈવે ઉપર આવેલું દોઢથી બે ફૂટ પાણી અને પહેલેથી જ હાઈવે ઉપર રહેલા એકથી દોઢ ફૂટ ઊંડા ખાડાએ જીવલેણ અકસ્માત નોતરે શું ત્યારે જ તંત્ર જાગશે તેવો લોકોના મનમાં પ્રશ્ન છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow Us
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">