PM Modi ના માતા હીરાબા નામથી ગાંધીનગરમાં માર્ગનું નામ રાખવામાં આવશે

ગાંધીનગરના મેયર હિતેશ મકવાણાએ આ જાહેરાત કરતા કહ્યું કે, 18 જૂને હીરાબાના(Hiraba) 100માં વર્ષમાં પ્રવેશ પ્રસંગે  રાયસણ પેટ્રોલ પંપથી 80 મીટરના માર્ગને ‘પૂજ્ય હીરાબા માર્ગ' નામ આપવાનું નક્કી કરાયું છે.

PM Modi ના માતા હીરાબા નામથી ગાંધીનગરમાં માર્ગનું નામ રાખવામાં આવશે
PM Modi With Mother HirabaImage Credit source: File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 15, 2022 | 8:47 PM

વડાપ્રધાન મોદીના(PM Modi) માતા હીરાબાના (Hiraba) નામથી ગાંધીનગરમાં એક માર્ગનું નામ(Road)  રખાશે. જેમાં ગાંધીનગરના રાયસણ પેટ્રોલ પંપથી 80 મીટરના માર્ગને ‘પૂજ્ય હીરાબા માર્ગ’ નામ અપાશે..ગાંધીનગરના મેયર હિતેશ મકવાણાએ આ જાહેરાત કરતા કહ્યું કે, 18 જૂને હીરાબાના 100માં વર્ષમાં પ્રવેશ પ્રસંગે  રાયસણ પેટ્રોલ પંપથી 80 મીટરના માર્ગને ‘પૂજ્ય હીરાબા માર્ગ’ નામ આપવાનું નક્કી કરાયું છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના માતા હીરાબા 18 જૂને 100માં  વર્ષમાં પ્રવેશ કરશે આ ખાસ દિવસે પીએમ મોદી પણ તેમની સાથે રહેશે. હીરાબાના 100મા જન્મદિવસે વડનગર ના હાટકેશ્વર મંદિરમાં પૂજા રાખવામાં આવી છે, જેમાં પીએમ પણ હાજરી આપશે તેમ માનવામાં આવે છે. આ પ્રસંગે તેમના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે સુંદરકાંડ, શિવ પૂજા અને ભજન સંધ્યાનો ત્રિવેણી કાર્યક્રમ યોજાશે.

આ ઉપરાંત પીએમ મોદી 18  જૂનના રોજ  પાવાગઢમાં મહાકાળીનાં મંદિરે ધ્વજારોહણ કરશે. તેઓ વડોદરામાં જનસભાને પણ સંબોધશે. આ પહેલા પીએમ મોદી માર્ચમાં તેમની માતા હીરાબાને મળ્યા હતા. તેઓ તેમની માતા હીરાબાને ગાંધીનગર ખાતે તેમના ઘરે મળ્યા હતા.  હવે ફરી તેમના જન્મદિવસ નિમીતે તેઓ હીરાબાના આશિર્વાદ લેશે અને પુજામાં જોડાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સમગ્ર કાર્યક્રમ

ગુજરાતનો ગઢ કબજે કરવા ભાજપે કમર કસી છે. ત્યારે મિશન ગુજરાતના ભાગરૂપે ફરી એકવાર પીએમ નરેન્દ્ર મોદી વતનની મુલાકાતે આવશે. આગામી 17 અને 18 જૂને પીએમ મોદી ગુજરાતની મુલાકાત લેશે. પીએમ મોદીના પ્રવાસની વાત કરીએ તો તેઓ 17મી જૂને ગાંધીનગરના રાજભવન ખાતે રાત્રી રોકાણ કરશે. ત્યારબાદ બીજા દિવસે એટલે 18 જૂને તેઓ યાત્રાધામ પાવાગઢની મુલાકાતે જશે. જ્યાં સવારે 9-15 કલાકે પીએમ મોદી પાવાગઢમાં મહાકાળી માતાજીના દર્શન કરશે. ત્યારબાદ તેઓ 11.30 કલાકે પાવાગઢ નજીક વિરાસત વનની મુલાકાત લેશે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

વડોદરામાં “ગુજરાત ગૌરવ અભિયાન”માં જોડાશે

વિરાસત વનની મુલાકાત બાદ પીએમ મોદી વડોદરા જશે. વડાપ્રધાન વડોદરાના લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે બપોરે 12:30 કલાકે “ગુજરાત ગૌરવ અભિયાન” કાર્યક્રમમાં હાજરી આપશે. એટલું જ નહીં પીએમ મોદી પ્રધાનમંત્રી આવાસ યોજનાના 8,907 આવાસનું લોકાર્પણ કરશે તો વડોદરામાં ગતિશક્તિ બિલ્ડિંગનું પણ લોકાર્પણ કરશે. રેલવે વિભાગના વિવિધ પ્રોજેક્ટ અંતગર્ત 16,369 કરોડના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. સાથે સાથે 18 જૂને અમદાવાદ-બોટાદના લોકોને પીએમ મોદી વિકાસની ભેટ આપશે. 18 જૂને અમદાવાદ-બોટાદ વચ્ચે રેલવે લાઈન શરૂ કરાશે. અમદાવાદ-બોટાદ ટ્રેનને પીએમ મોદી લીલીઝંડી બતાવશે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">