AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતના સમયાંતરે હોસ્પિટલ-મેડિકલ કોલેજોમાં થાય છે ભરતી, આરોગ્ય પ્રધાને વિધાનસભા ગૃહમાં આપી આ માહિતી

Gandhinagar News : રાજ્યના નાગરિકોને શ્રેષ્ઠ આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે અને તે માટે રાજ્યભરની હોસ્પિટલ તથા મેડિકલ કોલેજોમાં નિષ્ણાત-તજજ્ઞ સ્ટાફની ભરતી સમયાંતરે કરવામાં આવી રહી છે.

ગુજરાતના સમયાંતરે હોસ્પિટલ-મેડિકલ કોલેજોમાં થાય છે ભરતી, આરોગ્ય પ્રધાને વિધાનસભા ગૃહમાં આપી આ માહિતી
Kinjal Mishra
| Edited By: | Updated on: Mar 28, 2023 | 3:03 PM
Share

ગાંધીનગરમાં વિધાનસભા ગૃહમાં સરકારી હોસ્પિટલ -મેડિકલ કોલેજોમાં મહેકમ સંદર્ભે પૂછાયેલા પ્રશ્ન અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જવાબ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતુ કે, રાજ્યના નાગરિકોને શ્રેષ્ઠ આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે અને તે માટે રાજ્યભરની હોસ્પિટલ તથા મેડિકલ કોલેજોમાં નિષ્ણાત-તજજ્ઞ સ્ટાફની ભરતી સમયાંતરે કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો-Ahmedabad : ઈસ્કોનથી સાણંદ સુધી એલિવેટેડ કોરિડોર બનાવાશે, નીતિન ગડકરીએ ટ્વિટ કરીને આપી માહિતી

આરોગ્ય ક્ષેત્રે ટેકનોલોજીકલ અપગ્રેડેશન

ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યુ કે આ ક્ષેત્રે ટેકનોલોજીકલ અપગ્રેડેશન પણ કરવામાં આવી રહ્યું છે. જે સરકારી હોસ્પિટલ કે મેડિકલ કોલેજમાં સ્ટાફની જગ્યાઓ કોઈ કારણોસર ખાલી પડેલી છે તેને ભરવા માટેની પ્રક્રિયા પણ રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી છે.

વડોદરા સરકારી મેડિકલ કોલેજના સંવર્ગવાર મહેકમ સંદર્ભે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, 31 ડિસેમ્બર 2022ની સ્થિતિએ વડોદરા સરકારી મેડિકલ કોલેજમાં મંજૂર થયેલી વર્ગ-1ની 293 જગ્યાઓ પૈકી 232 જગ્યાઓ ભરી દેવામાં આવી છે. તેવી જ રીતે વર્ગ-2ની મંજૂર થયેલી 109 જગ્યાઓ પૈકી 65 જગ્યાઓ, વર્ગ-3ની 310 જગ્યાઓ પૈકી 189 જગ્યાઓ અને વર્ગ-4ની 136 પૈકી તમામ 136 જગ્યાઓ ભરાયેલી છે.

સુરત નવી સિવિલ હોસ્પિટલ અંગે આ માહિતી આપી

સુરતમાં નવી સિવિલ હોસ્પિટલ તથા સુરત સરકારી ફિઝિયોથેરાપી કોલેજના સંવર્ગવાર મહેકમ સંદર્ભે પૂછાયેલા પૂરક પ્રશ્નોના પ્રત્યુત્તર આપતા તેમણે ઉમેર્યું કે, 31મી ડિસેમ્બર 2022ની સ્થિતિએ સુરત નવી સિવિલ હોસ્પિટલમાં મંજૂર થયેલી વર્ગ-1ની 15 જગ્યાઓ પૈકી 05 જગ્યાઓ ભરી દેવામાં આવી છે. તેવી જ રીતે વર્ગ-2ની મંજૂર થયેલી 51 જગ્યાઓ પૈકી 40 જગ્યાઓ, વર્ગ-3ની 1019 જગ્યાઓ પૈકી 875 જગ્યાઓ અને વર્ગ-4ની 564 પૈકી તમામ 564 જગ્યાઓ ભરાયેલી છે.

તેવી જ રીતે 31મી ડિસેમ્બર 2022ની સ્થિતિએ સુરત નવી સિવિલ હોસ્પિટલમાં મંજૂર થયેલી વર્ગ-1ની 15 જગ્યાઓ પૈકી 05 જગ્યાઓ ભરી દેવામાં આવી છે. તો બીજી તરફ સુરત સરકારી ફિઝિયોથેરાપી કોલેજમાં મંજૂર થયેલી વર્ગ-1ની 05 જગ્યાઓ પૈકી 04 જગ્યાઓ ભરી દેવામાં આવી છે. તેવી જ રીતે વર્ગ-2ની મંજૂર થયેલી 06 જગ્યાઓ પૈકી 01 જગ્યાઓ, વર્ગ-3ની 24 જગ્યાઓ પૈકી 16 જગ્યાઓ અને વર્ગ-4ની 07 પૈકી તમામ 07 જગ્યાઓ પર ભરાયેલી છે.

જામનગર સરકારી ડેન્ટલ કોલેજની જગ્યા વિશે આપી માહિતી

જામનગર સરકારી ડેન્ટલ કોલેજના સંવર્ગવાર મહેકમ સંદર્ભે પૂછાયેલા પૂરક પ્રશ્નનો ઉત્તર આપતા ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, જામનગર સરકારી ડેન્ટલ કોલેજમાં મંજૂર થયેલી વર્ગ-1ની 45 જગ્યાઓ પૈકી 31 જગ્યાઓ ભરી દેવામાં આવી છે. તેવી જ રીતે વર્ગ-2ની મંજૂર થયેલી 39 જગ્યાઓ પૈકી 28 જગ્યાઓ, વર્ગ-3ની 65 જગ્યાઓ પૈકી 61 જગ્યાઓ અને વર્ગ-4ની 36 પૈકી તમામ 36 જગ્યાઓ પર ભરાયેલી છે.

વડોદરા SSG હોસ્પિટલમાં મંજૂર જગ્યાઓ વિશે આપી માહિતી

વડોદરા એસએસજી હોસ્પિટલમાં મંજૂર થયેલી વર્ગ-1ની 15 જગ્યાઓ પૈકી 05 જગ્યાઓ ભરી દેવામાં આવી છે. તેવી જ રીતે વર્ગ-2ની મંજૂર થયેલી 74 જગ્યાઓ પૈકી 49 જગ્યાઓ, વર્ગ-3ની 1233 જગ્યાઓ પૈકી 1147 જગ્યાઓ અને વર્ગ-4ની 586 પૈકી તમામ 586 જગ્યાઓ પર ભરાયેલી છે. તો બીજી તરફ દાહોદ સરકારી ફિઝિયોથેરાપી કોલેજમાં મંજૂર થયેલી વર્ગ-3ની 19 જગ્યાઓ પૈકી 16 જગ્યાઓ અને વર્ગ-4ની 16 પૈકી તમામ 16 જગ્યાઓ ભરાયેલી છે.

અમદાવાદમાં બી.જે મેડિકલ કોલેજની જગ્યાઓ વિશે માહિતી આપી

અમદાવાદ બી.જે મેડિકલ કોલેજમાં મંજૂર થયેલી વર્ગ-1ની 344 જગ્યાઓ પૈકી 288 જગ્યાઓ ભરી દેવામાં આવી છે. તેવી જ રીતે વર્ગ-2ની મંજૂર થયેલી 105 જગ્યાઓ પૈકી 74 જગ્યાઓ, વર્ગ-3ની 274 જગ્યાઓ પૈકી 197 જગ્યાઓ અને વર્ગ-4ની 164 પૈકી તમામ 164 જગ્યાઓ પર ભરાયેલી હોવાનું ઋષિકેશ પટેલે ઉમેર્યું હતું.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
g clip-path="url(#clip0_868_265)">