ગુજરાત સરકાર હવે માત્ર 5 રુપિયામાં શ્રમિકોને આપશે ભોજન, હોમ ડિલિવરીની સુવિધા પણ મળશે

શ્રમિક અન્નપૂર્ણા યોજના (Shramik Annapurna Yojana) હેઠળ ગુજરાત સરકાર મજૂરો અને તેમના પરિવારોને 5 રૂપિયામાં ભોજન આપશે. આ ફૂડ સેન્ટર ગુજરાતમાં અમદાવાદ (Ahmedabad) અને ગાંધીનગરમાં (Gandhinagar) ખોલવામાં આવશે.

ગુજરાત સરકાર હવે માત્ર 5 રુપિયામાં શ્રમિકોને આપશે ભોજન, હોમ ડિલિવરીની સુવિધા પણ મળશે
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલImage Credit source: ફાઇલ તસવીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 07, 2022 | 11:40 AM

ગુજરાત સરકાર (Gujarat Govt) 8 ઓક્ટોબર એટલે કે આવતીકાલે અમદાવાદમાં (Ahmedabad) શ્રમિક અન્નપૂર્ણા યોજનાની (Annapurna Yojana) શરૂઆત કરશે. આ યોજના હેઠળ ગુજરાતના શ્રમિકોને 5 રૂપિયામાં ભર પેટ ભોજન આપશે. સરકાર તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર, શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ શ્રમિકો અને તેમના પરિવારજનોને 5 રૂપિયામાં ભોજન આપવામાં આવશે. પ્રથમ તબક્કામાં આ કેન્દ્રો ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરમાં ખોલવામાં આવશે. આગામી સમયમાં રાજ્યભરમાં આ ફૂડ સેન્ટરો ખોલવામાં આવશે. સરકારે નિર્ણય લીધો છે કે જ્યાં 50થી વધુ શ્રમિક એક સાથે રહે છે ત્યાં ભોજનની હોમ ડિલિવરી પણ આપવામાં આવશે. જો કે, સરકાર હોમ ડિલિવરી કેવી રીતે કરશે, તે હજુ સ્પષ્ટ નથી.

વિજય રૂપાણીએ યોજનાનો પ્રારંભ કર્યો હતો

સરકારનો ઉદ્દેશ્ય છે કે દેશમાં કોઈ પણ વ્યક્તિ ભૂખ્યા ન સૂવે, આ પહેલ હેઠળ આ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના માત્ર મજૂર વર્ગના લોકો માટે શરૂ કરવામાં આવી છે. ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણીએ પણ શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ 10 રૂપિયામાં ભોજનની યોજના શરૂ કરી હતી. જેમાં કામ કરતા શ્રમિકોને પૌષ્ટિક આહાર આપવાનું આયોજન હતુ. ભાજપ સરકારે અમદાવાદના રાણીપ વિસ્તારમાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાનું કાઉન્ટર શરૂ કર્યું હતું. જેમાં શ્રમિકોને 10 રૂપિયામાં ભરપેટ ભોજન મળતું હતું. શ્રમિકોને આ યોજના હેઠળ રોજ ભોજનમાં અલગ-અલગ વસ્તુઓ મળતી હતી.

માત્ર ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર વગેરેમાં આવી યોજના જાહેર કરાઇ છે. તમિલનાડુમાં અમ્માનું રસોડું ખૂબ જ લોકપ્રિય છે. અહીં પણ લોકોને માત્ર 5 રૂપિયામાં ભોજન મળે છે. તો સામાજિક કાર્યકર અનૂપ ખન્ના દિલ્હીમાં દાદીના રસોડામાં એક સ્કીમ ચલાવે છે. આ યોજના હેઠળ દિલ્હી-એનસીઆરના ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને 5 રૂપિયામાં ગુણવત્તાયુક્ત ભોજન મળે છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

મતદારોને રીઝવવા રાજકીય પક્ષોનો ધમધમાટ

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે દર મહિને 300 યુનિટ સુધીની મફત વીજળી, સરકારી શાળાઓમાં મફત શિક્ષણ, બેરોજગારી ભથ્થું, મહિલાઓને રૂ. 1,000 ભથ્થું અને નવા વકીલોને માસિક વેતન જેવી અનેક રાહતોના આશ્વાસન સાથે તેમના પક્ષના અભિયાનની શરૂઆત કરી હતી. કોંગ્રેસ પણ મતદારોને રીઝવવા મોટા મોટા વચનો આપી રહી છે. તેમણે 500 રૂપિયામાં એલપીજી (રસોડું ગેસ) સિલિન્ડર આપવા, કોવિડ-19ના પીડિતોના પરિવારને 4 લાખ રૂપિયાનું વળતર અને ખેડૂતોની 3 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવાનું પણ વચન આપ્યું છે. ત્યારે ભાજપ સરકાર દ્વારા પણ વિવિધ યોજનાઓની જાહેરાત કરવામાં આવી રહી છે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">