GUJARAT CORONA UPDATE : રાજ્યમાં 22 સપ્ટેમ્બરે કોરોનાના નવા 20 કેસ નોંધાયા, 20 દર્દીઓ સાજા થયા, 6.35 લાખ લોકોનું રસીકરણ થયું

રાજ્યમાં આજે 22 સપ્ટેમ્બરના દિવસે છેલ્લા 24 કલાકમાં કુલ 20 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,15,556 લોકો કોરોના વાયરસને હરાવી ચુક્યા છે.

GUJARAT CORONA UPDATE : રાજ્યમાં 22 સપ્ટેમ્બરે કોરોનાના નવા 20 કેસ નોંધાયા, 20  દર્દીઓ સાજા થયા, 6.35 લાખ લોકોનું રસીકરણ થયું
Gujarat Corona Update : 20 new cases of corona,20 patients recovered on 22 September in Gujarat
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2021 | 8:46 PM

GUJARAT CORONA UPDATE : રાજ્યમાં કોરોનાના કેસો સૂચક રીતે વધ્યા હતા અને 20 ની નીચે નવા કેસો નોંધાઈ રહ્યાં હતા, જયારે આજે 22 સપ્ટેમ્બરે ફરી 20 કેસો નોંધાયા છે, જો કે આમાં રાહતની વાત એ છે કે નવા કેસોના ઉતર ચઢાવ વચ્ચે એક્ટીવ કેસો ખાસ વધ્યા નથી, કારણ કે આજે નવા 20 કેસો આવવાની સાથે એટલા જ પ્રમાણમાં 20 કોરોનાના દર્દીઓ સાજા થઇ રહ્યાં છે અને ગઈકાલના એક્ટીવ કેસોમાં કોઈ વધારો થયો નથી.

કોરોનાના 20 નવા કેસ, 0 મૃત્યુ રાજ્યમાં આજે 22 સપ્ટેમ્બરે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 20 નવા કેસ નોંધાયા છે, તો આજે કોરોનાના કારણે ભાવનગરમાં એક દર્દીનું મૃત્યુ થયું છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,25,757 થઇ છે આ સાથે જ મૃત્યુઆંક 10,082 પર સ્થિર છે.

રાજ્યના મહાનગરોમાં આજે નોંધાયેલા કોરોનાના નવા કેસોની વાત કરીએ તો સુરત શહેરમાં સૌથી વધુ 5 કેસ, ભાવનગર જિલ્લામાં 3 કેસ, અમદાવાદ શહેર, ભાવનગર શહેર અને વડોદરા શહેરમાં 2-2, નવસારી અને વલસાડ જિલ્લામાં 2-2, અને વડોદરા જિલ્લો તથા જામનગર જિલ્લામાં કોરોના વાયસરનો 1-1નવો કેસ નોંધાયો છે.

લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?

20 દર્દીઓ સાજા થયા, એક્ટીવ કેસ 133 પર સ્થિર રાજ્યમાં આજે 22 સપ્ટેમ્બરના દિવસે છેલ્લા 24 કલાકમાં કુલ 20 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,15,556 લોકો કોરોના વાયરસને હરાવી ચુક્યા છે. રાજ્યમાં આજે 20 સપ્ટેમ્બરે એક્ટીવ કેસ 133 જ રહ્યાં છે. રાજ્યમાં હાલ રીકવરી દર 98.76 ટકા પર સ્થિર છે.

આજે 6.35 લાખ લોકોનું રસીકરણ થયું  રાજ્યમાં આજે 22 સપ્ટેમ્બરના રોજ 6,35,197 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યના મહાનગરોમાં થયેલા રસીકરણના આંકડાઓ જોઈએ તો અમદાવાદમાં સૌથી વધુ 1,07,600, સુરતમાં 81,600, વડોદરામાં 11,997, રાજકોટમાં માત્ર 17,702, ભાવનગરમાં 3156, ગાંધીનગરમાં 4162, જામનગરમાં 5802 અને જુનાગઢમાં 6111 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

રાજ્યમાં આજે થયેલા રસીકરણમાં 18 થી 45 ઉમરવર્ગના 2,15,644 લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 18 થી 45 ઉમરવર્ગના 2,46,586 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં આજે થયેલા રસીકરણ બાદ કુલ 5 કરોડ 79 લાખ, 90 હજાર અને 925 ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">