ગુજરાતમાં કોરોનાના નવા 191 કેસ, 01 મૃત્યુ, એક્ટિવ કેસની સંખ્યા 1470 થઈ
ગુજરાતમાં(Gujarat)કોરોનાના(Corona)નવા કેસોમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જેમાં 02 સપ્ટેમ્બર ના રોજ કોરોનાના નવા 191 કેસ નોંધાયા છે. જ્યારે એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1470 એ પહોંચ્યા છે.

ગુજરાતમાં(Gujarat)કોરોનાના(Corona)નવા કેસોમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જેમાં 02 સપ્ટેમ્બર ના રોજ કોરોનાના નવા 191 કેસ નોંધાયા છે. જ્યારે એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1470 એ પહોંચ્યા છે. તેમજ કોરોના રિકવરી રેટ 99.02 થયો છે. જ્યારે આજે કોરોનાથી 318 દર્દીઓ સાજા થયા છે. આ ઉપરાંત આજે નોંધાયેલા કોરોનાના નવા કેસની વાત કરીએ તો અમદાવાદમાં(Ahmedabad)60 કેસ અને 01 મૃત્યુ, સુરતમાં 28, વડોદરા 25, સુરત જિલ્લામાં 11, રાજકોટમાં 09, વલસાડમાં 09, ડાંગમાં 07, પાટણમાં 07, ગાંધીનગરમાં 04, રાજકોટમાં 04, આણંદમાં 03, બનાસકાંઠામાં 03, ગીર સોમનાથમાં 02, જામનગરમાં 02, કચ્છમાં 02, નવસારીમાં 02, પંચમહાલમાં 02, સાબરકાંઠામાં 02, વડોદરામાં 02, અમરેલીમાં 01, ભરૂચમાં 01, ભાવનગરમાં 01, દાહોદમાં 01, ગાંધીનગરમાં 01, જૂનાગઢમાં 01 અને ખેડામાં 01 કેસ નોંધાયા છે.
શાળાઓમાં બાળકો માટે માસ્ક ફરજિયાત
કોરોનાના કેસમાં વધવાની સાથે રાજ્ય સરકારની ચિંતા પણ વધારો થયો છે. તેમજ રાજ્યના અનેક જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધારે કેસ નોંધાય રહ્યા છે. જેના પગલે હાઈકોર્ટ દ્વારા અત્યારથી જ કોરોનાના વધતાં કેસના પગલે સાવચેતી શરૂ કરી છે. તેમજ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ શાળાઓમાં પણ બાળકો માટે માસ્ક ફરજિયાત કરવા પણ જણાવ્યું છે.
ચોમાસામાં વધારે સાવધાન રહેજો
ગુજરાતમાં દરેક જીલ્લામાં ચોમાસાનો માહોલ યથાવત છે. ત્યારે રોગચારાનો ખતરો પણ તોળાય રહ્યો છે. ઋતુગત બીમારીઓ, સ્વાઈ ફલૂ, ગાયોમાં લમ્પી વાયરય, મંકી પોક્સ મહામારી વચ્ચે લોકોએ વધારે સાવધાન રહેવાની જરુર છે. અને આ બધી બીમારીઓથી બચવા માટે વધારે સાવધાન રહેવાની જરુર છે.