ભારતનું એક એવુ અમીર મંદિર જેની સંપત્તિ દુનિયાના 100 દેશોની GDP થી પણ વધુ છે? વાંચો ક્યુ છે આ મંદિર?
ભારતની સનાતન સંસ્કૃતિમાં મંદિરોનું ઘણુ મહત્વ છે. સનાતન સંસ્કૃતિમાં હિંદુઓની આસ્થા મંદિરો સાથે જોડાયેલી છે. સમગ્ર ભારતમાં લાખો મંદિર છે. ચાહે મોટા મંદિરો હોય કે નાના મંદિરો, દરેક મંદિરમાં દાન અને ચઢાવાનું ઘણુ મહત્વ છે. ગમે તેવો અમીર વ્યક્તિ હોય કે ગરીબ વ્યક્તિ, તે તેની કમાણીનો કેટલોક હિસ્સો મંદિરોમાં દાન જરૂર કરે છે. કેટલાક લોકો ફુલ ચઢાવે છે તો કેટલાક લોકો યથાશક્તિ જે હોય તે ચઢાવે છે જ્યારે કેટલાક લોકો એવા પણ છે જે સોના ચાંદી અને ધન પણ ચડાવે છે. આજે આપણે ભારતના એ મંદિર વિશે જાણશુ, જે ભારતનું સૌથી અમીર મંદિર તો છે જ સાથોસાથ દુનિયાના 100 દેશની જીડીપી થી પણ વધુ આ મંદિર ની સંપત્તિ છે.

ગ્લોબલ વેલ્થ ઈન્ડેક્સ 2026ના તાજા આંકડા અનુસાર આંધ્રપ્રદેશનું તિરુપતિ બાલાજી મંદિર 3.38 લાખ કરોડ ની સંપત્તિ સાથે દુનિયાનું ત્રીજુ સૌથી ધનિક ધાર્મિક સ્થળ છે. IMF અને વિશ્વ બેંકના આંકડા અનુસાર એકલા તિરુપતિ મંદિરની સંપત્તિ દુનયાના નાના-નાના 100 દેશોને જોડીને જોવા આવે તો તેના કરતા પણ વધુ છે. આ નાના દેશોમાં સાઈપ્રસ, આઈસલેન્ડ, એેસ્ટોનિયા જેવા 100 દેશોની કૂલ જીડીપી કરતા વધુ છે. તિરુપતિ મંદિરમાં રોજનું અંદાજિત 1 થી 5 કરોડ રૂપિયાનું દાન આવે છે. ભારતના ટોપ ટેન અમીર મંદિરો ભારતના જો 10 સૌથી વધુ અમીર મંદિરોની વાત કરીએ તો આ ટોપ ટેન મંદિરોની સંયુક્ત સંપત્તિ ₹9 લાખ કરોડથી વધુ છે. ગ્લોબલ વેલ્થ ઈન્ડેક્સ 2026 અનુસાર તિરુપતિ બાલાજી મંદિર ₹3.38 લાખ કરોડ ની ચલ અચલ સંપત્તિ સાથે દુનિયાનું ત્રીજુ સૌથી અમીર ધર્મસ્થળ છે. function loadTaboolaWidget() { ...
