Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે નશાયુક્ત પદાર્થોના ગેરકાયદે વેચાણ પર કડક કાર્યવાહી કરવા પોલીસને આદેશ આપ્યો

ગુજરાતના(Gujarat) સીએમ ભૂપેન્દ્ર પટેલે બોટાદ અને અમદાવાદ જિલ્લામાં થયેલી આ ઘટના અંગે જે તપાસ સમિતિ રચવામા આવી છે તે ત્વરિત તપાસ પૂર્ણ કરી અહેવાલ આપે એટલું જ નહીં ગુનેગારો સામે કડક માં કડક કાયદાકીય કાર્યવાહી થાય તે માટે પણ સૂચના આપી હતી

ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે નશાયુક્ત પદાર્થોના ગેરકાયદે વેચાણ પર કડક કાર્યવાહી કરવા પોલીસને આદેશ આપ્યો
Gujarat CM Bhupendra Patel presided over a high-level conference to discuss Botad Alleged liquor scandal
Follow Us:
Kinjal Mishra
| Edited By: | Updated on: Jul 26, 2022 | 9:51 PM

ગુજરાતના(Gujarat)  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે(CM Bhupendra Patel) રાજ્યમાં કેમીકલ યુક્ત માદક દ્રવ્ય ના સેવનથી(Hooch Tragedy)  સર્જાયેલી ઘટના અંગે ઉચ્ચસ્તરીય બેઠક યોજીને રાજ્યમાં આવા પદાર્થો સહિતના નશાયુક્ત પદાર્થોના ગેરકાયદે વેચાણ કરનારાઓ સામે સખ્તાઈથી પેશ આવવા રાજ્યના પોલીસ દળને સ્પષ્ટ સૂચનાઓ આપી છે. બોટાદ અને અમદાવાદ જિલ્લામાં થયેલી આ ઘટના અંગે જે તપાસ સમિતિ રચવામા આવી છે તે ત્વરિત તપાસ પૂર્ણ કરી અહેવાલ આપે એટલું જ નહીં ગુનેગારો સામે કડક માં કડક કાયદાકીય કાર્યવાહી થાય તે માટે પણ સૂચના આપી હતી

આ બેઠકમા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ક્હ્યું કે રાજ્યમા પોલીસ દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરીને રેડ કરવામા આવી છે તેમજ અટકાયતી પગલા પણ લેવામાં આવ્યા છે.

ગુજરાતના બોટાદમાં સર્જાયેલા કથિત લઠ્ઠાકાંડમાં  36 લોકોના મોત થયા છે. જેના પગલે સરકાર અને પોલીસ તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં સરકાર દ્વારા આ સમગ્ર ઘટનાની તપાસ માટે એસઆઇટીની રચના કરવામાં આવી છે. જેમાં SITના સભ્યો, એસ.એમ.સીનાં એસપી નિર્લિપ્ત રોય, રેન્જ આઇજી અશોક યાદવ, બોટાદ એસપી કરણરાજસિંહ વાઘેલા સહિતના અધિકારીઓ રોજીદ ગામ પહોંચ્યા છે. એસઆઇટી દ્વારા સમગ્ર ઘટનાની તલસ્પર્શી તપાસ શરૂ કરવામાં આવી છે. તેમજ ઝડપથી સમગ્ર ઘટનાનો અહેવાલ સોંપવામાં આવશે.

IPL Youngest Captain : IPL 2025 નો સૌથી યુવા કેપ્ટન કોણ છે?
રણબીર કપૂરથી 11 વર્ષ નાની છે આલિયા ભટ્ટ, જુઓ ફોટો
દુનિયાની સૌથી મોંઘી વ્હિસ્કી કેવી રીતે બને છે, જાણો કિંમત
યુઝવેન્દ્ર ચહલ વિદેશી ટીમમાં જોડાયો, જુઓ ફોટો
Plant In Pot : ઘરે આ રીતે ગુલાબ ઉગાડશો તો ફૂલોનો થઈ જશે ઢગલો
આજનું રાશિફળ તારીખ : 14-03-2025

આ ઉપરાંત બરવાળામાં સર્જાયેલા ઝેરી દારૂકાંડમાં અત્યાર સુધી 29 લોકોએ જીવ ગુમાવ્યા છે. 29 મૃતકો પૈકી 23 લોકો બોટાદના છે. જ્યારે કે 6 લોકો અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના છે. દારૂકાંડ મામલે કુલ 13 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે જયેશ નામના મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે હવે બોટાદમાં ઝેરી દારૂકાંડ મુદ્દે રાજ્ય સરકારે કમિટીનું  ગઠન કર્યુ છે. કેમિકલના દુરપયોગથી બનેલી ઘટના અંગે સઘન તપાસ થશે. કમિટી યુદ્ધના ધોરણે તપાસ કરશે. તપાસ કર્યા બાદ સમગ્ર રિપોર્ટ રાજ્ય સરકારને આપશે.

ઉચ્ચ અધિકારીઓથી બનેલી કમિટીનું ગઠન

બોટાદ જિલ્લામાં કેમીકલના દુરુપયોગથી બનેલી ઘટનાની સઘન તપાસ અર્થે રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ અધિકારીઓથી બનેલી કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે. ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ આ અંગેની માહિતી આપી છે. આ કમિટી યુદ્ધના ધોરણે ઘટનાની વિગતવાર તપાસ હાથ ધરીને સરકારને સમગ્ર રિપોર્ટ સોંપશે. હર્ષ સંઘવીએ જણાવ્યુ કે,આજથી કમિટીએ તપાસ શરુ કરી દીધી છે. 10 દિવસમાં આરોપીઓ વિરૂદ્ધ ચાર્જશીટ રજૂ કરાશે.

g clip-path="url(#clip0_868_265)">