AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gandhinagar: સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમા OBC સમાજની વસ્તી મુજબ અનામતની કોંગ્રેસે કરી માગ, સરકારની જાહેરાતને અન્યાય સમાન ગણાવી

Gandhinagar: કોંગ્રેસે 27 % OBC અનામતની સરકારની જાહેરાતને સમાજને ગેરમાર્ગે દોરનારી અને અન્યાય સમાન ગણાવી છે. કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ આક્ષેપ કર્યો કે સરકાર ઝવેરી પંચની ભલામણોને ઘોળીને પી ગઈ છે. આ સાથે કોંગ્રેસે OBC સમાજની વસ્તી મુજબ અનામતની માગ કરી છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં યુનિટ પ્રમાણે વસ્તી ગણતરી કરાવી અનામત આપવાની કોંગ્રેસે માગ કરી છે.

Gandhinagar: સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમા OBC સમાજની વસ્તી મુજબ અનામતની કોંગ્રેસે કરી માગ, સરકારની જાહેરાતને અન્યાય સમાન ગણાવી
Narendra Rathod
| Edited By: | Updated on: Aug 29, 2023 | 10:11 PM
Share

Gandhinagar: રાજ્ય સરકારે OBC અનામત અંગેના ઝવેરી પંચની ભલામણો સ્વીકારતી જાહેરાત કર્યા બાદ કોંગ્રેસે OBC સમાજ સાથે અન્યાયનો રાગ આલાપ્યો છે. સુપ્રીમ કોર્ડની ગાઈડલાઇન્સ મુજબ યુનિટ દીઠ જ્યાં જેની જેટલી વસ્તી એટલું અનામત આપવું જોઈએ જો કે ભાજપ સરકારે માત્ર 27 ટકા જ અનામત આપી OBC સમાજ સાથે અન્યાય કર્યો હોવાનું દાવો કોંગ્રેસે કર્યો. સરકારે સ્થાનિક સ્વરાજ્યમાં ઓબીસી અનામતની જાહેરાત કર્યા બાદ પણ કોંગ્રેસ નારાજ છે.

OBC સમાજને ગેરમાર્ગે દોરનાર જાહેરાત ?

કોંગ્રેસના નેજા હેઠળ 22 ઓગષ્ટએ OBC સ્વાભિમાન ધરણા ગાંધીનગરમાં યોજાયા બાદ સ્થાનિક સ્વરાજ્યમાં OBC અનામત અંગેના ઝવેરી પંચની ભલામણોનો સ્વીકાર કર્યો છે. ત્યારે કોંગ્રેસ આ જાહેરાતને OBC સમાજને ગેરમાર્ગે દોરનારી ગણાવી રહી છે. એમનો દાવો છે કે સુપ્રીમ કોર્ટના 2010 અને 2021 ના ચુકાદા પ્રમાણે દરેક રાજ્ય પોતાના વિસ્તારમાં OBCની વસ્તીના આધારે સ્થાનિક સ્વરાજ્યમાં યુનિટ પ્રમાણે અનામત આપે એવું જણાવાયું હતું.

જો કે 2021 માં ચુકાદો આવ્યા બાદ રાજ્યમાં જે ગ્રામ પંચાયતની ચુટણીઓ જાહેર થઇ તેમાં 10 ટકા અનામત રદ કરી ચુંટણીઓ જાહેર કરી હતી. ત્યારબાદ વિરોધ થતા ચૂંટણીઓ રદ થઈ અને સરકારે કે એસ ઝવેરીના વડપણ હેઠળ સમર્પિત આયોગની રચના કરી. હવે જે જાહેરાત કરવામાં આવી છે એમાં પણ OBC સમાજની વસ્તી પ્રમાણે તો અનામત આપવામાં જ નથી આવ્યું. સુપ્રીમ કોર્ટની ગાઇડલાઈનને સરકાર ઘોળીને પી ગઈ છે એવો આક્ષેપ અમિત ચાવડાએ કર્યો.

ઝવેરી પંચનો રિપોર્ટ પબ્લિક ડોમેઈનમાં મુકો: ચાવડા

યુનિટ પ્રમાણે વસ્તી ગણતરી કરાવી અનામત આપવાનો સુપ્રીમ ચુકાદો હતો.  હાલ મહાનગરપાલિકાઓમાં 40 ટકા અને નગરપાલિકા માં 54 ટકા OBC છે. રીપોર્ટની ભલામણ પ્રમાણે અમલ થાય તો અમદાવાદ જેવા શહેરમાં OBC સમાજને 40 ટકા અનામત મળે.

જો કે સરકારે 27 ટકા અનામતની જાહેરાત કરી OBC સમાજ સાથે અન્યાય કર્યો હોવાનું જણાવી કોંગ્રેસ વસ્તી પ્રમાણે અનામત આપવાની માગ કરી. 27 ટકા અનામત કોઇ પણ ભોગે યોગ્ય ના હોવાનું ચાવડાએ જણાવ્યુ ચીમકી પણ ઉચ્ચારી છે કે જો પુરતી અનામત નહીં મળે તો અગામી સમયમાં ઉગ્ર લડત આપવામાં આવશે. કોંગ્રેસ દ્વારા  માંગણી કરવામાં આવી છે કે ઝવેરી કમીશનનો રીપોર્ટ પબ્લીકમાં જાહેર કરવામાં આવે.

ઝવેરી પંચના રિપોર્ટ પર ચર્ચા કરવા કોંગ્રેસનો સરકારને ખુલ્લો પડકાર

કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ જણાવ્યું કે અભ્યાસ કર્યા બાદ કાયદાકીય લડાઇ લડવામાં આવશે. ન્યાયીક, રાજકીય અને જરૂર પડે રસ્તા પર ઉતરી અધિકારીતાની લડાઇ પણ લડવામાં આવશે. કમલમમાં બેસી રાજકીય ફાયદા પ્રમાણેની જાહેરાત કરાઇ છે. OBCને મળવા પાત્ર અનામત ન મળે માટે 27 ટકાની અનામત બાંધવામાં આવી અને લોકોને ગુમરાહ કરવા ફટાકડા ફોડી હાર તોરા કરાઈ રહ્યા છે. ભાજપના નેતાઓને જાહેર મંચ પર ઝવેરી પંચના રીપોર્ટ પર ચર્ચા કરવા આહ્વાન કરું છું.

અગાઉ સ્થાનિક સ્વરાજ્યમાં 10 ટકા અનામત હતું તે સરકારે આદિવાસી પ્રભુત્વ વાળા 61 તાલુકાઓમાં 10 ટકા લેખે જારી રાખ્યું છે. જો કે ત્યાં 10 ટકા OBC પણ નથી ત્યારે કોંગ્રેસનું કહેવું છે કે સરકારે સુરેન્દ્રનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા સહિતના કેટલાક જિલ્લાઓ કે જ્યાં 80 ટકા કરતા પણ વધારે OBC છે તો એ બધી જગ્યાઓ પર વસ્તી પ્રમાણે 50 ટકા થી વધારે અનામત ના થાય એ મુજબ જેની જ્યાં જેટલી વસ્તી એટલું અનામત આપવામાં આવે તો તમામ વર્ગને લાભ થઈ શકે.

આ પણ વાંચો: Chandrayaan 3 Breaking News : ઈસરોને મળી મોટી સફળતા, ચંદ્ર પર ઓક્સિજન હોવાના પૂરાવા મળ્યા

ગાંધીનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">