Gandhinagar: ડુંગળીના તળિયે ગયેલા ભાવ અંગે ભાવનગરના ધારાસભ્ય જીતુ વાઘાણી, ગીતા બા જાડેજા સહિત APMCના હોદ્દેદારોની CM ભૂપેન્દ્ર પટેલને રજૂઆત

ડુંગળીના નીચા ભાવથી ખેડૂતોને થઈ રહેલા નુકસાનથી બચાવવા રાજ્ય સરકારે અગાઉ પણ સહાયની જાહેરાત કરી હતી. જેથી આ વખતે પણ સરકાર જરૂરી નિર્ણય લેશે તેવી એપીએમસીના હોદ્દેદારોએ આશા વ્યક્ત કરી છે. ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ હકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો

Gandhinagar: ડુંગળીના તળિયે ગયેલા ભાવ અંગે ભાવનગરના ધારાસભ્ય જીતુ વાઘાણી, ગીતા બા જાડેજા સહિત APMCના હોદ્દેદારોની CM ભૂપેન્દ્ર પટેલને રજૂઆત
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 27, 2023 | 11:10 PM

કહેવામાં તો એ ગરીબોની કસ્તૂરી છે પણ હાલ ખેડૂતોને રડાવી રહી છે. ડુંગળીના ભાવ એટલા તળિયે બેસી ગયા છે કે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. ડુંગળીના વાવેતર પાછળ ખેડૂતોએ જે ખર્ચ કર્યો હતો તેટલા પણ ભાવ નહીં મળતા આખરે ખેડૂતો સરકારની મદદ માગી રહ્યા છે.  ભાવનગરના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જીતુ વાઘાણીના નેતૃત્વમાં ડુંગળીના ઘટેલા ભાવ સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ રજૂઆતને ખૂબ જ સંવેદના સાથે ગંભીરતાથી સાંભળીને ખેડૂતોને થઈ રહેલા નુકસાનને ધ્યાનમાં લઈને યોગ્ય નિર્ણય લેવા તૈયારી દર્શાવી હતી.

ડુંગળીના ઘટી ગયેલા ભાવ સંદર્ભે ખેડૂતો માટે યોગ્ય નિર્ણય લેવા આજે ભાવનગરના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જીતુ વાઘાણીના નેતૃત્વમાં મહુવા એપીએમસીના ચેરમેન ઘનશ્યામ પટેલ, પાલીતાણાના ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા તથા ગોંડલ એપીએમસીના ચેરમેન અલ્પેશ ઢોલરીયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી હતી.

ડુંગળીના ભાવની રજૂઆત અંગેની બેઠકમાં મહુવાના ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ, ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને તળાજા ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ રજૂઆતને ખૂબ જ સંવેદના સાથે ગંભીરતાથી સાંભળી હતી અને ખેડૂતોને થઈ રહેલા નુકસાનને ધ્યાનમાં લઈને યોગ્ય નિર્ણય લેવા તૈયારી પણ દર્શાવી હતી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ડુંગળીના નીચા ભાવથી ખેડૂતોને થઈ રહેલા નુકસાનથી બચાવવા રાજ્ય સરકારે અગાઉ પણ સહાયની જાહેરાત કરી હતી. જેથી આ વખતે પણ સરકાર જરૂરી નિર્ણય લેશે તેવી એપીએમસીના હોદ્દેદારોએ આશા વ્યક્ત કરી છે. ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ હકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો , જે માટે આગેવાનોએ અને ધારાસભ્યોએ મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો.

સૌરાષ્ટ્રમાં ડુંગળીનું હબ ગણાતા મહુવા માર્કેટ યાર્ડમાં લાલ અને સફેદ ડુંગળીની કુલ 6 લાખથી વધુ આવક થઈ છે. મોટી સંખ્યામાં ખેડૂતો ડુંગળી વેચવા યાર્ડમાં આવ્યા હતા, પરંતુ ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં રોષ ફેલાયો હતો. ડુંગળીના 50થી 90ના આસપાસ ભાવ મળતા ખેડૂતોને મોટાપાયે નુકસાન થઈ રહ્યું છે. મોંઘાભાવના બિયારણ સામે ખેડૂતોનો ખર્ચ પણ નહીં નીકળતા ખેડૂતોએ સરકાર સામે રોષ ઠાલવ્યો હતો.

ગરીબોની કસ્તૂરીએ ખેડૂતોને રડાવ્યા

ડુંગળીના ભાવ એટલા તળિયે બેસી ગયા છે કે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. રાજકોટના રાયડી ગામમાં ડુંગળીના ભાવ નહીં મળવાને કારણે ખેડૂતોએ તૈયાર પાકમાં પશુઓને ચરવા મુકી દીધા છે. રાયડી ગામના એક ખેડૂતે 20 વીઘાના ખેતરમાં ડુંગળીનું વાવેતર કર્યું હતું. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી જે રીતે ડુંગળીના ભાવ તળિયે બેસી ગયા છે, તેને કારણે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. ડુંગળીના વાવેતર સમયે કરેલ ખર્ચ નહીં નીકળતા ખેડૂતો નારાજ છે. ધોરાજી યાર્ડમાં ખેડૂતોને પ્રતિ મણ ડુંગળીના ફક્ત 50થી 60 રૂપિયા મળી રહ્યા છે. જેથી ખેડૂતોને પડતા પર પાટું જેવી સ્થિતિનો સામનો કરવાનો વારો આવ્યો છે.

ડુંગળીના મણ દીઠ ભાવ હાલ માર્કેટમાં 50 રૂપિયા થઈ જતા તાત પરેશાન થઈ ગયો છે. ડુંગળીનો ભાવ કિલો દીઠ બેથી ત્રણ થઈ જતા તાત પાયમાલ થયો છે. ડુંગળીનો વાવણીના ખર્ચ જેટલો પણ ભાવ ખેડૂતોને મળી રહ્યો નથી. જેથી અનેક ખેડૂતો ડુંગળી યાર્ડ સુધી લાવવાને બદલે પશુઓને ખવડાવવા માટે ફેંકવા મજબૂર બન્યા છે. ખેડૂતો રાજ્ય સરકાર પાસે ડુંગળીના પોષણક્ષમ ભાવની માગણી કરી રહ્યાં છે. ઉપરાંત સરકાર તરત જ ડુંગળીની નિકાસના નિયમો હળવા કરે તેવી આશા રાખી રહ્યાં છે.

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">