ગુજરાતમા કોરોનાના કેસમાં ફરી ઉછાળો, નવા 665 કેસ નોંધાયા

ગુજરાતમાં કોરોના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં 05 જુલાઇના રોજ કોરોનાના નવા 572 કેસ નોંધાયા હતા જ્યારે આજે 06 જુલાઇના રોજ કોરોનાના 665 કેસ નોંધાતા તંત્રની ચિંતા વધી છે. જેમાં અમદાવાદ શહેરમાં કોરોનાના નવા 252 કેસ નોંધાયા છે.

ગુજરાતમા કોરોનાના કેસમાં ફરી ઉછાળો, નવા 665 કેસ નોંધાયા
Gujarat Corona Update
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 06, 2022 | 8:48 PM

ગુજરાતમાં (Gujarat)  કોરોના(Corona)  કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં 05 જુલાઇના રોજ કોરોનાના નવા 572 કેસ નોંધાયા હતા જ્યારે આજે 06 જુલાઇના રોજ કોરોનાના 665 કેસ નોંધાતા તંત્રની ચિંતા વધી છે. જેમાં અમદાવાદ શહેરમાં કોરોનાના નવા 252 કેસ નોંધાયા છે.જેમાં સુરતમાં 84, વડોદરામાં 56, ગાંધીનગરમાં 45, વલસાડમાં 28, ગાંધીનગરમાં 27, ભાવનગરમાં 24, નવસારીમાં 22, મહેસાણામાં 20, સુરત જિલ્લામાં 20, કચ્છમાં 13, આણંદમાં 08, મોરબીમાં 08, અમદાવાદ જિલ્લામાં 07, જામનગરમાં 06, પાટણમાં 06, ખેડામાં 05, રાજકોટ જિલ્લામાં 05, રાજકોટમાં 05, ભરૂચમાં 04, ભાવનગરમાં 04, વડોદરા જિલ્લામાં 04, અમરેલીમાં 03, બનાસકાંઠામાં 03, પોરબંદરમાં 02, અરવલ્લીમાં 01, દ્વારકામાં 01, જામનગરમાં 01 અને  સુરેન્દ્રનગરમાં 01  કેસ નોંધાયો છે. તેમજ આજે એક પણ મૃત્યુ નોંધાયું નથી. આ ઉપરાંત રાજયમાં કોરોના એક્ટિવ સંખ્યા 3724 થવા પામી છે. જ્યારે કોરોના રિકવરી  રેટ 98. 81 થયો છે. તેમજ કોરોનાથી 536 દર્દીઓ સાજા થયા છે.

રાજ્ય સરકારની ચિંતા પણ વધારો

જેના લીધે રાજ્ય સરકારની ચિંતા પણ વધારો થયો છે. આ તરફ રાજ્યના આરોગ્ય પ્રધાન પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમજ રાજ્યના અનેક જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ શહેર ફરી એક વાર કોરોનાનું એપીસેન્ટર બની રહ્યું છે. જેના પગલે હાઇકોર્ટ દ્વારા અત્યારથી જ કોરોનાના વધતાં કેસના પગલે સાવચેતી શરૂ કરી છે. તેમજ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ શાળાઓમાં પણ બાળકો માટે માસ્ક ફરજિયાત કરવા પણ જણાવ્યું છે.

હાઈકોર્ટના ચીફ જસ્ટિસે કહ્યું કે કોર્ટ રૂમમાં લોકોનો જમાવડો ટાળવો

ગુજરાતમાં કોરોનાના વધતા કેસને લઈ હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસે કહ્યું કે કોર્ટ રૂમમાં લોકોનો જમાવડો ટાળવો જોઈએ. કોર્ટ રૂમમાં વકીલ, ફરિયાદી કે આરોપી સિવાયના લોકોએ હાજર રહેવાની જરૂર જ નથી. ગુજરાત સરકાર કોરોના નિયમોનો પાલન કરાવે છે ત્યારે લોકોએ પણ વધારે સાવચેતી રાખવાની જરૂર છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

સુરતમાં પણ  કોરોનાના કેસો ફરીથી વધવા લાગ્યા

અમદાવાદ બાદ સુરતમાં પણ  કોરોનાના કેસો ફરીથી વધવા લાગ્યા છે. હાલમાં જે રીતે રોજે રોજે કોરોનાના કેસોમાં વધારો થઇ રહયો છે તેના પરથી ચોથી લહેરનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં વર્તમાન પરિસ્થિતિ એટલે કે કોરોના સંક્ર્મણ પીકઅપ મોડમાં આવી જતા નવી સિવિલ હોસ્પિટલ તંત્ર હરકતમાં આવી ગયું છે.  નવી સિવિલ હોસ્પિટલમાં આવેલ કોવિડ હોસ્પિટલમાં ફરીથી વોર્ડ,ઓપીડી અને સારવારના સાધનો સહીત જરૂરી વ્યવસ્થાઓ સાથે તેને પણ  એક્ટિવ કરી દેવામાં આવી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">