Gandhinagar: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વહેલી સવારે સરઢવ ગામમાં પહોંચી પ્રભાતફેરીમાં જોડાયા

ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) એ ગામમાં નવા RO પ્લાન્ટનું પણ લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત મુખ્યમંત્રીએ ગામના પ્રગતિશીલ ખેડૂતો જેમણે પ્રાકૃતિક ખેતી સફળતા પૂર્વક અપનાવી છે તેમનું પણ સન્માન કર્યું હતું.

Gandhinagar: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વહેલી સવારે સરઢવ ગામમાં પહોંચી પ્રભાતફેરીમાં જોડાયા
Chief Minister Bhupendra Patel reached Sardhav village of Gandhinagar early in the morning and joined the morning procession
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 12, 2022 | 8:40 AM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) ની પ્રેરણાથી દેશમાં થઈ રહેલી આઝાદીના અમૃત મહોત્સવ (Azadi ka Amrut Mahotsav) ની ઉજવણી અન્વયે આજે ગાંધીનગર (Gandhinagar) જિલ્લાના સરઢવ ગામે વહેલી સવારે પહોંચ્યા હતા અને પ્રભાત ફેરીમાં જોડાઈને ગ્રામજનોના જન ઉમંગમાં સહભાગી થયા હતા મુખ્યમંત્રીની આ પહેલને ગ્રામજનોએ વ્યાપક પ્રતિસાદ આપ્યો હતો અને સરઢવના અબાલ વૃદ્ધ સૌ ગ્રામજનો આ પ્રભાત ફેરીમા ઉમટી પડ્યા હતા. મુખ્યમંત્રીએ પ્રભાતફેરી માર્ગમાં લોકો વચ્ચે જઈને તેમની સાથે વાતચીત કરી અભિવાદન ઝીલ્યું હતું. સરઢવ ગામે પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રભાત ફેરીના પ્રારંભ પૂર્વે સરઢવ ગામના અંબાજી માતા મંદિર, રણછોડ રાય મંદિર સહિતના મંદિરોમાં મંગળા આરતી કરી દર્શન અર્ચન કર્યા હતાં.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ આઝાદીના અમૃત મહોત્સવ અન્વયે ગામોમાં પ્રભાત ફેરી,ગામ તળાવ નિર્માણ અને ગામને ગૌરવ અપવનારા ગામના વ્યક્તિ વિશેષ ,નિવૃત ઉચ્ચ અધિકારીઓ, શિક્ષકોના સન્માન, શાળાનો સ્થાપના દિવસ, વૃક્ષારોપણ સહિતના વિવિધ જન વિકાસ કામો લોકભાગીદારીથી આ જન ઉત્સવ અંતર્ગત ઉજવવા માટે જે આહવાન કર્યું છે તેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરઢવના ગ્રામજનો સાથે આજે સાકાર કર્યું છે.

ભૂપેન્દ્ર પટેલે ગામમાં નવા RO પ્લાન્ટનું પણ લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત મુખ્યમંત્રીએ ગામના પ્રગતિશીલ ખેડૂતો જેમણે પ્રાકૃતિક ખેતી સફળતા પૂર્વક અપનાવી છે તેમનું પણ સન્માન કર્યું હતું. બે દિવસ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જૂનાગઢ જિલ્લાના ગાંઠિલામાં આયોજિત ઉમિયા માતા મંદિરના પાટોત્સવમાં વર્ચ્યુઅલ હાજરી આપી હતા ત્યારે તેમણે કરેલાં સંબોધનમાં પણ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવાની અપીલ કરી હતી. મુખ્યમંત્રી સાથે આ અવસરે શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી, ધારાસભ્ય શંભૂજી ઠાકોર, પૂર્વ મંત્રી વાડીભાઈ પટેલ, સરપંચ કિરીટ ભાઈ પટેલ તેમજ ગામના વરિષ્ઠ અગ્રણીઓ, શાળાના છાત્રો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો
હિના ખાનની સાદગી જોઈને ફેન્સ થયા દિવાના, જુઓ ફોટો
IPL 2024: રોહિત શર્માએ 'ડબલ સેન્ચુરી' ફટકારીને રચ્યો ઈતિહાસ

આ પણ વાંચોઃ Surat : સાત વર્ષમાં 4.17 લાખ લોકોએ એફોર્ડેબલ મકાનો ખરીદ્યા, ખાનગી બેંકોએ સરકાર કરતા વધુ સબસિડી ચૂકવી

આ પણ વાંચોઃ કચ્છના દરિયામાંથી ચરસના પેકેટ મળવાનો સિલસિલો યથાવત, જખૌ નજીકથી વધુ ચાર પેકેટ મળ્યાં

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">