AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ખાલી પડેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પેટા ચૂંટણીની તારીખોનું એલાન, 6 ઓગષ્ટે થશે મતદાન અને 8 ઓગષ્ટે આવશે પરિણામ

Gandhinagar: પ્રસંગોપાત ખાલી પડેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પેટાચૂંટણીની તારીખો જાહેર કરી દેવાઈ છે. બે મહાનગરપાલિકાની ત્રણ બેઠક અને અલગ અલગ નગરપાલિકાની 29 બેઠકો માટેની પેટા ચૂંટણી 6 ઓગષ્ટે થશે.

Breaking News: ખાલી પડેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પેટા ચૂંટણીની તારીખોનું એલાન, 6 ઓગષ્ટે થશે મતદાન અને 8 ઓગષ્ટે આવશે પરિણામ
Kinjal Mishra
| Edited By: | Updated on: Jul 10, 2023 | 6:03 PM
Share

Gandhinagar: રાજ્યમાં પ્રસંગોપાત ખાલી પડેલી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ચૂંટણીની તારીખોનુ એલાન કરી દેવાયુ છે. બે મહાનગરપાલિકાની ત્રણ બેઠક અને અલગ અલગ નગરપાલિકાની 29 બેઠક માટે 6 ઓગષ્ટે ચૂંટણી યોજાશે. જેની મતગણતરી 8 ઓગષ્ટે થશે. જો કે હજુ સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી બાકી છે.

આજથી જાહેરનામુ અમલી

તારીખોના એલાનની સાથે આજથી જાહેરનામુ અમલી બન્યુ છે. રાજ્યના ચૂંટણી પંચે આ ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. રાજ્યની બે મહાનગરપાલિકાની ત્રણ બેઠકો અને 18 નગરપાલિકાઓની 29 બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે. જો કે હજુ સ્થાનિક સ્વરાજની સામાન્ય ચૂંટણીઓની તારીખોની જાહેરાત બાકી છે.

22 જુલાઈએ ફોર્મ ભરવાની અંતિમ તારીખ

રાજ્ય ચૂંટણી આયોગે રાજકોટ અને સુરત સહિત નગરપાલિકાઓમાં ચૂંટમી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિયુક્તિ પણ કરી દીધી છે. 17 જૂલાઈથી પેટાચૂંટણી માટેનું જાહેરનામું પ્રસિદ્ધ થશે, ઉમેદવાર માટે 22 જુલાઈએ ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે. 24 જુલાઈએ ઉમેદવારોના ફોર્મની ચકાસણી કરવામાં આવશે અને 25 જુલાઈએ ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ રહેશે.

આ પણ વાંચો : અમદાવાદમાં ભૂવા પડવાનો સીલસીલો યથાવત, જમાલપુરમાં ભૂવા પડવાની ભરમાર, સ્થાનિકોમાં તંત્ર સામે રોષ

18 નગરપાલિકાઓની 29 બેઠકો પર યોજાશે પેટાચૂંટણી

મહાનગરપાલિકાની પેટાચૂંટણી અંતર્ગત સુરતમાં વોર્ડ નંબર 20માં સામાન્ય બેઠક પર પેટાચૂંટણી યોજાશે. જ્યારે રાજકોટમાં વોર્ડ નંબર 15માં અનુસૂચિત જનજાતિ માટેની બેઠક (મહિલા અનામત) પર અને અન્ય સામાન્ય બેઠક પર પેટાચૂંટણી યોજાશે. જ્યારે ભાવનગર, ભરૂચ, નર્મદા, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, અરવલ્લી, અમદાવાદ, આણંદ, પાટણ, મહેસાણા, ખેડા, પંચમહાલ, પોરબંદર, કચ્છ અને ગીરસોમનાથ જિલ્લાની મળીને 29 બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">