Corona Breaking News : આજે ગુજરાતમાં કોરોનાના 301 કેસ નોંધાયા, એક્ટિવ કેસ 1800ને પાર

Corona case today : ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસ 1849 થયા છે. જેમાંથી 1841 દર્દીઓ સ્ટેબલ છે અને 8 દર્દીઓ વેન્ટીલેટર પર છે. આજે રાજ્યમાં કોરોનાથી 149 દર્દીઓ સાજા પણ થયા છે. આજે ગુજરાતમાં 664 નાગરિકોનું રસીકરણ પણ કરવામાં આવ્યું છે.

Corona Breaking News : આજે ગુજરાતમાં કોરોનાના 301 કેસ નોંધાયા, એક્ટિવ કેસ 1800ને પાર
Corona Breaking News
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 27, 2023 | 7:31 PM

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કોરોનામાં કેસમાં વધારો થઈ રહ્યો છે. આજે 27 માર્ચના રોજ ગુજરાતમાં 301 કોરોના કેસ નોંધાયા છે.આજે અમદાવાદમાં 114,મોરબીમાં 27, સુરતમાં 27, વડોદરામાં 26, રાજકોટમાં 19, ગાંધીનગર જિલ્લામાં 18, વડોદરા જિલ્લામાં 16, અમરેલીમાં 12, બનાસકાંઠામાં 6, ભરુચમાં 6, રાજકોટ જિલ્લામાં 6, ગાંધીનગરમાં 4, મહેસાણામાં 4, સુરત જિલ્લામાં 4, સુરેન્દ્રનગરમાં 3, કચ્છમાં 2, પોરબંદરમાં 2, અમદાવાદ જિલ્લામાં 1, આણંદમાં 1, ભાવનગરમાં 1, સાબરકાંઠામાં 1 અને વલસાડમાં 1 કેસ નોંધાયો છે. જ્યારે એક પણ દર્દીનું કોરોનાને કારણે મોત થયું નથી.

ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસ 1849 થયા છે. જેમાંથી 1841 દર્દીઓ સ્ટેબલ છે અને 8 દર્દીઓ વેન્ટીલેટર પર છે. આજે રાજ્યમાં કોરોનાથી 149 દર્દીઓ સાજા પણ થયા છે. આજે ગુજરાતમાં 664 નાગરિકોનું રસીકરણ પણ કરવામાં આવ્યું છે. જણાવી દઈએ કે ગઈકાલે 26 માર્ચના રોજ ગુજરાતમાં 303 કોરોના કેસ નોંધાયા હતા. તે પહેલા 25 માર્ચના રોજ ગુજરાતમાં 402 કોરોના કેસ નોંધાયા હતા.

ICMRની ગાઈડ લાઈન પ્રમાણે જરૂરી પગલા લેવા સૂચના આપવામાં આવી

આ ઉપરાંત, રાજ્યમાં નવા વાયરસ H3N2ના ઝડપી પ્રસારને લઈ આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. H3N2 વાયરસના દર્દીઓમાં તાવ, શરદી, ખાંસી, ગળાની તકલીફ, ઊલટી, કળતર જેવા લક્ષણો જોવા મળી રહ્યાં છે. ત્યારે રાજ્યામાં દવાનો જથ્થો, ટેસ્ટિંગ લેબ, તબીબોની ઉપલબ્ધતા અંગે સમીક્ષા કરવામાં આવી. આ ઉપરાંત કેન્દ્ર સરકારની ICMRની ગાઈડ લાઈન પ્રમાણે જરૂરી પગલા લેવા સૂચના આપવામાં આવી.

Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે

આરોગ્ય મંત્રાલયે કોરોના વાયરસ અને ફ્લૂના ફેલાવાને નિયંત્રિત કરવા માટે એડવાઈઝરી જાહેર કરી છે, અહીં વાંચો…

  1. એડવાઈઝરીમાં મંત્રાલયે લોકોને ભીડભાડવાળા વિસ્તારોમાં જવાનું ટાળવા કહ્યું છે. તેમજ ઓછા વેન્ટિલેટેડ સ્થળોએ જવાનું ટાળવા માટે કહેવામાં આવ્યું છે. ખાસ કરીને બીમાર વ્યક્તિઓ અને વૃદ્ધો માટે ખાસ કાળજી રાખવા માટે કહેવામાં આવ્યું છે.
  2. તબીબો, દર્દીઓ અને ત્યાંના સ્ટાફે તમામ આરોગ્ય કેન્દ્રોમાં માસ્ક પહેરવા પડશે. તેનાથી વાયરસના ફેલાવાને નિયંત્રિત કરી શકાય છે.
  3. મંત્રાલયે કહ્યું છે કે માસ્કનો ઉપયોગ બંધ સ્થળોએ અને જાહેર સ્થળોએ જરૂર કરો.
  4. એડવાઈઝરીમાં મંત્રાલયે લોકોને ખાંસી અને છીંકતી વખતે વધુ સાવચેત રહેવાની સલાહ આપી છે. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે પણ તમને છીંક આવે કે ખાંસી આવે ત્યારે તમારા મોંને સ્વચ્છ રૂમાલ અથવા ટીશ્યુ પેપરથી ઢાંકી લો.
  5. એડવાઈઝરીમાં હાથ સાફ રાખવાનું પણ કહેવામાં આવ્યું છે. એવી સલાહ આપવામાં આવી છે કે જો આ સુવિધા ઉપલબ્ધ ન હોય તો લોકોએ તેમના હાથ વારંવાર ધોવા જોઈએ અને સેનિટાઇઝ કરવાનું ચાલુ રાખવું જોઈએ.
  6. એડવાઈઝરીમાં સાર્વજનિક સ્થળોએ થૂંકનારા લોકોને આવું ન કરવાની પણ સલાહ આપવામાં આવી છે.
  7. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે જો તમને કોરોના વાયરસ અથવા ફ્લૂના પ્રારંભિક લક્ષણો દેખાઈ રહ્યા છે, તો તરત જ તમારી તપાસ કરાવો.
  8. મંત્રાલયે કહ્યું છે કે જો તમે ફ્લૂ અથવા કોરોનાના કોઈપણ લક્ષણોથી પીડિત છો, તો અન્ય લોકોને મળશો નહીં.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">