AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat News: રાજ્યના સાડા ત્રણ લાખ ટ્ર્સ્ટની કામગીરી હવે આંગળીનાં ટેરવે, ચાર કરોડ જેટલા ડૉક્યુમેન્ટસનું ડિજિટલાઇઝેશન કરાયુ

ગાંધીનગર (Gandhinagar)ખાતે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર (CM Bhupendra patel)પટેલ દ્વારા રૂપિયા 22 કરોડના ખર્ચે નિર્માણ પામનારા 8 ચેરિટી ભવનનું ઇ- ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.

Gujarat News: રાજ્યના સાડા ત્રણ લાખ ટ્ર્સ્ટની કામગીરી હવે આંગળીનાં ટેરવે, ચાર કરોડ જેટલા ડૉક્યુમેન્ટસનું ડિજિટલાઇઝેશન કરાયુ
Chief Minister performed e-bhumi pujan
TV9 Gujarati
| Edited By: | Updated on: May 25, 2022 | 4:52 PM
Share

રાજ્યમાં (Gujarat)નોંધાયેલા સાડા ત્રણ લાખ જેટલા ટ્રસ્ટની કામગીરીના નિયમન અને મદદ માટે ચેરિટી તંત્ર (Charity)કામ કરે છે તેની વધુ સારી કામગીરી માટે રાજ્યના 8 જિલ્લાઓમાં 22 કરોડના ખર્ચે નવા ચેરિટી ભવન બનાવવામાં આવશે. આ જિલ્લાઓમાં ગીર સોમનાથના-વેરાવળ, બોટાદ, અરવલ્લીના મોડાસા, સુરેન્દ્રનગર, ભૂજ, લુણાવાડા, હિંમતનગર અને મોરબીનો સમાવેશ થાય છે. ગાંધીનગર (Gandhinagar)ખાતે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર (CM Bhupendra patel)પટેલ દ્વારા રૂપિયા 22 કરોડના ખર્ચે નિર્માણ પામનારા 8 ચેરિટી ભવનનું ઇ- ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.

ઇ -ખાતમુર્હુત  પ્રસંગે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ચેરિટી તંત્રને ચાર કરોડ જેટલા ડૉક્યુમેન્ટસના ડિજિટલાઇઝેશનની  અતિશય ઝીણવટ ભરી અને લાંબી  કામગીરી પૂર્ણ કરવા માટે અભિનંદન પણ પાઠવ્યા હતા. મુખ્ય પ્રધાન  ભૂપેન્દ્ર પટેલે  જણાવ્યું  હતું કે રાજ્યના બધા જ જિલ્લાઓમાં અદ્યતન સુવિધા સભર ચેરિટી ભવનોના નિર્માણથી ટ્રસ્ટના કામ સરળતાએ અને ઝડપી થાય તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે આ રેકર્ડનું ડિજિટલાઇઝેશન થવાથી હવે લોકોને ઘરે બેઠા જ પોતાના ટ્રસ્ટની માહિતી  સચોટ રીતે  મેળવી શકશે.

ચેરિટી ભવનો આધુનિક થવાથી ચેરિટીને લગતી  તમામ  કામગીરી માટે લોકોને અગાઉ જે અલગ-અલગ સ્થળોએ જવું પડતું તેનું પણ નિવારણ આવશે અને એક જ સ્થળે  તમામ વિગતો મળી રહેશે.   તો  કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, રાજ્યમાં આવેલા ધાર્મિક અને સખાવતી ટ્રસ્ટની મિલકતનો સમાજના હિત માટે ઉપયોગ થાય અને વહીવટદારો સુયોગ્ય વહીવટ કરે તેવા ઉમદા હેતુ સાથે રાજ્યના ચેરીટીતંત્રને વધુ સુદ્રઢ બનાવી શકાય છે. આ નવા ચેરિટી કચેરીના ભવન બનવાથી સુવિધામાં વધારો થશે તેમજ નવા કચેરીઓના ભવનોના કારણે લિટીગન્સને પણ સરળતાથી ન્યાય મળી શકશે. તેમજ આધુનિક ભવનો થવાથી ચેરિટીને લગતી કામગીરી માટે લોકોને અગાઉ જે અલગ-અલગ સ્થળોએ જવું પડતું  હતું અને સમય બગડતો હતો  તે સમસ્યા પણ  નિવારી શકાશે.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">