AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ગુજરાતમાં ભારે વાવાઝોડાની સંભાવના, જામનગરની 400થી વધુ બોટ પરત બોલાવાઈ, માછીમારી પર પ્રતિબંધ

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે 22 મેથી 1 જૂન સુધી રાજ્યમાં સંભવિત વાવાઝોડાની આશંકા કરવામાં આવી છે. ત્યારે સલામતીના ભાગરુપે તમામ બોટો દરિયામાંથી પરત બોલાવાઈ છે.

Breaking News : ગુજરાતમાં ભારે વાવાઝોડાની સંભાવના, જામનગરની 400થી વધુ બોટ પરત બોલાવાઈ, માછીમારી પર પ્રતિબંધ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 21, 2025 | 1:56 PM

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે 22 મેથી 1 જૂન સુધી રાજ્યમાં સંભવિત વાવાઝોડાની આશંકા કરવામાં આવી છે. ત્યારે સલામતીના ભાગરુપે તમામ બોટો દરિયામાંથી પરત બોલાવાઈ છે. આ સાથે જ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે.

જામનગરના બેડી બંદરેથી લગભગ 400 બોટો પરત ફરી છે. રાજ્યના તમામ બંદરો પરથી માછીમારીની બોટો પરત બોલાવાઈ છે. માછીમારી પર અસ્થાયી પ્રતિબંધ લગાવાયો છે. નવા ટોકન ઇશ્યૂ પર પણ રોક લગાવાઈ છે. બોટો પરત ફરતા માછીમારોને ભારે આર્થિક નુકસાનનો સામનો કરવો પડ્યો છે. રાજ્યભરના બંદરો પરથી માછીમારો કિનારા પર પરત આવ્યા છે.

દુનિયાનો આ દેશ, જ્યાં મંગળવાર અને શુક્રવારે નથી થતા લગ્નો ! જાણો કેમ?
પંડિત અને બ્રાહ્મણ વચ્ચે શું તફાવત છે?
Vastu tips: ઘર બનાવતી વખતે નવા દરવાજા પર શું બાંધવામાં આવે છે?
સવાર-સવારમાં કબૂતરને જોવું કઈ વાતનો સંકેત આપે છે?
Health Tips : પિરામિડ વોક કરવાથી થાય છે અઢળક ફાયદા, જાણો આ શું છે
આજનું રાશિફળ તારીખ : 08-07-2025

22 મે સુધીમાં લો-પ્રેશરમાં ફેરવાશે સિસ્ટમ

અરબી સમુદ્રમાં હવામાને નવું સ્વરૂપ ધારણ કર્યુ છે..હવામાન વિભાગનું કહેવું છે કે 21 મેની આસપાસ એટલે કે આજે એક ચક્રવાતી સિસ્ટમ બની શકે છે, જે 22 મે સુધીમાં લો-પ્રેશરમાં ફેરવાઈ શકે છે. આનો અર્થ એ કે ગુજરાતના દરિયાકાંઠે, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં, ભારે વરસાદ અને તોફાની પવનનો સામનો કરવો પડી શકે છે. આનાથી ખેડૂતોના પાક, માછીમારોની રોજગારી અને બજારમાં ખરીદી-વેચાણ પર મોટી અસર થઈ શકે છે.

ગુજરાતમાં છેલ્લા 15 દિવસથી માવઠાએ ખેડૂતોને પરેશાન કર્યા છે, અને હવે આ વાવાઝોડું તેમની ચિંતા વધારી શકે છે. બજારોમાં ખરીદી ઘટી શકે છે, અને માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે. જેનાથી માછીમારોમાં ચિંતા વધી છે.

છેલ્લા 24 કલાકમાં 29થી વધારે તાલુકામાં પડ્યો વરસાદ

હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતભરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 29થી વધારે તાલુકામાં વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ વિસાવદરમાં 2.44 ઈંચ વરસાદ વરસ્યો છે. કોટડાસંગાણીમાં 1.85 ઈંચ વરસાદ નોંધાયો છે. અમરેલીના કુકાવાવમાં 1.61 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ગોંડલમાં 1.57 ઈંચ વરસાદ નોંધાયો છે. કુલ 9 સ્થળોએ 1 થી વધુ ઈંચ વરસાદ પડ્યો છે.

સામાન્ય રીતે રોજબરોજના તાપમાનને હવામાન કહેવાય છે. જ્યારે આબોહવામાં થતા ફેરફારને પણ આપણે હવામાન તરીકે ઓળખીએ છે. ભારતમાં શિયાળો, ઉનાળો અને ચોમાસુ આ રીતે ત્રણ પ્રકારની ઋતુઓ હોય છે. ઋતુઓને લગતા અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..

g clip-path="url(#clip0_868_265)">