AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ગુજરાતમાં ભારે વાવાઝોડાની સંભાવના, જામનગરની 400થી વધુ બોટ પરત બોલાવાઈ, માછીમારી પર પ્રતિબંધ

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે 22 મેથી 1 જૂન સુધી રાજ્યમાં સંભવિત વાવાઝોડાની આશંકા કરવામાં આવી છે. ત્યારે સલામતીના ભાગરુપે તમામ બોટો દરિયામાંથી પરત બોલાવાઈ છે.

Breaking News : ગુજરાતમાં ભારે વાવાઝોડાની સંભાવના, જામનગરની 400થી વધુ બોટ પરત બોલાવાઈ, માછીમારી પર પ્રતિબંધ
TV9 Gujarati
| Edited By: | Updated on: May 21, 2025 | 1:56 PM
Share

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે 22 મેથી 1 જૂન સુધી રાજ્યમાં સંભવિત વાવાઝોડાની આશંકા કરવામાં આવી છે. ત્યારે સલામતીના ભાગરુપે તમામ બોટો દરિયામાંથી પરત બોલાવાઈ છે. આ સાથે જ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે.

જામનગરના બેડી બંદરેથી લગભગ 400 બોટો પરત ફરી છે. રાજ્યના તમામ બંદરો પરથી માછીમારીની બોટો પરત બોલાવાઈ છે. માછીમારી પર અસ્થાયી પ્રતિબંધ લગાવાયો છે. નવા ટોકન ઇશ્યૂ પર પણ રોક લગાવાઈ છે. બોટો પરત ફરતા માછીમારોને ભારે આર્થિક નુકસાનનો સામનો કરવો પડ્યો છે. રાજ્યભરના બંદરો પરથી માછીમારો કિનારા પર પરત આવ્યા છે.

22 મે સુધીમાં લો-પ્રેશરમાં ફેરવાશે સિસ્ટમ

અરબી સમુદ્રમાં હવામાને નવું સ્વરૂપ ધારણ કર્યુ છે..હવામાન વિભાગનું કહેવું છે કે 21 મેની આસપાસ એટલે કે આજે એક ચક્રવાતી સિસ્ટમ બની શકે છે, જે 22 મે સુધીમાં લો-પ્રેશરમાં ફેરવાઈ શકે છે. આનો અર્થ એ કે ગુજરાતના દરિયાકાંઠે, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં, ભારે વરસાદ અને તોફાની પવનનો સામનો કરવો પડી શકે છે. આનાથી ખેડૂતોના પાક, માછીમારોની રોજગારી અને બજારમાં ખરીદી-વેચાણ પર મોટી અસર થઈ શકે છે.

ગુજરાતમાં છેલ્લા 15 દિવસથી માવઠાએ ખેડૂતોને પરેશાન કર્યા છે, અને હવે આ વાવાઝોડું તેમની ચિંતા વધારી શકે છે. બજારોમાં ખરીદી ઘટી શકે છે, અને માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે. જેનાથી માછીમારોમાં ચિંતા વધી છે.

છેલ્લા 24 કલાકમાં 29થી વધારે તાલુકામાં પડ્યો વરસાદ

હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતભરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 29થી વધારે તાલુકામાં વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ વિસાવદરમાં 2.44 ઈંચ વરસાદ વરસ્યો છે. કોટડાસંગાણીમાં 1.85 ઈંચ વરસાદ નોંધાયો છે. અમરેલીના કુકાવાવમાં 1.61 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ગોંડલમાં 1.57 ઈંચ વરસાદ નોંધાયો છે. કુલ 9 સ્થળોએ 1 થી વધુ ઈંચ વરસાદ પડ્યો છે.

સામાન્ય રીતે રોજબરોજના તાપમાનને હવામાન કહેવાય છે. જ્યારે આબોહવામાં થતા ફેરફારને પણ આપણે હવામાન તરીકે ઓળખીએ છે. ભારતમાં શિયાળો, ઉનાળો અને ચોમાસુ આ રીતે ત્રણ પ્રકારની ઋતુઓ હોય છે. ઋતુઓને લગતા અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..

SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">