AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AHMEDABAD : DyCM નીતિન પટેલે કહ્યું ઝવેરચંદ મેઘાણીએ આઝાદીની લડત વખતે તેમના સાહિત્ય થકી અમૂલ્ય યોગદાન આપ્યું

125th birth anniversary of Zaverchand Meghani : નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મ જયંતીનો આજ 28 ઓગષ્ટથી શુભારંભ થઈ રહ્યો છે, જે સમગ્ર વર્ષ દરમિયાન આખા રાજ્યમાં ઉજવાશે.

AHMEDABAD : DyCM નીતિન પટેલે કહ્યું ઝવેરચંદ મેઘાણીએ આઝાદીની લડત વખતે તેમના સાહિત્ય થકી અમૂલ્ય યોગદાન આપ્યું
DyCM Nitin Patel says Zaverchand Meghani made invaluable contribution through his literature during the freedom struggle
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 28, 2021 | 3:07 PM
Share

AHMEDABAD : રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતી પ્રસંગે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે ડો.બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટી ખાતે આયોજિત કસુંબીનો રંગ-ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મ જયંતીનો આજ 28 ઓગષ્ટથી શુભારંભ થઈ રહ્યો છે, જે સમગ્ર વર્ષ દરમિયાન આખા રાજ્યમાં ઉજવાશે. તેમણે ઉમેર્યું હતું કે, સમગ્ર રાજ્યની શાળા-કોલેજોમાં આ ઉત્સવની ઉજવણી થકી યુવાનોમાં રાષ્ટ્રભક્તિનો ભાવ જાગૃત કરવાના પ્રયાસો કરવામાં આવશે.

આઝાદીની લડત વખતે સાહિત્ય થકી અમૂલ્ય યોગદાન આપ્યું નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આઝાદીની લડતનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, ઝવેરચંદ મેઘાણીએ આઝાદીની લડત વખતે તેમના સાહિત્ય થકી અમૂલ્ય યોગદાન આપ્યું હતું અને આબાલવૃદ્ધ સૌ કોઈમાં તેમની કલમ દ્વારા આઝાદીની લડતનું જોમ પેદા કર્યુ હતુ.તેમણે પ્રજાને અપીલ કરતાં કહ્યું કે, ઝવેરચંદ મેઘાણીની કલમમાં ખુમારી, વિદ્વતા અને જોશ જોવા મળે છે અને તેથી આ ઉત્તમ સાહિત્યના અમૂલ્ય વારસાને જાળવી રાખવાની આપણા સૌ કોઈની ફરજ છે.

ગુજરાતે હંમેશા દેશની પ્રગતિ અને વિકાસમાં ફાળો આપ્યો નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આ અવસરે ગુજરાતમાં કળા-સંસ્કૃતિ અને વિવિધ ક્ષેત્રોમાં પોતાનું બહુમૂલ્ય યોગદાન આપનારા મહાનુભાવોનું સ્મરણ કરતાં કહ્યું કે, ગુજરાતે હંમેશા દેશની પ્રગતિ અને વિકાસમાં પોતાના ફાળો આપ્યો છે અને મહાન સાહિત્યકારો, ચિત્રકારો, નેતાઓ અને સંગીતકારો તેમ જ વૈજ્ઞાનિકોની દેશને ભેટ ધરી છે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું કે, આપણા લોકડાયરા, લોકકથા, લોકગીતો જેવા પરંપરાગત માધ્યમો દ્વારા આપણી સંસ્કૃતિનું જતન અને સંવર્ધન થઈ રહ્યું છે, તે આપણા સૌ માટે આનંદ અને ગૌરવની વાત છે.

આપણા વડવાઓએ આપણને અમૂલ્ય વિરાસત આપી છે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું કે ભારત એ દુનિયાની સૌથી મોટી લોકશાહી છે. અને આ રાષ્ટ્રએ અનેક ચડાવ-ઉતાર જોયા છે. પણ આ બધાની વચ્ચે પણ રાષ્ટ્ર સતત ઉન્નતિના શિખરો સર કરતું રહ્યુ છે. તેમણે ગૌરવભેર કહ્યું કે, ભારતની પ્રગતિના મૂળમાં ભારતીય સંસ્કૃતિના મૂલ્યો રહેલા છે.

તેમણે ભારતને મળેલા બહુમૂલ્ય વારસાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આપણા વડવાઓએ આપણને અમૂલ્ય વિરાસત આપી છે. આ વિરાસતને ભાવિ પેઢી સુધી પહોંચાડવાની આપણા સૌની નૈતિક ફરજ છે. આ અવસરે તેમણે યુવાનોને રાષ્ટ્રના ઘડવૈયાઓની જીવનમાંથી પ્રેરણા લેવાનું પણ આહવાન કર્યું હતું.

આ કાર્યક્રમમાં GTU ના કુલપતિ નવીન શેઠ, કુલસચિવ કે.એન.ખેર, આંબેડકર ઓપન યુનિવર્સિટીના કુલસચિવ અમી ઉપાધ્યાય, અમદાવાદ જિલ્લા શકલેકટર સંદિપ સાગલે, જિલ્લા વિકાસ અધિકારી અનિલ ધામેલિયા સહીતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">