AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તલાક માગી રહેલી પત્નીને મનાવવા આરોપીએ માગ્યા જામીન, અમદાવાદની કોર્ટે અરજી ફગાવી

જમ્મુકાશ્મીરના એક શખ્સની પોલીસે ધરપકડ કરી હતી અને હાલ તે NIAની કસ્ટ઼ડીમાં છે. આ શખ્સ પર ડ્રગ્સની તસ્કરીનો આરોપ છે. તેણે જેલમાંથી બહાર આવવા માટે 30 દિવસની પેરોલ માગી અને તેના માટે છૂટાછેડા માગી રહેલી પત્નીને મનાવવાનું કારણ ધર્યુ હતુ,

તલાક માગી રહેલી પત્નીને મનાવવા આરોપીએ માગ્યા જામીન, અમદાવાદની કોર્ટે અરજી ફગાવી
| Updated on: Jan 02, 2026 | 2:14 PM
Share

અમદાવાદમાં NIAની વિશેષ કોર્ટે 500 કિલોગ્રામ હેરોઈનની દાણચોરીના કેસમાં આરોપી એક વ્યક્તિની અસ્થાયી જામીન યાચિકા ફગાવી દીધી છે. આરોપીએ તેની પત્નીને છૂટાછેડા ન લેવા માટે સમજાવવા માટે 30 દિવસના જામીન માગ્યા હતા. ગુજરાત ATS એ ઓક્ટોબર 2018 માં, જમ્મુ-કાશ્મીરથી મંજૂર અહમદ મીરની 500 કિલોગ્રામ હેરોઈન જપ્ત કરવા મામલે ધરપકડ કરી હતી. આરોપ છે કે હેરોઈન પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે ભારતમાં દાણચોરી કરીને મોકલાયુ . આ માલ ભારતીય સાગર સીમામાં નાગની મુસ્તફા નામના ભારતીય જહાજને સોંપવામાં આવ્યો હતો.

મીરની અરજીમાં જણાવાયું હતું કે અરજદાર તેની પત્નીનું ભરણપોષણ કરવામાં અસમર્થ હોવાથી, તેની પત્નીએ બદલો લેવા માટે છૂટાછેડા માટે અરજી કરી હતી. અરજદાર તેની પત્નીને છૂટાછેડા ન લેવા માટે સમજાવવા માંગતો હતો.

NIA એ શું કહ્યું ?

મીરે અરજીમાં જણાવ્યું હતું કે તેની દાણચોરીના માલમાં કોઈ સંડોવણી નથી અને તે ફક્ત ફળો, શાકભાજી, કાર્પેટ અને શૉલનો વેપાર કરે છે. NIA એ મીરની જામીન અરજીનો વિરોધ કરતા કહ્યું હતું કે ઓક્ટોબરમાં દાખલ કરાયેલી તેની અગાઉની જામીન અરજીમાં મીરે તેની પત્નીની છૂટાછેડા અરજીનો મુદ્દો ઉઠાવ્યો હતો, પરંતુ કોર્ટે તેની અરજી ફગાવી દીધી હતી.

જમ્મુ અને કાશ્મીર પોલીસે સોંપ્યો રિપોર્ટ

જોકે, જ્યારે મુસ્તફાએ પહેલી જામીન અરજી ફગાવી દીધા પછી બીજી જામીન અરજી દાખલ કરી, ત્યારે કોર્ટે પોલીસ ચકાસણીનો આદેશ આપ્યો, અને જમ્મુ અને કાશ્મીરના બીરવાહ પોલીસ સ્ટેશનના અહેવાલમાં પુષ્ટિ મળી કે મીરની ધરપકડ પછી તેની પત્ની સાસરિયાઓનું ઘર છોડી ગઈ હતી.

કોર્ટે શું કહ્યું ?

NIA એ એવું પણ સૂચવ્યું હતું કે મીર વિડીયો કોન્ફરન્સ દ્વારા અથવા તેની માતા, મામા અથવા બહેનો દ્વારા છૂટાછેડાની અરજીનો વિરોધ કરી શકે છે. તપાસ એજન્સીએ તેની મુક્તિની માગનો સખત વિરોધ કર્યો હતો, જેનો હેતુ તેની પત્નીને છૂટાછેડા પાછી ખેંચવા માટે સમજાવવાનો હતો.

એનઆઈએએ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ (NDPS) ની કલમ 37 હેઠળ કડક જામીન જોગવાઈઓ પર ભાર મૂક્યો. દલીલો સાંભળ્યા પછી, કોર્ટે જણાવ્યું કે એનડીપીએસ એક્ટની કલમ 37 ની જોગવાઈઓ અને ખાસ કરીને તેમાં ઉલ્લેખિત બે શરતોને ધ્યાનમાં લેતા, અરજદારને એક દિવસ માટે પણ કામચલાઉ જામીન આપી શકાતા નથી… અરજી પર વિચાર કરવા માટે પૂરતા કારણો ન હોવાથી, હાલની અરજી ફગાવી દેવી જરૂરી છે.

પાકિસ્તાની મૂળનો એ ‘કુખ્યાત ક્રિકેટર’, જેણે ઓસ્ટ્રેલિયાની ટીમમાં રહીને કર્યા અનેક મોટા કૌભાંડ

કમોસમી વરસાદ ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવી લેશે !
કમોસમી વરસાદ ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવી લેશે !
સીએમ ભૂપેન્દ્ર પટેલ દિલ્હી દોડી જતા, રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચા
સીએમ ભૂપેન્દ્ર પટેલ દિલ્હી દોડી જતા, રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચા
Surat : માંડવી ધર્માંતરણ મામલે વધુ એક શિક્ષકની ધરપકડ
Surat : માંડવી ધર્માંતરણ મામલે વધુ એક શિક્ષકની ધરપકડ
ખૂબ જ અદભૂત નજારો...હિમવર્ષાથી ચારેબાજુ બરફની સફેદ ચાદર છવાઈ
ખૂબ જ અદભૂત નજારો...હિમવર્ષાથી ચારેબાજુ બરફની સફેદ ચાદર છવાઈ
આ રાશિના લોકોએ પૈસા ઉધાર આપું નહીં અને લેવું નહીં
આ રાશિના લોકોએ પૈસા ઉધાર આપું નહીં અને લેવું નહીં
હોટેલમાં દારૂ માણતા 9 નબીરાઓ ઝડપાયા – 1.96 લાખનો મુદ્દામાલ જપ્ત
હોટેલમાં દારૂ માણતા 9 નબીરાઓ ઝડપાયા – 1.96 લાખનો મુદ્દામાલ જપ્ત
બગદાણા માર મારી વીડિયો બનાવવાનો કેસઃMLA હિરા સોલંકીની રજૂઆત, PIની બદલી
બગદાણા માર મારી વીડિયો બનાવવાનો કેસઃMLA હિરા સોલંકીની રજૂઆત, PIની બદલી
પતિના અત્યાચાર સામે મહિલાનો અનોખો પ્રતિકાર
પતિના અત્યાચાર સામે મહિલાનો અનોખો પ્રતિકાર
પાવાગઢમાં માઇભક્તો ભક્તિના રંગમાં રંગાયા, જયઘોષથી ગુંજ્યું શક્તિપીઠ
પાવાગઢમાં માઇભક્તો ભક્તિના રંગમાં રંગાયા, જયઘોષથી ગુંજ્યું શક્તિપીઠ
ST ભાડામાં વધારો, મુસાફરો પર બોજ, ભાડામાં 3% વધારો લાગુ
ST ભાડામાં વધારો, મુસાફરો પર બોજ, ભાડામાં 3% વધારો લાગુ
g clip-path="url(#clip0_868_265)">