KUTCHમાં થયેલા આ સંશોધન વિશે શું તમે જાણો છો ? દોઢ લાખ રૂપિયે કિલોમાં વેચાય છે હિમાલયન ગોલ્ડ મશરૂમ!

KUTCH : ગુજરાત ઇન્સ્ટિટયૂટ ઓફ ડેઝર્ટ ઇકોલોજી-‘ગાઈડ’ ભુજએ હિમાચલ પ્રદેશ જેવા ઠંડા પ્રદેશમાં ઉગતી ‘હિમાલયન ગોલ્ડ’ નામથી પ્રચલિત ઔષધીય મશરૂમની જાત કચ્છમાં ઉગાડી બતાવી છે.

KUTCHમાં થયેલા આ સંશોધન વિશે શું તમે જાણો છો ? દોઢ લાખ રૂપિયે કિલોમાં વેચાય છે હિમાલયન ગોલ્ડ મશરૂમ!
Follow Us:
Jay Dave
| Edited By: | Updated on: May 24, 2021 | 8:43 PM

KUTCH : ગુજરાત ઇન્સ્ટિટયૂટ ઓફ ડેઝર્ટ ઇકોલોજી-‘ગાઈડ’ ભુજએ હિમાચલ પ્રદેશ જેવા ઠંડા પ્રદેશમાં ઉગતી ‘હિમાલયન ગોલ્ડ’ નામથી પ્રચલિત ઔષધીય મશરૂમની જાત કચ્છમાં ઉગાડી બતાવી છે. જેનો બજાર ભાવ કીલોના લગભગ રૂપિયા દોઢ લાખ જેટલો છે. આમ, ‘ગાઈડ’ સંસ્થાએ એક નવીન પ્રયોગ કરીને સાર્થક કરી બતાવ્યું છે કે, કચ્છની ભૂમિ અને હવામાન ખરેખર અપાર વૈવિધ્ય ધરાવે છે.

કચ્છ હંમેશાથી સુકો મલક કે રણપ્રદેશ તરીકે ઓળખાતો આવ્યો છે. પરંતુ અહીંના પ્રયોગશીલ ખેડૂતોએ કેટલાક અશક્ય પાક કચ્છમાં ઉગાડી બતાવ્યા છે. અગાઉ પણ સ્ટ્રોબેરી તેમજ ડ્રેગનફ્રુટ જેવા ફળ અહીંના ખેડૂતોએ ઉગાડી બતાવ્યા છે. ત્યારે ઔષધીય દુનિયામાં કલ્પતરૂ ગણાતું આ મશરૂમ ભુજની ‘ગાઈડ’ સંસ્થાએ અહીં ઉગાડી બતાવ્યું છે. હાલ ‘ગાઈડે’ મશરૂમના ક્ષેત્રે ખાસ કરીને કચ્છમાં નવી ક્રાંતિ સર્જી છે.

કોઈ કલ્પના પણ ન કરી શકે કે હિમાચલ પ્રદેશ જેવા ઠંડા પ્રદેશમાં જ ઉગતી આ કોર્ડિસેપ્સ મિલિટરીસ નામની મશરૂમની પ્રજાતિ કચ્છમાં પણ વિકસાવી શકાય. જયારે ગાઈડ સંસ્થાએ તો આ સાર્થક કરી બતાવ્યું છે. વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો.કે કાર્તિનયન અને જી.જયંતિએ, ડાયરેક્ટર ડો.વી.વિજયકુમાર ના નેતૃત્વ હેઠળ અનેક સંશોધનો કર્યા. જેમાં ૩ માસ જેટલા સમયમાં ૩૫ જેટલી કાચની બરણીમાં લેબમાં જ ૧૭ ડિગ્રી જેટલા નીચા તાપમાને યોગ્ય વાતાવરણમાં કોર્ડિસેપ્સ મિલિટરીસ નામની ઔષધીય મશરૂમ ઉગાડવાનો પ્રયોગ કર્યો. અને તેમનો આ પ્રયોગ સફળ બન્યો.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

કચ્છમાં વિવિધ વીટામીન સભર તેમજ અનેક રોગોને જડમૂળથી દૂર કરતી આ મશરૂમ ઉગાડી શકાઇ. આ મશરૂમ એન્ટી-બેક્ટેરિયલ, એન્ટી-ફંગલ તેમજ એન્ટી-કેન્સર તરીકે ખૂબ જ અકસીર છે. ઉપરાંત વીટામીન બી-૧ અને બી-૧૨ તેમજ અન્ય પ્રોટીનથી પણ સભર છે તો, મેલેરીયા તેમજ ડેન્ગ્યૂમાં પણ તે અસરકારક છે તેવું અગાઉના મેડિકલ રિસર્ચ ઇસમાન સાબિત કરી ચૂક્યું છે.

હાલ કોરોનાના કારણે ઇમ્યુનિટી સિસ્ટમની ચર્ચા પણ ખુબ થઈ રહી છે. ત્યારે ઇમ્યુનિટી બુસ્ટર તરીકે પણ તે બેસ્ટ હોવાના અણસાર દેખાયા છે. જોકે, હાલ કોવિડ પરિસ્થિતિના કારણે તે પરીક્ષણ શક્ય બની શક્યું નથી.આ મશરૂમ બ્રેસ્ટ કેન્સર વિરોધી તત્વો ધરાવે છે તે અંગે જરૂરી સંશોધન કરવા માટે નિરમા યુનિવર્સિટી સાથે સંકલનમાં રહી પરીક્ષણ કરવામાં આવ્યું છે.

પ્રાણીઓ પર કરાયેલા આ પરીક્ષણના પ્રાથમિક તારણો પરથી જાણવા મળી રહ્યું છે કે આ મશરૂમ બ્રેસ્ટ કેન્સરને નિયંત્રિત કે નાબૂદ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.જ્યારે ‘ગાઈડે’ તેના માનવીય પરીક્ષણ માટે પણ સત્તાવાર મંજૂરી માંગી છે. ભુજ ખાતે છેલ્લા ૨૫ વર્ષથી ‘ગાઈડ’ કાર્યરત છે અને આ વર્ષોમાં અનેક સંશોધનો કરી કચ્છમાં નવીન પ્રયોગો કર્યા છે.

છેલ્લા પાંચ વર્ષથી ‘ગાઈડ’ દ્વારા મશરૂમ અંગે અનેક સંશોધનો કરવામાં આવ્યા છે. તથા મશરૂમની નવી-નવી પ્રજાતિઓ કચ્છમાં વિકસાવી છે તથા આ મશરૂમ અંગે વિદ્યાર્થીઓ,સ્થાનિક લોકો તેમજ ખેડૂતોને મશરૂમ કેવી રીતે ઉગાડવું, કેમ તેનું સંવર્ધન કરવું વગેરે બાબતે તાલીમ પણ ‘ગાઈડ’ આપે છે. જેથી તેઓ આ અનેક ગુણધર્મોથી યુક્ત મશરૂમ આહારમાં લઈ શકે અને બજારમાં પણ વેચી શકે. આમ અનેક લોકોને ખરા અર્થમાં પગભર કરી આત્મનિર્ભર બનાવી રહી છે ‘ગાઈડ’ !

Latest News Updates

દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
g clip-path="url(#clip0_868_265)">