Devbhumi Dwarka: પ્રાકૃતિક ખેતીના માધ્યમથી શાકભાજી ઉગાડતા હાપીવાડી ગામના ખેડુત

મહેન્દ્ર કણજારીયા છેલ્લા 4 વર્ષથી પ્રાકૃતિક ખેતી (Agriculture)કરી રહ્યા છે. સાડા ચાર વિઘા જમીનમાં શાકભાજી અને મગફળીનુ પ્રાકૃતિક રીતે વાવેતર કરે છે.

Devbhumi Dwarka: પ્રાકૃતિક ખેતીના માધ્યમથી શાકભાજી ઉગાડતા હાપીવાડી ગામના ખેડુત
પ્રાકૃતિક ખેતીના માધ્યમથી શાકભાજી ઉગાડતા હાપીવાડી ગામના ખેડુત
Follow Us:
Divyesh Vayeda
| Edited By: | Updated on: Jun 24, 2022 | 9:47 AM

Devbhumi Dwarka:ભારત દેશ સદીઓથી ખેતી (Agriculture)સાથે સંકળાયેલો દેશ છે. આજનો યુગ ટેકનોલોજીનો યુગ છે અને આજના આ ટેકનોલોજીના યુગમાં ખેડુતો (Farmers) આધુનિક ટેક્નોલોજી અપનાવવાની સાથે સાથે પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. રસાયણોથી દુર રહી કુદરતી પાકનુ ઉત્પાદન કરી ગ્રાહકો સુધી પહોંચાડી કમાણી કરી રહ્યા છે. ખંભાળીયા તાલુકાના હાપીવાડી ગામના ખેડુત મહેન્દ્રભાઇ કણજારીયા પ્રાકૃતિક ખેતી કરી શાકભાજીનુ વાવેતર કરી આર્થિક રીતે પગભર બન્યા છે.

મહેન્દ્ર કણજારીયા છેલ્લા 4 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. સાડા ચાર વિઘા જમીનમાં શાકભાજી અને મગફળીનુ પ્રાકૃતિક રીતે વાવેતર કરે છે. શીયાળુ અને ચોમાસુ એમ બે ઋતુ દરમિયાન પાક લઇ વર્ષે બેથી અઢી લાખની કમાણી કરી રહ્યા છે. પહેલા રસાયણના ઉપયોગથી ખેતી કરતા હતો. આ પ્રકારની ખેતીથી જમીન અને આરોગ્ય બંનેને નુકશાન પહોંચી રહ્યુ હતુ. જેથી પ્રાકૃતિક ખેતી તરફ વળવાનો વિચાર આવ્યો અને એ જ વિચારને અમલી બનાવ્યો.

પ્રાકૃતિક ખેતીની સાથે સાથે કુદરતી ખાતર જીવામૃત, પંચગવ્ય પણ જાતે જ બનાવે છે. જેથી વધુ પ્રમાણમાં ખર્ચ થતો નથી. જીવામૃત અને પંચગવ્ય જેવા કુદરતી ખાતર બનાવતી વખતે ઉપયોગમાં લેવામાં આવતા ગાયના છાણ અને ગૌમુત્રથી જમીનની અંદર શુષુપ્ત અવસ્થામાં રહેલા અળશિયા જમીનના ઉપરના સ્થળ પર આવી જાય છે અને જમીનને વધુ ફળદ્રુપ બનાવે છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

પ્રાકૃતિક રીતે ઉગાડેલા આ શાકભાજી જામનગર અને ખંભાળિયામાં વેચાણ કરીને સારી આવક મેળવે છે. આ ઉપરાંત આ જ રીતથી બટાકાનુ વાવેતર પણ કર્યુ હતું ૨૫૦ કિલો બટાકા વાવ્યા હતા તેમાં પણ ખેડુતને સારો ફાયદો થયો હતો. અન્ય ખેડુતોને પણ પ્રાકૃતિક ખેતી તરફ વળવા અંગે અનુરોધ કરે છે.

ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા ખેડુતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા આહવાન કરવામાં આવ્યુ હતું. આ ઉપરાંત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા પણ ખેડુતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા જરૂરી માર્ગદર્શન પુરુ પાડવામાં આવી રહ્યુ છે. ખેડુતો પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી મંડળીઓની રચના કરવા પર વિશેષ ભાર મુકવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકારના સહકાર વિભાગ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાને ૧૦ પ્રાકૃતિક ખેતી મંડળીઓની રચના કરવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો જે પૈકી ૪ મંડળીઓની રચના કરી દેવામાં આવી છે.

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">