AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દાહોદ : PMના કાર્યક્રમને લઇ સરકારી તંત્ર તૈયારીઓમાં જોતરાયુ, 2000 કરોડથી વધુના વિકાસ કાર્યનુ લોકાર્પણ અને ખાતમુહૂર્ત

દાહોદ જીલ્લાની મુલાકાતે ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 20 એપ્રિલના રોજ ડોકી ખાતે આદિવાસી સમાજના સંમેલનમાં ઉપસ્થિત રહેવાના છે. જેના પગલે રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ જીલ્લાના અધિકારીઓ સાથે મેરેથોન બેઠકો કરી જરુરી સુચનો અને નિરીક્ષણ કરી રહ્યા છે.

દાહોદ : PMના કાર્યક્રમને લઇ સરકારી તંત્ર તૈયારીઓમાં જોતરાયુ, 2000 કરોડથી વધુના વિકાસ કાર્યનુ લોકાર્પણ અને ખાતમુહૂર્ત
Dahod: Government machinery is busy preparing for PM Modi's program
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 08, 2022 | 9:08 PM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) 20 અને 21 એપ્રિલ એમ બે દિવસ ગુજરાત પ્રવાસે (Gujarat visit) આવવાના છે. તેઓ દાહોદ (Dahod) માં આદિવાસી સમાજના સંમેલનમાં હાજરી આપવા આવશે. ત્યારે તેમના આગમન પહેલા દાહોદમાં તૈયારીઓ શરુ થઇ ગઇ છે. PM મોદીની મુલાકાતને લઇ સુરક્ષા સઘન કરાઇ છે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

PM નરેન્દ્ર મોદી 20 એપ્રિલે દાહોદના ડોકી ખાતે આદિવાસી સમાજના સંમેલનમાં ઉપસ્થિત રહેવાના છે ત્યારે PMની મુલાકાતને લઇને વહીવટ તંત્ર તૈયારીમાં લાગ્યુ છે. રેન્જ આઇજીપી, જીલ્લા પોલીસ વડા, જીલ્લા કલેકટર, જીલ્લા વિકાસ અધિકારી સહીતના ઉચ્ચ અધિકારીઓેએ સભા સ્થળની મુલાકાત લીધી હતી. આદિવાસી સમાજના સંમેલનમાં દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, મહીસાગર, વડોદરા સહીતના જીલ્લામાંથી 3 લાખથી વધુ લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

દાહોદ જીલ્લાની મુલાકાતે ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 20 એપ્રિલના રોજ ડોકી ખાતે આદિવાસી સમાજના સંમેલનમાં ઉપસ્થિત રહેવાના છે. જેના પગલે રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ જીલ્લાના અધિકારીઓ સાથે મેરેથોન બેઠકો કરી જરુરી સુચનો અને નિરીક્ષણ કરી રહ્યા છે. આ કાર્યક્રમમાં પાંચ જીલ્લા દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, મહીસાગર સહીત વડોદરા જીલ્લા સુધીના જનમેદની ઉપસ્થિત રહેવાની છે. સાથોસાથ જીલ્લામાં સ્માર્ટ સીટી, પાણી પુરવઠા સહીત આરોગ્ય વિભાગના અનેક વિકાસના કાર્યનુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

દાહોદ જીલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે (1) ઝાયડસ મેડીકલ કોલેજ તૈયાર થયેલ 750 બેડની હોસ્પિટલ, વિધાર્થીઓ રહેવા માટે કવાર્ટર, PSA PLANTનુ લોકાર્પણ (2) દેવગઢબારીયા વન વિભાગ દ્વારા તૈયાર કરેલ એનીમલ રેસ્ક્યુ સેન્ટર ઉચવાણ ગામે (3) સીગવડ તાલુકા પંચાયત ભવન (4) દાહોદ જીલ્લા સાઉદન એરિયા રિજીયોનલ વોટર સપ્લાય સ્કીમ (5) લીમખેડા ઔધોગિક તાલીમ સંસ્થાનુ નવીન બિલ્ડીંગ (6) 66 કેવી બાવકા સબ સ્ટેશન આમ કુલ જીલ્લાના 1767.22 કરોડનું નવીન કામોનુ લોકાર્પણ વડાપ્રધાન કરશે. જ્યારે સ્માર્ટ સીટીઅંતર્ગત (1) વોટર સકાડા (2) નગરપાલીકા બિલ્ડીંગ (3) ટ્રાયબલ મ્યુઝિયમ (4) સ્પોટર્સ કોમ્પ્લેક્ષ (5) લાઇબ્રેરી (6) તાલુકા પ્રાયમરી શાળા(7) ટ્રક ટર્મિનલ અને એનિમલ શેલટર (8)જીલ્લા ગ્રામવિકાસ એજન્સીના કામો (9) સિંચાઇ વિભાગ (10) પાણી પુરવઠા વિભાગના (11) ગુજરાત એનજી ટ્રાન્સમિશન કોર્પોરેશન. લી ના કામો ખાતમુહૂર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે. જેની કિંમત કુલ 620.10 કરોડ ના કામો નવીન કામો શરુ કરાશે.

આ પણ વાંચો :Gujarat માં કાળઝાળ ગરમીની શરૂઆત, શનિવારે 7 જિલ્લામાં ઓરેન્જ અને 11 જિલ્લામાં યલો એલર્ટ જાહેર

આ પણ વાંચો : મનીષ સિસોદિયાનું એલાન- સોમવારે ગુજરાતની શાળા જોવા જઈશ, ભાજપે 27 વર્ષમાં કંઈક તો કર્યું જ હશે

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">