AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VIDEO: ‘વાયુ’ વાવાઝોડા અંગે હવામાન વિભાગની સ્પષ્ટતા, તાંડવ કરતું વાવાઝોડું ગુજરાતના આ 10 જિલ્લાને અસર કરશે

ગુજરાતના દરિયાકાંઠે વાયુ વાવાઝોડું ત્રાટકવાની પૂરેપૂરી શક્યતા છે. હવામાન વિભાગે પણ સ્પષ્ટ કરી દીધુ છે કે વાવાઝોડું ફંટાય તેવી શક્યતા ખૂબજ ઓછી છે. હાલ આ વાવાઝોડું વેરાવળથી આશરે 400 કિલોમીટર દૂર છે. જે આવતીકાલે એટલે 13 જૂને સવારે 5 વાગ્યે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ત્રાટકશે. જે દરમિયાન 110 કિલોમીટરથી વધુની ઝડપે પવન ફૂંકાશે. દરિયાકાંઠે તબાહી મચાવવા આવી […]

VIDEO: 'વાયુ' વાવાઝોડા અંગે હવામાન વિભાગની સ્પષ્ટતા, તાંડવ કરતું વાવાઝોડું ગુજરાતના આ 10 જિલ્લાને અસર કરશે
| Updated on: Jun 12, 2019 | 3:54 AM
Share

ગુજરાતના દરિયાકાંઠે વાયુ વાવાઝોડું ત્રાટકવાની પૂરેપૂરી શક્યતા છે. હવામાન વિભાગે પણ સ્પષ્ટ કરી દીધુ છે કે વાવાઝોડું ફંટાય તેવી શક્યતા ખૂબજ ઓછી છે. હાલ આ વાવાઝોડું વેરાવળથી આશરે 400 કિલોમીટર દૂર છે. જે આવતીકાલે એટલે 13 જૂને સવારે 5 વાગ્યે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ત્રાટકશે. જે દરમિયાન 110 કિલોમીટરથી વધુની ઝડપે પવન ફૂંકાશે.

દરિયાકાંઠે તબાહી મચાવવા આવી રહેલા આ વાવાઝોડાથી સૌરાષ્ટ્રના 10 જિલ્લાને અસર કરશે. આ જિલ્લામાં જામનગર, ગીરસોમનાથ, દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, મોરબી, ભાવનગર, અમરેલી અને રાજકોટનો સમાવેશ થાય છે. આ તમામ જિલ્લાના 408 ગામો વાવાઝોડાથી પ્રભાવિત થશે. રાજ્યની આશરે 60 લાખની વસ્તીને વાવાઝોડાની અસર થશે. જેમને આજે સલામત સ્થળે ખસેડવામાં આવશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

દરિયાકિનારાના નીચાણવાળા વિસ્તારના લોકો અને કાચા મકાનોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવશે. જ્યારે આ વાવાઝોડું ત્રાટકશે ત્યારે બચાવ અને રાહત કાર્ય માટેની સરકારે તમામ તૈયારીઓ કરી લીધી છે. પહેલેથી જ સજ્જ થઈ ગયેલી સરકારે NDRFની 11 ટીમો, ગુજરાત પોલીસ SDRFની 10 ટીમો અને આર્મીની 11 ટીમો તૈનાત કરી દીધી છે. જ્યારે આર્મીની 23 ટુકડીઓને અનામત રાખવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જરૂર પડશે તો આ ટુકડીઓ પણ મદદે આવી પહોંચશે.. તેવી જ રીતે BSFની બે ટીમો તૈનાત કરાઈ છે. જ્યારે સલામતી દળોની કુલ 34 ટીમો તૈનાત કરાઈ છે.. અને 27 ટીમો અનામત રાખવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">