અમરેલીમાં સી.આર.પાટીલના નિવેદન બાદ કોંગ્રેસનો પલટવાર, કહ્યું ભાજપનો જુથવાદ છુપાવવાનો  કિમીયો

કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ભાજપાના પ્રદેશ અધ્યક્ષે અમરેલી ખાતે કરેલુ નિવેદન હકીકતમાં ભાજપમાં ચાલતી સત્તાની હુંસાતુસી, ચરમસિમાએ જુથવાદ અને ભાજપાના ચાર જુથોની લડાઈ થી ધ્યાન ભટકાવવા માટેનો કીમીયો છે.

અમરેલીમાં સી.આર.પાટીલના નિવેદન બાદ કોંગ્રેસનો પલટવાર, કહ્યું ભાજપનો જુથવાદ છુપાવવાનો  કિમીયો
Gujarat Congress
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 18, 2021 | 8:14 PM

ગુજરાતમાં(Gujarat)  ભાજપના પ્રમુખ સી. આર. પાટીલે (CR Paatil)  કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેર                  ( Ambarish Der ) માટે જગ્યા ખાલી રાખી હોવાની વાત કરીને રાજકીય ગરમાવો લાવી દીધો છે. જેમાં ગુજરાતમાં વર્ષ 2022ની વિધાનસભા ચુંટણી પૂર્વે ભાજપ ફરી એકવાર તોડજોડના રાજકારણમાં સક્રિય હોવાના સંકેત પણ આપી દીધા છે. તેમજ તેની સાથે જ કોંગ્રેસ માટે પણ મુશ્કેલી ઉભી કરી દીધો છે. જેના પગલે કોંગ્રેસે પણ આ મુદ્દે ભાજપ પર પલટવાર શરૂ કરી દીધો છે.

આ અંગે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષના લોકપ્રિય જનપ્રતિનિધિ ધારાસભ્ય અમરીષભાઈ ડેર અંગે ભાજપાના પ્રદેશ અધ્યક્ષે અમરેલી ખાતે કરેલુ નિવેદન હકીકતમાં ભાજપમાં ચાલતી સત્તાની હુંસાતુસી, ચરમસિમાએ જુથવાદ અને ભાજપાના ચાર જુથોની લડાઈ થી ધ્યાન ભટકાવવા માટેનો કીમીયો છે.

તેમણે વધુમાં કહ્યું કે નવ નિયુક્તી સમયે ભાજપાના અધ્યક્ષે કરેલી જાહેરાતમાં કોંગ્રેસ પક્ષના કોઈ વ્યક્તિ – ધારાસભ્યોને ભાજપમાં લેવામાં નહિ આવ તેવા નિવેદનથી ઉલ્ટા નિવેદન જ બતાવે છે કે સૌરાષ્ટ્રમાં જે રીતે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને વરિષ્ઠ મંત્રીઓ – વરિષ્ઠ સાથીઓ સાથે થઈ રહેલા અપમાનજનક વ્યવહારથી ભાજપામાં ઊકળતા ચરૂની સ્થિતી છે.

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં મંદી – મોંઘવારી – મહામારીથી જનતા પરેશાન છે અને ભાજપાની ખેડૂત વિરોધી, ગ્રામ્ય વિરોધી, યુવા વિરોધી અને જનવિરોધી નીતિઓ સામે ગુજરાતની જનતામાં પારાવાર આક્રોશ છે.

બીજીબાજુ, કોંગ્રેસપક્ષના જન જાગરણ અભિયાનને પ્રજાકીય જનસમર્થન – જનઆર્શિવાદ મોટા પાયે મળી રહ્યા છે તેનાથી પણ ભાજપાના પ્રદેશ અધ્યક્ષને સ્થિતિનો અંદાજ મળી ગયો હોય તેના લીધે આવા નિવેદન કરતા હોય તેવુ દેખાઈ રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત ભાજપના પ્રમુખ સી. આર. પાટીલે અમરેલીના બાબરીયાધારના સમુહ લગ્નમાં સી.આર.પાટીલે કહ્યું હતું કે, મારા પક્ષના ઘણાં લોકો અમરિશ ડેરના મિત્રો છે. અમે અમરિશ ડેર માટે હજુ ખાસ જગ્યા રાખી છે. સાથે જ પાટીલે હસતા હસતા કહ્યું હતું કે, ડેરને તો મારે એક દિવસ ખખડાવવા પડશે, ખખડાવવાનો મારો અધિકાર છે.

જેમાં સી.આર.પાટીલના નિવેદન બાદ અમરિશ ડેરે કહ્યું હતું કે, ચૂંટણીમાં તમામ પક્ષો જીતી શકે તેવા ઉમેદવારને પોતાના પક્ષમાં લાવવાનો પ્રયાસ કરતા હોય છે. તેમણે જે કહ્યું હશે તે જવાબદારી પૂર્વક કહ્યું હશે. આ ઉપરાંત મુકેશ પટેલ સાથેની મુલાકાત મુદ્દે પણ તેમણે સ્પષ્ટતા કરી હતી કે, મુકેશ પટેલ મારા મિત્ર છે એટલે મુલાકાત થઈ હતી.

ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલાં રાજ્યકક્ષાના પ્રધાન મુકેશ પટેલ પણ અમરિશ ડેરને મળ્યા હતા. મુકેશ પટેલની મુલાકાત અને પાટીલના નિવેદનથી અમરેલીનું રાજકારણ ગરમાયું છે.

આ પણ વાંચો : અમદાવાદ : કાંકરિયા કાર્નિવલને લઇને હજુ અસમંજસ, AMCની સ્ટેન્ડિગ કમિટીમાં આટલો પ્રોપર્ટી ટેક્સ માફ થયો

આ પણ વાંચો : ખેડા : આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી, આત્મનિર્ભર કાર્યક્રમ મુખ્યમંત્રીની ઉપસ્થિતમાં યોજાયો

Latest News Updates

અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન એ જાગૃતિ દર્શાવે છે : સી આર પાટીલ
આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન એ જાગૃતિ દર્શાવે છે : સી આર પાટીલ
g clip-path="url(#clip0_868_265)">