AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે અશોક ગહલોત, ટી એસ સિંહ દેવ અને મિલિંદ દેવડાને નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા

ગુજરાત વિધાનસભા ચૂંટણી((Gujarat Assembly Election) માટે કોંગ્રેસે અશોક ગહલોત,ટી એસ સિંહ દેવ અને મિલિંદ દેવડાને નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે અશોક ગહલોત, ટી એસ સિંહ દેવ અને મિલિંદ દેવડાને નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા
Gujarat Congress ObserverImage Credit source: File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 12, 2022 | 5:38 PM
Share

ગુજરાત વિધાનસભા ચૂંટણી(Gujarat Assembly Election)  માટે કોંગ્રેસે અશોક ગહલોત,ટી એસ સિંહ દેવ અને મિલિંદ દેવડાને નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા છે.આ ઉપરાંત કોંગ્રેસે હિમાચલ પ્રદેશ ચૂંટણી માટે માટે ભુપેશ બધેલ, સચીન પાયલોટ અને પ્રતાપસિંહ બાજવાને નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા છે.

આ ઉપરાંત ગુજરાતમાં કોંગ્રેસ ઈલેકશન મોડમાં  છે. તેમજ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય પક્ષોએ કવાયત હાથ ધરી છે. જેમાં ભાજપ દ્વારા આદિવાસી અને પાટીદાર વોટબેંકને અંકે કરવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જ્યારે બીજી તરફ આમ આદમી પાર્ટી પણ અનેક લોભામણી જાહેરાતો દ્વારા સમાજના અનેક વર્ગને આકર્ષવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. તેવા સમયે કોંગ્રેસ  પક્ષ દ્વારા પણ દલિત વોટબેંકને  અંકે કરવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.  જેના ભાગરૂપે કોંગ્રેસે   દલિત અધિકાર સત્યાગ્રહ કાર્યક્રમની શરૂઆત કરી છે. જે રાજયની 40 વિધાનસસભા બેઠક પર શરૂ કરવામાં આવશે.

ગુજરાત વિધાનસભાની 182  પૈકી આપણી માત્ર 13 અનામતની બેઠકો છે, પરંતુ 27  જેટલી વિધાનસભા મતવિસ્તારમાં આપણી જનસંખ્યા 10  ટકા કરતાં વધારે છે. કોંગ્રેસ પક્ષ દ્વારા 13  અનામત બેઠકો ઉપરાંત આ 27  વિધાનસભા બેઠકો ઉપર પણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે અને આવનાર ચૂંટણીમાં આ 40  વિધાનસભા બેઠકો પર દલિત સમાજ મહત્વપૂર્ણ નિર્ણાયક ભૂમિકા નિભાવશે. જેમાં 09  જુલાઇના રોજ  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અમદાવાદ ખાતે ગુજરાત કૉંગ્રેસના પ્રભારી ડૉ. રઘુ શર્મા , અનુસૂચિત જાતિ વિભાગના રાષ્ટ્રીય અધ્યક્ષ  રાજેશ લિલૌઠીયા,  પ્રદેશ પ્રમુખ  જગદીશ ઠાકોર તથા પ્રદેશના વરિષ્ઠ આગેવાનો અને કાર્યકર્તાઓ ની ઉપસ્થિતિમાં દલિત અધિકાર સત્યાગ્રહ કાર્યક્રમનો શુભારંભ  કરવામાં આવ્યો  હતો.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના વિધાનસભા ચૂંટણીઓને લઇને રાજકીય પક્ષો દ્વારા વધુ બેઠકો મેળવવા માટે અલગ અલગ રણનીતિ ઘડવામાં વ્યસ્ત છે. તેવા સમયે ગુજરાત કોંગ્રેસે   પણ આ વિધાનસભા ચુંટણીમાં ભાજપની વોટબેંકને પોતાની તરફ વાળવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે. જેના ભાગરૂપે હવે આગામી દિવસોમાં કોંગ્રેસ પણ હિન્દુ કાર્ડ  ખેલશે અને ભાજપના “જય શ્રીરામ”ના નારા સામે કોંગ્રેસ “હે રામ”નો નારો બુલંદ કરશે.

આ અંગે કોંગ્રેસની  નવ સંકલ્પ શહેરી ચિંતન શિબિરમાં થયેલી ચર્ચા મુજબ શહેરી વિસ્તારમાં 2017, 2012 અને 2007 ની ચૂંટણી દરમિયાન કોંગ્રેસ પાર્ટી કમજોર થતી જોવા મળી. એવામાં જો કોંગ્રેસને પોતાની સીટો વધારવી હોય અને સત્તા માં આવવું હોય તો શહેરી વિસ્તારોમાં ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. એટલે જ કોંગ્રેસે આ વખતે સૂત્ર નક્કી કર્યું છે.

Follow Us
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
ગુજરાતમાં 18 મે પછી પ્રી-મોન્સૂન વરસાદ, જુઓ Video
ગુજરાતમાં 18 મે પછી પ્રી-મોન્સૂન વરસાદ, જુઓ Video
કેરળમાં 26 મે આસપાસ નૈઋત્યનુ ચોમાસુ કરશે એન્ટ્રી
કેરળમાં 26 મે આસપાસ નૈઋત્યનુ ચોમાસુ કરશે એન્ટ્રી
ડાકોરમાં ભક્તો જીત્યા! મનોરથના ભાવ વધારા પર 2 મહિનાનો બ્રેક
ડાકોરમાં ભક્તો જીત્યા! મનોરથના ભાવ વધારા પર 2 મહિનાનો બ્રેક
કેમિકલ વેસ્ટનો ટાંકો સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના ગુંગળાઈ જવાથી મોત
કેમિકલ વેસ્ટનો ટાંકો સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના ગુંગળાઈ જવાથી મોત
સુકેત અને વસવા બ્રિજની ભયજનક સ્થિતિ, વાહનચાલકોને 20 કિમીનો ધક્કો
સુકેત અને વસવા બ્રિજની ભયજનક સ્થિતિ, વાહનચાલકોને 20 કિમીનો ધક્કો
ગુજરાત સરકારે પણ જાહેર કર્યા કરકસરના પગલાં, મેટ્રો દોડશે રાતના 11 સુધી
ગુજરાત સરકારે પણ જાહેર કર્યા કરકસરના પગલાં, મેટ્રો દોડશે રાતના 11 સુધી
ગુજરાતની જનતા પર 60,00,00,00,000નો બોજો આવશેઃ શક્તિસિંહ ગોહીલ
ગુજરાતની જનતા પર 60,00,00,00,000નો બોજો આવશેઃ શક્તિસિંહ ગોહીલ
g clip-path="url(#clip0_868_265)">