AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : કોરોનાની ત્રીજી લહેર પિક ઉપર, પણ ગ્રામ્ય વિસ્તારમાં RTPCR લેબ શરૂ કરવાની જાહેરાત પોકળ

સુરત જિલ્લા આરોગ્ય તંત્રમાં માણસોની અછતના પગલે અને આરોગ્ય સાથે સંકળાયેલા કર્મચારીઓ જ્યારે સંક્રમિત થાય છે ત્યારે જિલ્લાની સરકારી હોસ્પિટલો જાણે લકવાગ્રસ્ત બની જાય છે અને કોરોનાની મહામારી સામે લડવુ નબળું પુરવાર થઇ રહ્યુ છે.

Surat : કોરોનાની ત્રીજી લહેર પિક ઉપર, પણ ગ્રામ્ય વિસ્તારમાં RTPCR લેબ શરૂ કરવાની જાહેરાત પોકળ
RTPCR LAB (Symbolic Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 16, 2022 | 1:03 PM
Share

સુરત જિલ્લાના ગ્રામીણ (Rural Area) વિસ્તારમાં કોરોના વાયરસની મહામારીની ત્રીજી લહેર ચરમસીમાએ પહોંચી ગઇ છે, ત્યારે સુરત જિલ્લા આરોગ્ય તંત્ર પાસે કોરોનાની મહામારી સામે લડવા માટે કોઈ જ યોગ્ય આયોજન નથી. રાજ્યના આરોગ્ય વિભાગે કોરોનાની(Corona) સામે લડવા ચાર મહિના પહેલા જ લેબોરેટરી(Laboratory) શરૂ કરવાની જાહેરાત પોકળ પુરવાર થઇ હોય તેવું લાગી રહ્યું છે.

સુરત શહેરની જેમ જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે, છતાં પણ રેપિડ ટેસ્ટ કે RTPCR ટેસ્ટ ખૂબ જ ઓછા થઈ રહ્યા છે. રાજ્યના આરોગ્ય વિભાગે કોરોના સામેની લડાઇ માટે ચાર મહિના પહેલા માંડવી અને બારડોલી ખાતે RTPCR ટેસ્ટ લેબોરેટરી ઊભી કરવાનું નક્કી કર્યું હતું ,પરંતુ હજુ સુધી લેબ ના ઠેકાણા નથી જે ખૂબ જ ગંભીર બાબત છે.

શું આ લેબ કોરાના ની ત્રીજી લહેર પૂર્ણ થયા બાદ શરૂ થશે?

સુરત જિલ્લાની 30 લાખથી વધુ વસ્તી છે. કોરોના સંક્રમણ વધતું જાય છે તેમ તેમ ટેસ્ટની સંખ્યામાં પણ વધારો થવો જોઈએ પરંતુ સુરત જિલ્લામાં ટેસ્ટિંગ માટેની કોઈ લેબ ન હોવાને કારણે માત્રને માત્ર સિવિલ હોસ્પિટલ પર આધાર રાખવો પડે છે. જેને કારણે ટેસ્ટિંગ પણ વસતિના પ્રમાણમાં ખૂબ જ ઓછા થઈ રહ્યા છે બીજી તરફ સુરત જિલ્લા આરોગ્ય તંત્રમાં માણસોની અછતના પગલે અને આરોગ્ય સાથે સંકળાયેલા કર્મચારીઓ જ્યારે સંક્રમિત થાય છે ત્યારે જિલ્લાની સરકારી હોસ્પિટલો જાણે લકવાગ્રસ્ત બની જાય છે અને કોરોનાની મહામારી સામે લડવુ નબળું પુરવાર થઇ રહ્યુ છે. વારંવાર વહીવટી તંત્રથી લઈ મુખ્યમંત્રી સુધી રજુઆત કરવા છતાં આજદિન સુધી સુરત જિલ્લા પંચાયતના આરોગ્ય તંત્રમાં ખાલી પડેલ જગ્યા ભરવામાં આવી નથી.

જિલ્લા પંચાયતમાં વિરોધ પક્ષના માજી નેતાએ આક્ષેપ કર્યો છે કે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે કોરોના સામેની લડાઈ કાગળ પર લડવાને બદલે ફિઝિકલી આરોગ્ય વિભાગને મજબૂત કરવા માટે કાયમી ભરતી તેમજ કોન્ટ્રાક્ટ બેઝ ભરતી કરવી જોઈએ અને સુરત જિલ્લાની ગ્રામીણ પ્રજાને કોરોના વાયરસની મહામારી સામે બચાવવાના મજબૂત પ્રયાસો કરવા જોઈએ, તેમજ આગોતરું આયોજન કરવામાં નિષ્ફળ ગયેલા સુરત જિલ્લા આરોગ્ય તંત્ર વિભાગએ મેડિકલ સાધનો,સ્ટાફ,24 કલાક આરોગ્ય કેન્દ્ર અને ઓક્સિજન પ્લાન્ટ ચલાવવા માટે કાયમી સ્ટાફની દિશામાં પણ નક્કર આયોજન સાથે આગળ વધવાની જરૂર છે.

કોરોનાની ત્રીજી લહેર અગાઉની જેમ જીવલેણ ના બને તે માટે યોગ્ય આગોતરું આયોજન કરવાની સરકાર તથા વહીવટી તંત્રની છે તથા આ બાબતે વિશાળ લોકહિત ધ્યાને રાખી તત્કાલ નક્કર પગલાં ભરવાની જરૂર છે કે જેથી સુરત જિલ્લાના નાગરિકોને કોરોનાની ત્રીજી લહેર માંથી હેમખેમ બચાવી શકાય.

આ પણ વાંચોઃ

Surat: એક વર્ષમાં 34.32 લાખ લોકોને રસી આપવાના લક્ષ્યાંક સામે મહાનગરપાલિકાની 122.75 ટકા સિદ્ધિ

આ પણ વાંચોઃ

પૂનમે ભક્તોની ભીડ ઉમટવાની સંભાવનાને પગલે રાજ્યના કેટલાક મંદિરો રહેશે બંધ, જાણો કયુ મંદિર કેટલા દિવસ બંધ રહેશે

Follow Us
માનસરોવર યાત્રા દરમિયાન 65 વર્ષીય મહિલાનો સંપર્ક તૂટ્યો
માનસરોવર યાત્રા દરમિયાન 65 વર્ષીય મહિલાનો સંપર્ક તૂટ્યો
રક્ષાબંધન પર્વ નિમિત્તે અમિત શાહે દીકરીઓના સ્વાસ્થ્ય માટે મહત્વની પહેલ
રક્ષાબંધન પર્વ નિમિત્તે અમિત શાહે દીકરીઓના સ્વાસ્થ્ય માટે મહત્વની પહેલ
વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન
વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
અમરેલીમાં દીપડાનો ભય: રહેણાંક વિસ્તારોમાં સતત લટારથી લોકોમાં ફફડાટ
અમરેલીમાં દીપડાનો ભય: રહેણાંક વિસ્તારોમાં સતત લટારથી લોકોમાં ફફડાટ
આઝાદી બાદ દેશનું શિક્ષણ કેવુ હશે તે ગુજરાત વિદ્યાપીઠે નક્કી કર્યું હતુ
આઝાદી બાદ દેશનું શિક્ષણ કેવુ હશે તે ગુજરાત વિદ્યાપીઠે નક્કી કર્યું હતુ
g clip-path="url(#clip0_868_265)">