તંત્રને સદબુદ્ધિ આપો: વર્ષોથી પીવાના પાણીને લઈને વલખાં મારતી મહિલાઓએ ભગવાનને કરી વિનવણી

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ખોડિયા ગામના લોકો વર્ષોથી પીવાના પાણીને લઈ વલખાં મારી રહ્યા છે. તંત્રમાં વારંવારની રજૂઆત બાદ પણ નિરાકરણના આવતા હવે ગામની મહિલાઓ ભગવાનને વીણવણી કરી રહી છે કે, તેમની વ્યથા દૂર કરવા અધિકારીઓને સદબુદ્ધિ આપે!

તંત્રને સદબુદ્ધિ આપો: વર્ષોથી પીવાના પાણીને લઈને વલખાં મારતી મહિલાઓએ ભગવાનને કરી વિનવણી
પ્રતિકાત્મક તસ્વીર
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Mar 28, 2021 | 6:05 PM

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ખોડિયા ગામના લોકો વર્ષોથી પીવાના પાણીને લઈ વલખાં મારી રહ્યા છે. તંત્રમાં વારંવારની રજૂઆત બાદ પણ નિરાકરણના આવતા હવે ગામની મહિલાઓ ભગવાનને વીણવણી કરી રહી છે કે, તેમની વ્યથા દૂર કરવા અધિકારીઓને સદબુદ્ધિ આપે!

નસવાડી તાલુકાના ખોડિયા ગામમાં બોર, પીવાના પાણીની ટાંકીની વ્યવસ્થા તો કરવામાં આવી છે. નળ વગરના પાઈપો, પાણી વગરના હેન્ડપંપ, ખાલી હાવેડા સાબિતી આપી રહ્યા છે કે પાણીની કેટલી વિકટ સ્થિતી હશે. ઉનાળાની શરૂઆત થતાં જ પીવાના પાણીની માટે ગામની મહિલાઓ બુમરાણ મચાવે છે. જળ વગર જીવન અશક્ય છે, જેને લઈ ગામના લોકોએ તંત્રમાં વારંવાર અધિકારીઓને રજૂઆતો કરી પણ તંત્ર છે કે તેમની વાત સાંભળવા તૈયાર નથી. સમસ્યા એક બે વર્ષની નથી વર્ષોની સમસ્યા ગામના લોકો ભોગવી રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
Chota Udepur water problem

પ્રતિકાત્મક તસ્વીર

ગામની નજીકમાંથી નર્મદાની મુખ્ય નહેર વહે છે છતાં તેનું પાણી આ ગામના લોકોને મળતું નથી. હાલની સ્થિતીમાં એક બે હેન્ડપંપમાં થોડું ગણું પાણી આવે છે, જે ગામના લોકો માટે પૂરતુ તો નથી પણ ટુંક જ સમયમાં દર વર્ષની માફક આ વર્ષે પાણી ખતમ થશે તો શું? જેમ તેમ કરીને પીવાનું પાણી મેળવતી ગામની મહિલાઓને તેમના મૂંગા પશુઓ માટે ખુબ જ ચિંતા છે.

ગામમાં હેન્ડપંપમાં પાણી ખતમ થતાં પાણી મેળવવા ગામની મહિલાઓને દૂર દૂર આવેલા ખેતરોના પ્રાઈવેટ બોર પરથી પાણી મેળવવા ભટકવું પડે છે. પરંતુ અધિકારીઓને તેમના દુ:ખની પરવા નથી. જેથી હવે આ ગામની મહિલાઓ ભગવાનને વિનવણી કરી રહી છે. ગામની મહિલાઓ ખાલી બેડા લઈ જે પાણીના સ્ત્રોત જેવા કે હવાડા, પીવાના પાણીના નળના સ્ટેન્ડપોજ, ટાંકી, હેન્ડ પંપો પર જઈને હાથમાં આરતીની થાળી લઈને પૂજા કરી રહી છે.

મહિલાઓનું કહેવું છે કે અમે આ અખતરો એટલા માટે કરીએ છીએ કે તેમની વાત તો તંત્ર સાંભળવા તૈયાર નથી પણ જો કુદરત તેમની વાત સાંભળે અને અધિકારીઓને સદબુદ્ધિ આપે તો અમારા ગામના લોકોને પાણી મળે. ત્યારે જોવાનું એ છે કે ગામની મહિલાઓનો અખતરો કેટલો કારગત નીવડે છે. ખરેખર આ મહિલાઓની વેદનાને અધિકારીઓ ધ્યાન પર લે તે જરૂરી છે.

આ પણ વાંચો: ‘ફરો ભારત’ TV9 સાથે: જાણો ગુજરાતના સુંદર પ્રવાસન સ્થળો વિશેની જાણકારી, જ્યાં જવુ તમારા માટે હશે એકદમ સરળ

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">