AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

છોટા ઉદેપુર : મુવાડા ગામના એક મકાનમાં દીપડો ઘુસ્યો, પાંચ જેટલા લોકોને પહોંચાડી ઇજા, ગામમાં દહેશતનો માહોલ

હાલ તો ગામમાં દહેશતનો માહોલ છે. ગામના લોકોમાં દીપડાને લઈ ડર જોવાઈ રહ્યો છે. ગામના લોકો એક જુથ થઈ ટોળામાં આવી ગયા છે. ત્યારે વન વિભાગ તેને પકડી પાડવાની તમામ પ્રયાસો હાથ ધર્યા છે. જોકે અધિકારીઓનું એ પણ કહેવુ સાંજના સમયે તે મકાનમાંથી બહાર નીકળી જશે.

છોટા ઉદેપુર : મુવાડા ગામના એક મકાનમાં દીપડો ઘુસ્યો, પાંચ જેટલા લોકોને પહોંચાડી ઇજા, ગામમાં દહેશતનો માહોલ
Chhota Udepur: A panther broke into a house in Muwada village, injuring about five people.
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 30, 2022 | 10:42 PM
Share

છોટાઉદેપુર (Chhotaudepur)જિલ્લાના મુવાડા ગામના (Muwada village) એક મકાનમાં દીપડો (Panther)ઘુસી ગયો. અને પાંચ જેટલા લોકોને ઇજા પહોંચાડી. જોકે વન વિભાગને (Forest Department)જાણ થતાં ઘટનાસ્થળ પર પહોંચી. મકાનમાં ફસાયેલા લોકોને બચાવવાની કોશિષ કરી હતી.પાવીજેતપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ મુવાડા ગામે સવારના સમયે અચાનક દીપડો ઘરમાં ઘુસી ગયો. આજ સમયે ઘરના તમામ 10 જેટલા સભ્યો બપોરનું જમી કરી રહ્યા હતા. અચાનક ઘરમાં દીપડાને જોતા નાસભાગ મચી હતી.

દીપડાએ ઘરના પાંચ સભ્યો પર હુમલો કર્યો જેથી તેમને ઇજાઓ થઈ હતી. જોકે મકાનના ખુલ્લા ભાગમાં હતા જેથી તેઓ ત્યાં થઈ નાસી છૂટવામાં સફળ થયા હતા. જોકે ત્રણ જેટલા વ્યક્તિ મકાનના એક ભાગમાં ઘુસી જઇ અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો. ત્રણ કલાક જેટલા સમય સુધી ત્રણ વ્યક્તિઓ મકાનમાં ફસાય ગયા હતા. વન વિભાગની ટીમ દ્વારા ફસાયેલા વ્યક્તિઓને બહાર કાઢવા માટે રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું. અંદરના લોકો સાથે ફોન પર વાત કરી બહાર નીકળવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું. હેમખેમ રીતે તમામને બહાર કાઢવામાં આવ્યા હતા.

હાલ તો ગામમાં દહેશતનો માહોલ છે. ગામના લોકોમાં દીપડાને લઈ ડર જોવાઈ રહ્યો છે. ગામના લોકો એક જુથ થઈ ટોળામાં આવી ગયા છે. ત્યારે વન વિભાગ તેને પકડી પાડવાની તમામ પ્રયાસો હાથ ધર્યા છે. જોકે અધિકારીઓનું એ પણ કહેવુ સાંજના સમયે તે મકાનમાંથી બહાર નીકળી જશે.

ખાસ કરીને પાવીજેતપુર તાલુકાનો કેટલોક વિસ્તાર ડુંગર અને જંગલથી ઘેરાયેલ છે. જંગલમાં વસ્તા વન્ય પ્રાણીઓ ઉનાળાના સમયે પીવાના પાણી અને ખોરાકની શોધમાં ગ્રામ્ય વિસ્તારોમાં આવી જતા હોય છે. દીપડો જે મુવાડા ગામ સુધી આવી ગયો હોય તેનું પણ આજ કારણ ગામ લોકો જણાવી રહ્યા છે. જરૂરી એ છે કે વન્ય પ્રાણી માટે જરૂરિયાત વન વિભાગ દ્રારા વનમાં જ કરવામાં આવે જેથી હિંસક પ્રાણીઓ ગામ સુધી ન આવે.

આ પણ વાંચો : Sabarkantha: ખેતરમાં અનાજ કે શાકભાજી નહી ખેડૂતે માદક પદાર્થની જ ખેતી કરી દીધી, SOG એ મોટો જથ્થો ઝડપ્યો

આ પણ વાંચો : જામનગર : PM આવાસ યોજનાના લાભાર્થીઓ પરેશાન, 15 દિવસથી પાણીની સમસ્યાથી રહીશો ત્રસ્ત

Follow Us
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
g clip-path="url(#clip0_868_265)">