AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sabarkantha: ખેતરમાં અનાજ કે શાકભાજી નહી ખેડૂતે માદક પદાર્થની જ ખેતી કરી દીધી, SOG એ મોટો જથ્થો ઝડપ્યો

જે રીતે ખેતરમાં અન્ય પ્રકારની ખેતીના બદલે પ્રતિબંધિત માદક વનસ્પતિનીનુ જ વાવેતર કરેલુ જોઈ દરોડો પાડવા ગયેલી સાબરકાંઠા પોલીસ (Sabarkantha Police) ની ટીમ દંગ રહી ગઈ

Sabarkantha: ખેતરમાં અનાજ કે શાકભાજી નહી ખેડૂતે માદક પદાર્થની જ ખેતી કરી દીધી, SOG એ મોટો જથ્થો ઝડપ્યો
SOG ની ટીમે ખાનગી બાતમી આધારે સફળતા મેળવી
| Updated on: Mar 30, 2022 | 10:31 PM
Share

સાબરકાંઠા (Sabarkantha) જિલ્લો આમ પણ નશીલા પદાર્થોની હેરાફેરીના માર્ગ માટે જાણીતો છે, પરંતુ હેરાફેરીના બદલે અહીં જ નશીલા પદાર્થોનુ ઉત્પાદન કરવાની ઘટના સામે આવતા પોલીસ પણ દંગ રહી ગઈ છે. છેલ્લા કેટલાક સમય થી સાબરકાંઠા જિલ્લા પોલીસ (Sabarkantha Police) ની સ્પેશીયલ ઓપરેશન બ્રાન્ચે (Special Operations Branch) નશીલા પદાર્થો ઝડપી લેવાને લઇ ખૂબ જ એક્ટીવ જણાઈ રહી છે. આ દરમિયાન ખેતરમાં વાવણી કરેલ નશીલા પદાર્થનુ ઉત્પાદન કરતા મોટી સંખ્યામાં છોડનો ઉછેર કરાયો હોવાનુ પર્દાફાશ કર્યો છે. SOG ના મહિલા પીએસઆઈની આગેવાની ટીમે દરોડો પાડીને ગેરકાયદેસર વાવેતર શોધી નિકાળ્યુ છે.

છેલ્લા કેટલાક સમય થી સાબરકાંઠા SOG એ એમડી ડ્રગ્સ થી લઈને ગાંજો અને અન્ય નશીલા પદાર્થોની હેરફેર અને વેચાણને ઝડપી લીધા છે. મહિલા પીએસઆઈ કોમલ રાઠોડ દ્વારા આ અંગે દરોડા પાડીને નોંધપાત્ર કેસો કરીને નશીલા પદાર્થોની હેરફેર અને વેચાણ કરનારાઓ પર ધોંસ બોલાવી દીધી છે. આ દરમિયાન હવે માદક પદાર્થનુ વાવેતર ઝડપી પાડ્યુ છે.

પીએસઆઈ કોમલ રાઠોડને બાતમી મળી હતી અને જેને પગલે એસઓજીની ટીમ દ્વારા વિજયનગર તાલુકાના ખેરવાડા ગામે દરોડો પાડ્યો હતો. કોમલબેનને અગાઉથી જ જાણકારી ખાનગી રાહે મળી હતી કે, ચોક્કસ ખેતરમાં સંખ્યાબંધ ગાંજાના છોડનો ઉછેર વાવેતર કરીને કરવામાં આવી રહ્યો છે. જે મુજબ તેઓએ સ્થળ પર ખેતરમાં પહોંચ્યા હતા. આ દરમિયાન એક બાદ એક 83 જેટલા છોડનુ વાવેતર કરવામાં આવેલુ હોવાનુ જણાઈ આવ્યુ હતુ. સ્થાનિક વિજયનગર પોલીસને અંધારામાં રાખીને ગાંજાના છોડનુ વાવેતર કરવામાં આવ્યુ હતુ. એસઓજીની ટીમે 52.850 કીલોગ્રામ ગાંજાના છોડને જપ્ત કરી લીધા જેની કિંમત 3.17 લાખ રુપિયા અંદાજવામાં આવી છે.

એસઓજી પોલીસે ખેડૂત વિરુદ્ધ ગુન્હો નોંધ્યો

સાબરકાંઠા એસઓજી ટીમના પીએસઆઈ કોમલ રાઠોડે વિજયનગર પોલીસ મથકે જે ખેતરમાં વાવેતર કરવામાં આવ્યુ હતુ, તે ખેતરના માલિક વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે. 63 વર્ષીય ખેતર માલિક લક્ષ્મણભાઇ જિવાજી નિનામા સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુન્હો નોંધાવી હતી. વિજયનગર પોલીસ મથકના ઈન્ચાર્જ પોલીસ સબ ઈન્સ્પેટર પીપી જાનીએ ગુન્હાની તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચોઃ IPL 2022: પંજાબ કિંગ્સનો આ ખેલાડી ફીટનેસથી પરેશાન, ટીમથી બહાર થયા બાદ હવે વિરાટ કોહલી પાસે ભણશે પાઠ!

આ પણ વાંચોઃ PAK vs AUS: ઓસ્ટ્રેલિયા સામે પાકિસ્તાન ઘર આંગણે જ લાચાર, પ્રથમ વન ડેમાં કારમી હાર સાથે મળ્યુ મોટું નુકશાન

અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">