Breaking News સુરત ક્રાઇમ બ્રાન્ચના 4 જવાનો સામે ઉત્તર પ્રદેશ પોલીસે અપહરણનો ગુનો નોંધ્યો, ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડ વિના આરોપીને સુરત લાવવાની હતી ઘટના
આ ઘટનામાં આરોપીની પત્નીએ ફરિયાદ કરતા ઉત્તર પ્રદેશ કોર્ટે ગુનો દાખલ કરવા આદેશ કર્યો હતો. આથી કોર્ટના આદેશ પ્રમાણે વિજય નગર પોલીસે સુરત સાયબર ક્રાઇમના એએસઆઈ પૃથ્વીરાજ બધેલ, યુએમ મહારાજ સિંહ, હે.કો.ઈન્દ્રજીતસિંહ અને પો.કો. કૌશિક સામે આઈપીસી કલમ 452, 323, 365 અને 342 હેઠળ ગુનો નોંધ્યો છે.
સુરત સાયબર ક્રાઇમના આરોપી દેવેન્દ્ર ગુપ્તનાએ ટ્રાન્ઝિસ્ટ રિમાંડ વિના જ ઉત્તર પ્રદેશથી સુરત લાવવા બદલ ઉત્તર પ્રદેશની પોલીસે સુરત સાયબર ક્રાઇમના 4 જવાનો સામે અપહરણની ફરિયાદ નોંધી હતી. વીમાના નામે લોકો સાથે ઠગાઈ કરનારા ગઠિયાને સુરત સાાયબર ક્રાઇમ ગાઝિયાબાદથી લઈ આવી હતી. આ ઘટનામાં આરોપીની પત્નીએ ફરિયાદ કરતા ઉત્તર પ્રદેશ કોર્ટે ગુનો દાખલ કરવા આદેશ કર્યો હતો. આથી કોર્ટના આદેશ પ્રમાણે વિજય નગર પોલીસે સુરત સાયબર ક્રાઇમના એએસઆઈ પૃથ્વીરાજ બધેલ, યુએમ મહારાજ સિંહ, હે.કો.ઈન્દ્રજીતસિંહ અને પો.કો. કૌશિક સામે આઈપીસી કલમ 452, 323, 365 અને 342 હેઠળ ગુનો નોંધ્યો છે.
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..