AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 17 એપ્રિલનો ગુજરાત પ્રવાસ રદ, તમિલસંગમનો કરાવવાના હતા પ્રારંભ, આ કારણોથી પ્રવાસ રદ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગીરસોમનાથમાં તમિલસંગમનો પ્રારંભ કરાવવાના હતા. જો કે તેમના કેટલાક વ્યસ્ત કાર્યક્રમના પગલે હવે તેઓ ગુજરાત પ્રવાસે નહીં આવે.

Breaking News : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 17 એપ્રિલનો ગુજરાત પ્રવાસ રદ, તમિલસંગમનો કરાવવાના હતા પ્રારંભ, આ કારણોથી પ્રવાસ રદ
Kinjal Mishra
| Edited By: | Updated on: Apr 11, 2023 | 1:36 PM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ રદ થયો છે. 17 એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવવાના હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગીરસોમનાથમાં તમિલસંગમનો પ્રારંભ કરાવવાના હતા. જો કે તેમના કેટલાક વ્યસ્ત કાર્યક્રમના પગલે હવે તેઓ ગુજરાત પ્રવાસે નહીં આવે. 17 એપ્રિલના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી  સૌરાષ્ટ્રના પ્રવાસે આવવાના હતા અને સોમનાથ મંદિરની પણ મુલાકાત લેવાના હતા. જો કે આ સમગ્ર કાર્યક્રમ હવે રદ થયો છે.

આ પણ વાંચો- Gujarat Weather News : રાજ્યમાં કાળઝાળ ગરમીની શરુઆત, અમદાવાદનું તાપમાન 41 ડિગ્રી નોંધાયુ, જુઓ Video

ચેન્નઈ ખાતે ગત 19મી માર્ચે આ સૌરાષ્ટ્ર તમિલ સંગમની જાહેરાત કરી તેના લોગો, થીમ સોન્ગ અને રજીસ્ટ્રેશન પોર્ટલનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પોર્ટલ લોન્ચ થયાના 24 કલાકમા 10 હજારથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરી આ સંગમને સારો પ્રતિસાદ આપ્યો હતો.

તમિલ સંગમનો સમગ્ર કાર્યક્રમ યથાવત રહેશે

17 એપ્રિલ ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગીર સોમનાથમાં રોકાણ કર્યા બાદ રોડ શો કરવાના હતા. આ સાથે જ તેઓ ગીરસોમનાથમાં તમિલસંગમનો પ્રારંભ કરાવવાના હતા. જો કે આ સમગ્ર કાર્યક્રમમાં ફેરબદલ થયો છે. તમિલસંગમના પ્રારંભનો કાર્યક્રમ તો યથાવત જ રહેવાનો છે. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત રદ થઇ છે.

કાર્યક્રમ રદ થવાના બે મુખ્ય કારણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ રદ થવાના મુખ્ય બે કારણ છે. એક કારણે એ છે કે 17 એપ્રિલ આસપાસનો સમય કર્ણાટકની ચૂંટણી માટે ઉમેદવારોના ફોર્મ ભરવાના અંતિમ દિવસો હશે. એટલે સ્વાભાવિક રીતે જ ઉમેદવારોના લિસ્ટીંગમાં ભલે પાર્લામેન્ટરી બોર્ડમાં નિર્ણય લેવાતો હોય, પરંતુ વડાપ્રધાન મોદી પણ તેના પર નજર રાખતા હોય છે. આ સાથે અન્ય એક કારણ એ પણ છે કે ફોરેન ડેલીગેશન સાથે વડાપ્રધાનની બેઠક યોજાવા જઇ રહી છે. જેના કારણે પણ વડાપ્રધાનનો 17 એપ્રિલનો ગુજરાત પ્રવાસ રદ કરાયો છે. જો કે મંથ એન્ડ સુધીમાં જ્યારે કાર્યક્રમ સમાપનના આરે હશે ત્યારે વડાપ્રધાન આવશે તેવુ પણ માનવામાં આવી રહ્યુ છે. જો કે હાલ પુરતી તેમની ગુજરાત મુલાકાત રદ થઇ છે.

કલા, સંસ્કૃતિ, ઉદ્યોગ – વાણિજ્ય, યુવા અને શિક્ષણ સંબંધીત વિવિધ કાર્યક્રમોનું આયોજન

સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ અંતર્ગત 15 દિવસના આ પ્રવાસમાં વેબસાઇટ પર રજીસ્ટ્રેશન બાદ સિલેક્ટ થયેલા મહેમાનોને સ્પેશ્યલ ટ્રેન વડે ગુજરાતમાં લાવવામાં આવશે. આ મહેમાનો ગુજરાતમાં સોમનાથ, પોરબંદર, દ્વારકા, રાજકોટ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી (એકતા નગર) જેવા સ્થળોની મુલાકાત લેશે. આ કાર્યક્રમના મુખ્ય સ્થળ સોમનાથ ખાતે 15 દિવસ દરમિયાન કલા, સંસ્કૃતિ, ઉદ્યોગ – વાણિજ્ય, યુવા અને શિક્ષણ સંબંધીત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">