Breaking News : અમદાવાદ શહેરમાં સવારે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, જુઓ Video

અમદાવાદ શહેરમાં સવારે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ શહેરમાં ગઇકાલ રાતથી ભારે ઉકળાટ બાદ આજે વહેલી સવારે અસહય બફારો પણ હતો. જેના પગલે વહેલી સવારે વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદની શરૂઆત થઇ છે.

Follow Us:
| Updated on: Jun 04, 2023 | 2:04 PM

Ahmedabad : અમદાવાદ (Ahmedabad) શહેરમાં સવારે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ(Rain) વરસી રહ્યો છે. અમદાવાદ શહેરમાં ગઇકાલ રાતથી ભારે ઉકળાટ બાદ આજે વહેલી સવારે અસહય બફારો પણ હતો. જેના પગલે વહેલી સવારે વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદની શરૂઆત થઇ છે.

હવામાન વિભાગની આગાહી ( Weather Forecast) અનુસાર આજે રવિવારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી રહેશે. જ્યારે ન્યુનતમ તાપમાન 29 ડિગ્રી રહેશે. જો વાત અમરેલી જિલ્લાની કરીએ તો આજે મહત્તમ તાપમાન 42 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. જ્યારે ભેજવાળુ વાતાવરણ 44 ટકા રહેશે. આણંદ જિલ્લામાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 29 ડિગ્રી રહેશે.

મણિનગરના જવાહર ચોક વિસ્તારમાં પાણી ભરાયા

અમદાવાદના મણિનગર(Maninagar)વિસ્તારમાં સવારે ધોધમાર વરસાદ પડ્યો હતો. જેના લીધે મણિનગરના જવાહર ચોક વિસ્તારમાં પાણી ભરાયા હતા. તેમજ સામાન્ય વરસાદમાં(Rain) પાણી ભરાતા લોકોએ કોર્પોરેશનની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા. તેમજ અમદાવાદમાં સામાન્ય વરસાદથી સર્જાયેલી પરિસ્થિતિને લઈ વિપક્ષે સત્તાધીશો પર પ્રહાર કર્યા છે.. AMCના વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે કોર્પોરેશનના પ્રિમોન્સૂન પ્લાનને ફેલ ગણાવ્યો.. તેમણે કહ્યું કે- AMCએ પ્રિમોન્સૂન કામગીરીના નામે કરોડો રૂપિયા ખર્ચ્યા પરંતુ પરિસ્થિતમાં કોઈ સુધારો નથી થયો.

ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?

દર વખતે હાઈકોર્ટ ફટકાર લગાવે છે પણ કોર્પોરેશન સુધરવાનું નામ નથી લેતું.. તેમણે કહ્યું કે- કોંગ્રેસે બે દિવસ પહેલા મેયરને આવેદન પત્ર આપીને રજૂઆત કરી હતી કે પાણી ભરાય અને રસ્તા તૂટી જાય તો સંબંધિત અધિકારીઓ સામે FIR કરવામાં આવે.. લોકોને મુશ્કેલી ન પડે તે માટે સંબંધિત અધિકારીઓને કામ પર લગાવવામાં આવે.

દાહોદ જિલ્લામાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહેશે.

ડાંગ જિલ્લામાં મહત્તમ તાપમાન 37 રહેશે. જ્યારે દેવભૂમિ દ્વારકામાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી રહેશે. તો ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહેશે. તો આ તરફ ગીર સોમનાથમાં મહત્તમ તાપમાન 34 રહેશે તો ન્યૂનતમ તાપમાન 28 રહેશે. જામનગર જિલ્લામાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે અને 60% ભેજવાળુ વાતાવરણ રહેશે.

જુનાગઢ જિલ્લામાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહેશે

તો આજે રવિવારે જુનાગઢ જિલ્લામાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહેશે જ્યારે ન્યૂનતમ ડિગ્રી 27 રહેશે. કચ્છ જિલ્લામાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. તો આજે ખેડા જિલ્લામાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનત્તમ તાપમાન 29 ડિગ્રી રહેશે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">