Breaking News : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ 27 અને 28 મેએ દિલ્હીના પ્રવાસે, નવા સંસદ ભવનના ઉદ્ઘાટનમાં રહેશે ઉપસ્થિત

27 અને 28 મેની દિલ્હી મુલાકાત દરમિયાન તેઓ નીતિ આયોગની બેઠકમાં ભાગ લેશે. સાથે જ નવા સંસદ ભવનના ઉદઘાટનમાં ઉપસ્થિત રહેશે. નવા સંસદ ભવનમાં આવી ઘણી સુરક્ષા વ્યવસ્થા હશે, જે હાલના સંસદ ભવનમાં નથી. નવી સંસદમાં 360 ડિગ્રી સીસીટીવી સર્વેલન્સની સુવિધા હશે.

Breaking News : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ 27 અને 28 મેએ દિલ્હીના પ્રવાસે, નવા સંસદ ભવનના ઉદ્ઘાટનમાં રહેશે ઉપસ્થિત
Follow Us:
Kinjal Mishra
| Edited By: | Updated on: May 26, 2023 | 11:30 AM

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) 27 અને 28 મેએ દિલ્હીના પ્રવાસે રહેશે. 27 અને 28 મેની દિલ્હી મુલાકાત દરમિયાન તેઓ નીતિ આયોગની બેઠકમાં ભાગ લેશે. 28મી મેના રોજ નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન થવાનું છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવા સંસદ ભવનના ઉદઘાટનમાં ઉપસ્થિત રહેશે.

આ પણ વાંચો- Gujarati Video : વડોદરામાં બાબા બાગેશ્વરના દિવ્ય દરબાર માટે તૈયારીઓ પૂરજોશમાં, સુરક્ષામાં 500થી વધુ પોલીસકર્મીઓ ખડેપગે રહેશે

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ બે દિવસના દિલ્હી પ્રવાસે જવાના છે. 27 અને 28 મેના રોજ દિલ્હીમાં તેઓ મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં  હાજરી આપવાના છે. મુખ્યપ્રધાન નીતિ આયોગની બેઠક અને નવા સંસદ ભવન લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપશે. 29 મેથી મુખ્યપ્રધાન રાબેતા મુજબ કાર્યાલયમાં મુલાકાતીઓને મળશે.

એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો
હિના ખાનની સાદગી જોઈને ફેન્સ થયા દિવાના, જુઓ ફોટો

ભાજપ શાસિત રાજ્યોના CM હાજર રહેેશે

28મી મેના રોજ નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન માટેના નિમંત્રણ દેશભરના વિવિધ નેતાઓને મોકલવામાં આવ્યા છે જેમાં અનુક્રમે લોકસભા અને રાજ્યસભાના ભૂતપૂર્વ સ્પીકર્સ અને સ્પીકર્સનો સમાવેશ થાય છે. ભાજપ શાસિત રાજ્યોના CM નવા સંસદ ભવનના ઉદ્ઘાટનમાં  હાજર રહેશે. જેમાં ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે. બંને ગૃહોના બેઠક સભ્યો ઉપરાંત લોકસભાના પૂર્વ અધ્યક્ષ અને રાજ્યસભાના પૂર્વ અધ્યક્ષને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. ભારત સરકારના તમામ મંત્રાલયોના સચિવોને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. નવા સંસદભવનના મુખ્ય આર્કિટેક્ટ બિમલ પટેલ અને જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.

નવા સંસદ ભવનમાં આવી ઘણી સુરક્ષા વ્યવસ્થા હશે, જે હાલના સંસદ ભવનમાં નથી. નવી સંસદમાં 360 ડિગ્રી સીસીટીવી સર્વેલન્સની સુવિધા હશે. તેની ખાસ વાત એ છે કે આ સીસીટીવી કેમેરા ફેસ રેકગ્નિશન સિસ્ટમથી સજ્જ હશે. આનાથી કોઈપણ શંકાસ્પદ વ્યક્તિ માટે સંસદમાં પ્રવેશવું ખૂબ મુશ્કેલ બનશે.

નવી સંસદમાં ઘૂસણખોરોને રોકવા માટે નક્કર વ્યવસ્થા કરવામાં આવી છે. થર્મલ ઈમેજિંગ સિસ્ટમ કોઈપણ ઘુસણખોરને શોધવામાં મદદરૂપ સાબિત થશે. આ ઉપરાંત કોઈપણ દુર્ઘટનાને પહોંચી વળવા માટે મજબૂત ફાયર એલાર્મ સિસ્ટમ હશે. આગને કારણે નુકસાન ન થાય તે માટે ફાયર સપ્રેશન સિસ્ટમ આપવામાં આવી છે.

નવું સંસદ ભવન એ ભારતના લોકતંત્રની સુરક્ષામાં એક મહત્વપૂર્ણ રોકાણ છે, તેમાં લેવામાં આવેલા સુરક્ષા પગલાઓ બિલ્ડિંગ અને તેમાં રહેતા લોકોને વિવિધ જોખમોથી બચાવવા માટે ડિઝાઈન કરવામાં આવ્યા છે. આ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થાઓ એ સુનિશ્ચિત કરવામાં મદદ કરશે કે ભારતમાં લોકશાહી અને સ્થિરતાના પ્રતીક તરીકે ભારતની સંસદ ભય વિના કામ કરવાનું ચાલુ રાખી શકે.

ગાંધીનગર શહેર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">