AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ડમી ઉમેદવારોને લઇને ભાવનગર પોલીસની મોટી કાર્યવાહી, પોલીસે 36 લોકો વિરૂદ્ધ નોંધી પોલીસ ફરિયાદ

ડમી ઉમેદવારોને લઇને ભાવનગર પોલીસની મોટી કાર્યવાહી કરી છે અને પોલીસે 36 લોકો વિરૂદ્ધ નોંધી પોલીસ ફરિયાદ નોંધનીય છે કે અગાઉ યુવરાજસિંહે 4 ડમી ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. યુવરાજસિંહના આક્ષેપો બાદ રાજ્ય સરકારે તપાસના આદેશ આપ્યા હતા

Breaking News: ડમી ઉમેદવારોને લઇને ભાવનગર પોલીસની મોટી કાર્યવાહી, પોલીસે 36 લોકો વિરૂદ્ધ નોંધી પોલીસ ફરિયાદ
Ajit Gadhavi
| Edited By: | Updated on: Apr 14, 2023 | 11:03 PM
Share

ડમી ઉમેદવારોને લઇને ભાવનગર પોલીસની મોટી કાર્યવાહી કરી છે અને પોલીસે 36 લોકો વિરૂદ્ધ નોંધી પોલીસ ફરિયાદ નોંધનીય છે કે અગાઉ યુવરાજસિંહે 4 ડમી ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. યુવરાજસિંહના આક્ષેપો બાદ રાજ્ય સરકારે તપાસના આદેશ આપ્યા હતા.

ભરતી પરીક્ષામાં સુઆયોજીત રીતે ડમીકાંડનો આક્ષેપ

યુવરાજસિંહે આક્ષેપ કર્યો હતો કે ભરતી પરીક્ષામાં સુઆયોજીત રીતે ડમીકાંડ ચાલી રહ્યું છે. યુવરાજસિંહનો દાવો છે કે ભરતી પરીક્ષા પાસ કરીને નોકરી મેળવવાની એક નવી જ મોડસ ઓપરેન્ડી ચાલી રહી છેઅને ડમી ઉમેદવારોના નામે ભરતી પરીક્ષા પાસ કરીને લોકો સરકારી નોકરી મેળવી રહ્યા છે. યુવરાજે દાવો કર્યો ભાવનગર જિલ્લાની મુલાકાત દરમિયાન કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી છે. જેમાં તળાજા અને શિહોર પંથકના 6 ગામના ચોક્કસ સમાજના લોકો ડમીકાંડ સાથે સંકળાયેલા છે.

વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે ગઈ 5. એપ્રિલ ના રોજ ડમી ઉમેદવાર કાંડ જાહેર કરી 4 ડમી ઉમેદવારો ના નામ જાહેર કર્યા હતા.જેમના નામ આ પ્રમાણે છે.

1. ભાવેશભાઈ રમેશભાઈ જેઠવાની જગ્યાએ પરીક્ષા આપનાર મીલન ઘૂઘાભાઈ (પશુધન નિરીક્ષક, વર્ગ-3, 2021-22) 2. કવિતકુમાર નીતિનભાઈ રાવની જગ્યાએ પરીક્ષા આપનાર મીલન ઘૂઘાભાઈ (Laboratory Technician 2021-22) 3. અંકિત નરેન્દ્રભાઈ લકુમની જગ્યાએ પરીક્ષા આપનાર વિમલ (ગ્રામસેવક, વર્ગ-3, 2021-22) 4. જયદીપભાઈ વાલજીભાઇ રમણાની જગ્યાએ પરીક્ષા આપનાર કલ્પેશ પંડ્યા (ગ્રામસેવક, વર્ગ-3, 2021-22)

ભરતનગર પોલીસ મથકમાં નોધાઈ ફરિયાદ

ભાવનગર પોલીસે તપાસ દરમિયાન કુલ 36 ડમી ઉમેવારી કરી ચૂકેલા અને આ કાંડ માં એક યા બીજી રીતે સંડોવાયેલ વ્યક્તિઓ વિરુદ્ધ ભરતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે

યુવરાજસિંહ દ્વારા ભાવનગર જિલ્લાના તળાજા અને શિહોર ના 6 ગામડાઓ દિહોર, સથરા, દેવગાણા, ટીમાણા, અણિયાળી, પીપરલા ગામના અમુક લોકો સંડોવાયેલા હોવાનો  દાવા સાથે આક્ષેપ કર્યો હતો . હવે આગળની  પોલીસ તપાસ માં નોકરી મેળવવા, ડમી ઉમેદવારી કરવા અનેક એજન્ટોની પોલ ખુલી શકે છે , તેમજ લાખોના આંકડામાં નહીં પરંતુ  કરોડો માં લેવડ દેવડ થઈ હોવાના ખુલાસા પણ બહાર આવી શકે છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">