AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : બાબા બાગેશ્વરનો ખાટુશ્યામ મંદિરમાં દર્શન કરવાનો કાર્યક્રમ રદ, સીધા ખાનગી હોટેલ પહોંચશે, VIP ભક્તો સાથે કરશે મુલાકાત

બાબા બાગેશ્વરના તમામ કાર્યક્રમ નિર્ધારિત સમય કરતા થોડા મોડા ચાલી રહયા છે. જેના કારણે ખાટુશ્યામ મંદિરમાં દર્શન કરવાનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે.

Breaking News : બાબા બાગેશ્વરનો ખાટુશ્યામ મંદિરમાં દર્શન કરવાનો કાર્યક્રમ રદ, સીધા ખાનગી હોટેલ પહોંચશે, VIP ભક્તો સાથે કરશે મુલાકાત
TV9 Gujarati
| Edited By: | Updated on: May 27, 2023 | 3:40 PM
Share

Surat : બાગેશ્વરધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો ( Baba Bageshwar) ખાટુશ્યામ મંદિરમાં દર્શન કરવાનો કાર્યક્રમ રદ થયો છે. થોડી વારમાં તેઓ ખાનગી હોટલમાં વીઆઈપીઓ સાથે મુલાકાત કરશે. બાબા બાગેશ્વરના તમામ કાર્યક્રમ નિર્ધારિત સમય કરતા થોડા મોડા ચાલી રહયા છે. જેના કારણે ખાટુશ્યામ મંદિરમાં દર્શન કરવાનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો-Jamnagar : બેદરકારીના કારણે અકસ્માત ન થાય તે માટે PGVCLની પહેલ, સેફ્ટી સાધનો વિના કામ કરનારા સામે થશે કાર્યવાહી

સુરતમાં(Surat) આજે ફરી ભરાશે બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર. જેમાં આજે પણ લોકો મોટી સંખ્યામાં હાજર રહે તેવી શકયતા છે. જેના પગલે કડક સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. સુરતમાં બાબા બાગેશ્વરના કાર્યક્રમની વાત કરીએ તો આજે તેઓ પ્રથમ ખાટુ શ્યામ મંદિરના દર્શન કરી  બાદમાં વીઆઈપી ભકતો સાથે મુલાકાત કરવાના હતા.જો કે તેમના નિર્ધારિત સમય કરતા કાર્યક્રમ મોડો થયો હોવાથી તેઓ ખાટુશ્યામ મંદિરમાં દર્શન કરવા નહીં જાય.

બીજી તરફ સુરતના નીલગિરિ મેદાનમાં બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો ગુજરાતમાં પ્રથમ દિવ્ય દરબાર યોજાયો હતો. બાબાના દિવ્ય દરબારમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી. કલાકો પહેલાં જ તડકામાં ભાવિકો ઊમટ્યા હતા. કાર્યક્રમમાં સમાય નહીં એટલા લોકો ઉમટી પડ્યાં હતા.

દિવ્ય દરબારની શરૂઆતમાં બાબા બાગેશ્વરે સનાતનનો હુંકાર કર્યો હતો અને કહ્યું કે ભારતને જ નહીં પાકિસ્તાનને પણ હિન્દુ રાષ્ટ્ર બનાવીશું. મારા બાગેશ્વર ધામના પાગલો એક વાત તમે તમારા જીવનમાં યાદ રાખજો કે જે દિવસે ગુજરાતના લોકો સંગઠિત થઈ જશે. તે દિવસે ભારત તો શું, પાકિસ્તાનને પણ હિન્દુ રાષ્ટ્ર બનાવીશું. દિવ્ય દરબારમાં બાબાએ લોકોની અરજી સ્વીકારી પ્રશ્વો સાંભળ્યાં. બાબાએ કેટલાક લોકોને મંચ પર બોલાવીને સમસ્યાનું સમાધાન આપ્યું. તો ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં ભાજપ નેતાઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા અને આશિર્વાદ લીધી હતા. દિવ્ય દરબારમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">