AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમદાવાદના ભૈરવનાથ રોડ પર નશાની હાલતમાં કાર ચલાવતા સર્જાયો અકસ્માત, પોલીસે કારચાલક સહિત 4ની કરી અટકાયત

અમદાવાદના મણીનગર વિસ્તારમાં ભૈરવનાથ રોડ પર અકસ્માત સર્જાયો છે. નશાની હાલતમાં કાર ચાલાવતા અકસ્માત સર્જાયો હતો. ભૈરવનાથ રોડ પર આવેલી રાજકમલ બેકરીની સામે કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી હતી

Breaking News : અમદાવાદના ભૈરવનાથ રોડ પર નશાની હાલતમાં કાર ચલાવતા સર્જાયો અકસ્માત, પોલીસે કારચાલક સહિત 4ની કરી અટકાયત
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 24, 2023 | 7:59 AM
Share

Ahmedabad : રાજ્યમાં વારંવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે હજી અમદાવાદના ઈસ્કોન બ્રિજ અકસ્માતના થોડા જ દિવસમાં છે. ત્યા તો અમદાવાદમાં બીજા અકસ્માતની ઘટના સામે આવી છે. અમદાવાદના મણીનગર વિસ્તારમાં ભૈરવનાથ રોડ પર અકસ્માત સર્જાયો છે. નશાની હાલતમાં કાર ચાલાવતા અકસ્માત સર્જાયો હતો.

આ પણ વાંચો : Ahmedabad ISKCON Bridge Accident: અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પર અકસ્માત કેસ રિપોર્ટમાં થશે અનેક મોટા ખુલાસા

ભૈરવનાથ રોડ પર આવેલી રાજકમલ બેકરીની સામે કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી હતી અને દિવાલમાં ઘુસી હતી. મળતી માહિતી અનુસાર કારમાંથી બિયરની બોટલ પણ મળી આવી છે. સમગ્ર ઘટનાની જાણ થતા જ ઇસનપુર પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. જેમાં પોલીસે કારચાલક સહિત 4ની કરી અટકાયત કરી છે. જો કે સદનસીબે કોઈ જાનહાની કે અવસાનના સમાચાર મળ્યા નથી.

ઈસ્કોન બ્રિજ પર ગમખ્વાર અકસ્માત

થોડા દિવસ અગાઉ અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર ગમખ્વાર અકસ્માત થયો હતો જેમાં 6 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે 3ના સારવાર દરમિયાન મોત થયા હતા. 8 થી વધુ લોકો સારવાર હેઠળ હતા. ઈસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતમાં કુલ 9 લોકોએ જીવ ગુમાવ્યા હતા. મૃત્યુ પામેલા 9 લોકોમાંથી 3 પોલીસ કર્મી હોવાનું સામે આવી રહ્યું હતુ. આરોપી તથ્ય પટેલને પોલીસે 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

ગાડી ચાલક તથ્ય પટેલના પિતા પ્રગનેશ ગોતા દુષ્કર્મનો આરોપી

ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં કાર ચલાવનાર કાર ચાલક તથ્ય પટેલની સાથે કારમાં 3 યુવતી અને 2 યુવક એટલે કુલ 6 લોકો ગાડીમાં સવાર હોય હતા.  મળતી માહિતી અનુસાર ગાડી ચાલક તથ્ય પટેલના પિતા પ્રગનેશ ગોતા દુષ્કર્મનો આરોપી છે. પિતા પ્રજ્ઞેશ પટેલ વર્ષ 2020માં રાજકોટ ની યુવતી પર ગેંગરેપ કેસનો આરોપી છે. પ્રજ્ઞેશ પટેલને અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ઝડપ્યો હતો.

બનાસકાંઠાના નેશનલ હાઇવે પર અકસ્માત

તો આ અગાઉ કાંકરેજમાં નેશનલ હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. બાઇક અને કાર વચ્ચે અકસ્માતમાં ત્રણ લોકોના મોત નિપજ્યાં હતા. મૃતદેહને નજીકની થરા રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. મહત્વનુ છે કે હાઇવે અકસ્માતમાં પોલીસે તપાસ હાથ ધરી છે. બાઈક અને સ્વિફ્ટ ગાડી વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. જે ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોના જીવ ગયા હતા.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
g clip-path="url(#clip0_868_265)">