AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમદાવાદના ભૈરવનાથ રોડ પર નશાની હાલતમાં કાર ચલાવતા સર્જાયો અકસ્માત, પોલીસે કારચાલક સહિત 4ની કરી અટકાયત

અમદાવાદના મણીનગર વિસ્તારમાં ભૈરવનાથ રોડ પર અકસ્માત સર્જાયો છે. નશાની હાલતમાં કાર ચાલાવતા અકસ્માત સર્જાયો હતો. ભૈરવનાથ રોડ પર આવેલી રાજકમલ બેકરીની સામે કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી હતી

Breaking News : અમદાવાદના ભૈરવનાથ રોડ પર નશાની હાલતમાં કાર ચલાવતા સર્જાયો અકસ્માત, પોલીસે કારચાલક સહિત 4ની કરી અટકાયત
accident
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 24, 2023 | 7:59 AM
Share

Ahmedabad : રાજ્યમાં વારંવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે હજી અમદાવાદના ઈસ્કોન બ્રિજ અકસ્માતના થોડા જ દિવસમાં છે. ત્યા તો અમદાવાદમાં બીજા અકસ્માતની ઘટના સામે આવી છે. અમદાવાદના મણીનગર વિસ્તારમાં ભૈરવનાથ રોડ પર અકસ્માત સર્જાયો છે. નશાની હાલતમાં કાર ચાલાવતા અકસ્માત સર્જાયો હતો.

આ પણ વાંચો : Ahmedabad ISKCON Bridge Accident: અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પર અકસ્માત કેસ રિપોર્ટમાં થશે અનેક મોટા ખુલાસા

ભૈરવનાથ રોડ પર આવેલી રાજકમલ બેકરીની સામે કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી હતી અને દિવાલમાં ઘુસી હતી. મળતી માહિતી અનુસાર કારમાંથી બિયરની બોટલ પણ મળી આવી છે. સમગ્ર ઘટનાની જાણ થતા જ ઇસનપુર પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. જેમાં પોલીસે કારચાલક સહિત 4ની કરી અટકાયત કરી છે. જો કે સદનસીબે કોઈ જાનહાની કે અવસાનના સમાચાર મળ્યા નથી.

ઈસ્કોન બ્રિજ પર ગમખ્વાર અકસ્માત

થોડા દિવસ અગાઉ અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર ગમખ્વાર અકસ્માત થયો હતો જેમાં 6 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે 3ના સારવાર દરમિયાન મોત થયા હતા. 8 થી વધુ લોકો સારવાર હેઠળ હતા. ઈસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતમાં કુલ 9 લોકોએ જીવ ગુમાવ્યા હતા. મૃત્યુ પામેલા 9 લોકોમાંથી 3 પોલીસ કર્મી હોવાનું સામે આવી રહ્યું હતુ. આરોપી તથ્ય પટેલને પોલીસે 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

ગાડી ચાલક તથ્ય પટેલના પિતા પ્રગનેશ ગોતા દુષ્કર્મનો આરોપી

ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં કાર ચલાવનાર કાર ચાલક તથ્ય પટેલની સાથે કારમાં 3 યુવતી અને 2 યુવક એટલે કુલ 6 લોકો ગાડીમાં સવાર હોય હતા.  મળતી માહિતી અનુસાર ગાડી ચાલક તથ્ય પટેલના પિતા પ્રગનેશ ગોતા દુષ્કર્મનો આરોપી છે. પિતા પ્રજ્ઞેશ પટેલ વર્ષ 2020માં રાજકોટ ની યુવતી પર ગેંગરેપ કેસનો આરોપી છે. પ્રજ્ઞેશ પટેલને અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ઝડપ્યો હતો.

બનાસકાંઠાના નેશનલ હાઇવે પર અકસ્માત

તો આ અગાઉ કાંકરેજમાં નેશનલ હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. બાઇક અને કાર વચ્ચે અકસ્માતમાં ત્રણ લોકોના મોત નિપજ્યાં હતા. મૃતદેહને નજીકની થરા રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. મહત્વનુ છે કે હાઇવે અકસ્માતમાં પોલીસે તપાસ હાથ ધરી છે. બાઈક અને સ્વિફ્ટ ગાડી વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. જે ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોના જીવ ગયા હતા.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">