AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમદાવાદનો વિવાદોમાં રહેલો હાટકેશ્વર બ્રિજ તોડી પડાશે, મહાનગરપાલિકાના ચાર ઇજનેરને સસ્પેન્ડ કરાયા

આ અંગેની જાહેરાત અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર એમ થેન્નારસને કરી છે. આ સાથે જ અમદાવાદ મહાનગરપાલિકાના ચાર ઇજનેરને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

Breaking News : અમદાવાદનો વિવાદોમાં રહેલો હાટકેશ્વર બ્રિજ તોડી પડાશે, મહાનગરપાલિકાના ચાર ઇજનેરને સસ્પેન્ડ કરાયા
| Updated on: Apr 15, 2023 | 6:12 PM
Share

અમદાવાદનો ઘણા સમયથી વિવાદોમાં રહેલો હાટકેશ્વર બ્રિજ અંતે તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગેની જાહેરાત અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર એમ થેન્નારસને કરી છે. આ સાથે જ અમદાવાદ મહાનગરપાલિકાના ચાર ઇજનેરને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સાથે જ બેથી અઢી વર્ષમાં નવો બ્રિજ તૈયાર કરવાની માહિતી પણ આપવામાં આવી છે.

આ પણ વાંચો-Gujarati Video: Banaskantha: 22 પાડાની થઈ ચોરી, પાંજરાપોળનો દરવાજો તોડી પશુઓને લઈ જતા જીવદયા પ્રેમીઓમાં વ્યાપ્યો રોષ

40 કરોડ રુપિયાના ખર્ચે બનેલો અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ અંતે તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એક્સપર્ટ કમિટીના રિપોર્ટમાં બ્રિજની કામગીરી નબળી હોવાનું ખુલ્યુ છે. ત્યારે આ બ્રિજને હવે તોડી પાડવામાં આવશે. તો એજન્સી અને કન્સ્ટ્રક્શન એજન્સી સામે કાર્યવાહી કરવામાં આવશે. તો સાથે જ આ કેસમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે તેવુ પણ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા જણાવવામાં આવ્યુ છે.

બ્રિજનો ખર્ચ હાલના નવા કોન્ટ્રાક્ટર પાસેથી લેવાનો નિર્ણય

મનપાના 4 ઇજનેરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સાથે જ બે એજન્સીઓને બ્લેક લિસ્ટ કરવામાં આવી હોવાનું પણ મ્યુનિસિપલ કમિશનર દ્વારા જણાવવામાં આવ્યુ છે. તો નવા બ્રિજનો ખર્ચ હાલના કોન્ટ્રાક્ટર પાસેથી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અમદાવાદ શહેરના હાટકેશ્વર વિસ્તારમાં આવેલ ફોર-લેન ફ્લાયઓવરનું ઉદ્ઘાટન 2017માં કરવામાં આવ્યુ હતું. પરંતુ ગણતરીના સમયમાં જ તે બ્રિજ જર્જરિત થઈ ગયો હતો. 40 કરોડ રુપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલો ફ્લાયઓવર ટ્રકોનું ભારણ ઉઠાવવા માટે સક્ષમ નહોતો. જેના પરિણામે ટ્રાફિકના લોડ તેમજ બ્રિજ સુપરસ્ટ્રક્ચરના વજનને ટ્રાન્સફર કરતી સ્ટ્રક્ચરલ ડિવાઈસને નુકસાન પહોંચ્યું હતુ. એટલુ જ નહીં એક પછી એક અનેક વાર બ્રિજ પર ગાબડા પડવાની ઘટનાઓ પણ સામે આવી હતી.

5 વર્ષમાં આ બ્રિજ 5 વખત બંધ કરાયો

હાટકેશ્વર બ્રિજનું કામ વર્ષ 2015માં શરૂ કરી દેવામાં આવ્યુ હતુ. 30 નવેમ્બર, 2017ના રોજ બ્રિજ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. 5 વર્ષમાં આ બ્રિજ 5 વખત બંધ કરવામાં આવ્યો છે. ઓછામાં ઓછા 50 વર્ષ સુધી બ્રિજનું સ્ટ્રક્ચર ટકી રહે તેવી રીતે નિર્માણનો દાવો કરવામાં આવ્યો હતો. જો કે બ્રિજ બન્યા બાદ સૌ પ્રથમ વખત માર્ચ 2021માં તેમાં ગાબડું પડ્યુ હતુ. અત્યાર સુધીમાં કુલ 5 વખત ગાબડાં પડ્યા છે. જો કે ઓગસ્ટ 2022માં સલામતીને ધ્યાને રાખી બ્રિજ બંધ કરાયો હતો.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

 

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">