AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમદાવાદનો ઈદગાહ બ્રિજ 15 દિવસ લોકો માટે કરાયો બંધ, રેલવે વિભાગના અધિકારીઓ દ્વારા આ કારણસર લેવાયો નિર્ણય

લોખંડની રેલિંગનું વજન વધી જતા અકસ્માતનું જોખમ હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. કોન્ક્રિટ પરની રેલિંગ નીચેથી પસાર થતી ટ્રેન પર પડવાનો ભય છે. રેલવે વિભાગના અધિકારીઓ દ્વારા સર્વે કરાયા બાદ નિર્ણય લેવાયો છે.

Breaking News : અમદાવાદનો ઈદગાહ બ્રિજ 15 દિવસ લોકો માટે કરાયો બંધ, રેલવે વિભાગના અધિકારીઓ દ્વારા આ કારણસર લેવાયો નિર્ણય
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 02, 2023 | 9:47 AM
Share

Ahmedabad : અમદાવાદના કાલુપુર પાસે આવેલો ઈદગાહ બ્રિજ (Eidgah Bridge) લોકો માટે બંધ કરાયો છે. ઈદગાહ બ્રિજ 15 દિવસ માટે બંધ રહેશે. વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. ત્યારે હવે વાહન ચાલકોને બે કિલોમીટર ફરીને જવું પડશે. લોખંડની રેલિંગનું વજન વધી જતા અકસ્માતનું (Accident) જોખમ હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. કોન્ક્રિટ પરની રેલિંગ નીચેથી પસાર થતી ટ્રેન પર પડવાનો ભય છે. રેલવે વિભાગના અધિકારીઓ દ્વારા સર્વે કરાયા બાદ નિર્ણય લેવાયો છે.

આ પણ વાંચો- Breaking News : ગુજરાતમાં પાંચ દિવસ વરસાદી માહોલ રહેવાની આગાહી, દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે વરસાદ

15 જૂન 2023 સુધી આ બ્રિજને બંધ રાખવામાં આવશે

બ્રિજ વચ્ચે રેલવે પોર્શનમાં કોન્ક્રિટની રેલિંગનો વજન વધી ગયો છે. જેના કારણે કોન્ક્રિટ નીચેથી પસાર થતી ટ્રેન ઉપર પડવાનો ભય રહેલો છે. જેના કારણે હવે આ રેલિંગને દૂર કરવા માટેનો નિર્ણય પશ્ચિમ રેલવે દ્વારા લેવામાં આવ્યો છે. આ કામગીરી આગામી 15 દિવસ સુધી ચાલવાની હોવાથી 15 જૂન, 2023 સુધી આ બ્રિજને બંધ રાખવામાં આવશે. બ્રિજ બંધ કરવાના કારણે કાલુપુર તરફ જવા અને શાહીબાગ તરફ આવવા માટે લોકોએ બે કિલોમીટર જેટલું ફરીને આવવું પડશે.

અહીં ગમે ત્યારે અકસ્માત સર્જાવોનો ભય રહેલો છે

ઇદગાહ બ્રિજ પર રોજ લાખો વાહનોની અવર જવર થતી હોય છે. શાહીબાગથી કાલુપુર તરફ અને કાલુપુરથી શાહીબાગ તરફ જનારા લોકો આ બ્રિજ પર થઇને જ પસાર થતા હોય છે. સાથે જ આ રેલવે ઓવરબ્રિજ પરથી રોજની અનેક ટ્રેનો પસાર થાય છે. જો કે કોન્ક્રિટ પરની રેલિંગ પરનું વજન વધી જતા અહીં ગમે ત્યારે અકસ્માત સર્જાવોનો ભય રહેલો છે.  આ બાબતે પશ્ચિમ રેલવેના બ્રિજ વિભાગના એન્જિનિયર દ્વારા સર્વે કરવામાં આવ્યો છે. કોઈપણ પ્રકારની દુર્ઘટના ન સર્જાય તેના માટે થઈ અને આ રેલિંગ કાઢવાનો નિર્ણય પશ્ચિમ રેલવે દ્વારા લેવામાં આવ્યો છે. અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડી આ બ્રિજને 31 મેથી 15 દિવસ સુધી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
ઓનલાઈન મીટિંગમાં પપ્પાએ લીધો દીકરીનો 'ક્લાસ', વીડિયો થયો 'વાયરલ'
ઓનલાઈન મીટિંગમાં પપ્પાએ લીધો દીકરીનો 'ક્લાસ', વીડિયો થયો 'વાયરલ'
સુરતમાં ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ નામનું બોર્ડ લગાવાતા વિવાદ
સુરતમાં ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ નામનું બોર્ડ લગાવાતા વિવાદ
ના નેતા, ના કોઈ અભિનેતા... ગ્રાન્ડ ઓપનિંગમાં પહોંચ્યો 'VVIP રોબોટ'
ના નેતા, ના કોઈ અભિનેતા... ગ્રાન્ડ ઓપનિંગમાં પહોંચ્યો 'VVIP રોબોટ'
તહેવારો પહેલા સુરતમાં ફૂડ સેફ્ટી અંગે સતર્ક મનપા
તહેવારો પહેલા સુરતમાં ફૂડ સેફ્ટી અંગે સતર્ક મનપા
ગરમ પવન-ભેજના અભાવના કારણે ગુજરાતમાં હાલ સારો વરસાદ નહીં
ગરમ પવન-ભેજના અભાવના કારણે ગુજરાતમાં હાલ સારો વરસાદ નહીં
દમણમાં મોનસુન ફેસ્ટીવલનો પ્રારંભ, નશામુક્ત રહેવા યુવાનોને અપીલ
દમણમાં મોનસુન ફેસ્ટીવલનો પ્રારંભ, નશામુક્ત રહેવા યુવાનોને અપીલ
અમદાવાદમાં મીઠાઈ વિક્રેતાઓેને ત્યાં ફુડ વિભાગનો રેપિડ ટેસ્ટ લાઈવ ડેમો
અમદાવાદમાં મીઠાઈ વિક્રેતાઓેને ત્યાં ફુડ વિભાગનો રેપિડ ટેસ્ટ લાઈવ ડેમો
Breaking News : દારુકાંડમાં વધુ 13 આરોપીઓ પર પોલીસનો સપાટો..
Breaking News : દારુકાંડમાં વધુ 13 આરોપીઓ પર પોલીસનો સપાટો..
બનાસકાંઠામાં મહિલાના ધર્માંતરણનો આરોપ, ચાર શખ્સો સામે નોંધાઈ ફરિયાદ
બનાસકાંઠામાં મહિલાના ધર્માંતરણનો આરોપ, ચાર શખ્સો સામે નોંધાઈ ફરિયાદ
નંબર પ્લેટ વગર વાહન અને નો ઇંધણ જાહેરનામું: રાજકોટના વીડિયો પર સવાલો
નંબર પ્લેટ વગર વાહન અને નો ઇંધણ જાહેરનામું: રાજકોટના વીડિયો પર સવાલો
g clip-path="url(#clip0_868_265)">