AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : વન વિભાગના કર્મચારીઓ પર હુમલાના કેસમાં AAP ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 8 આરોપીઓ દોષિત જાહેર

ડેડીયાપાડા જંગલ જમીન વિવાદ કેસમાં નર્મદા સેશન્સ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવા, તેમની પત્ની સહિત કુલ આઠ આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. આ કેસ છેલ્લા ત્રણ વર્ષથી ચર્ચામાં રહ્યો હતો.

Breaking News : વન વિભાગના કર્મચારીઓ પર હુમલાના કેસમાં AAP ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 8 આરોપીઓ દોષિત જાહેર
Chaitar Vasava
| Updated on: Jun 23, 2026 | 1:45 PM
Share

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા જંગલ જમીન વિવાદ મામલે ચૈતર વસાવા સહિત તેમના પરિવાર પર આરોપ હતો કે તેમણે વન વિભાગના કર્મચારીઓ પર હુમલો કર્યો હતો જે મુદ્દે નર્મદા સેશન્સ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવા, તેમની પત્ની સહિત કુલ આઠ આરોપીઓને દોષિત જાહેર કર્યા છે

ચૈતર વસાવા સહિત કુલ આઠ આરોપીઓને દોષિત જાહેર

ઓક્ટોબર 2023માં નર્મદા જિલ્લાના ડેડીયાપાડા વિસ્તારમાં જંગલ ખાતાની જમીનને લઈને વિવાદ ઉભો થયો હતો. આરોપ હતો કે અમુક પ્રભાવશાળી લોકોએ જંગલની જમીન પર ગેરકાયદે કબજો જમાવ્યો હતો. આ અંગે જાણ થતાં વન વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા અને કાર્યવાહી અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન જમીન પર ખેડાણના મુદ્દે અધિકારીઓ અને ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા તથા તેમના સમર્થકો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને માથાકૂટ થઈ હતી.

ચૈતર વસાવા પર હુમલો કરવાનો આરોપ

અધિકારીઓએ ધારાસભ્ય અને તેમના સંબંધીઓ પર વનવિભાગના આધિકારી સાથે ગેરવર્તણૂક કરીને હુમલો કરવાનો આરોપ મૂક્યો હતો, જેના પગલે ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. ત્યારબાદ કેસ કોર્ટમાં પહોંચ્યો હતો. મે 2026માં ગુજરાત હાઈકોર્ટે ચૈતર વસાવાની અરજી ફગાવી દીધી હતી તેમજ બચાવ પક્ષના સાક્ષીઓની વધુ તપાસ કરવાની માંગ પણ નામંજૂર કરી હતી, સાથે જ હાઈકોર્ટે નીચલી કોર્ટને ટ્રાયલ ઝડપથી પૂર્ણ કરવાનો આદેશ આપ્યો હતો.

ચૈતર વસાવાની પત્ની પણ દોષિત જાહેર

લાંબી કાનૂની પ્રક્રિયા બાદ હવે નર્મદા સેશન્સ કોર્ટે ચૈતર વસાવા તેમની પત્ની અને અન્ય આઠ આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. સજાની જાહેરાત અંગે હવે સૌની નજર કોર્ટના આગામી આદેશ પર ટકેલી છે.

Surat Breaking News : નાસીરનગર ડિમોલિશન કેસમાં તપાસ રિપોર્ટમાં મોટા ખુલાસા, 15 અધિકારીઓના નામ આવ્યા સામે, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
હાર્દિક અને અલ્પેશ સહિતના પાટીદાર આગેવાનોને મોટી રાહત મળી
હાર્દિક અને અલ્પેશ સહિતના પાટીદાર આગેવાનોને મોટી રાહત મળી
સુરત ડિમોલિશન કેસમાં મોટો ખુલાસો, 15 અધિકારીઓના નામ આવ્યા સામે
સુરત ડિમોલિશન કેસમાં મોટો ખુલાસો, 15 અધિકારીઓના નામ આવ્યા સામે
પરિવારમાં આવશે ઉત્સાહ અને ખુશીઓ, અચાનક બિઝનેસ ટ્રિપથી થશે મોટો ફાયદો
પરિવારમાં આવશે ઉત્સાહ અને ખુશીઓ, અચાનક બિઝનેસ ટ્રિપથી થશે મોટો ફાયદો
અમદાવાદમાં ગરીબનગર ચાર રસ્તા પાસે ગંભીર અકસ્માત, યુવતીનું મોત
અમદાવાદમાં ગરીબનગર ચાર રસ્તા પાસે ગંભીર અકસ્માત, યુવતીનું મોત
અમદાવાદમાં ગેરકાયદે પાર્કિંગ પર AMCનો સકંજો
અમદાવાદમાં ગેરકાયદે પાર્કિંગ પર AMCનો સકંજો
સાબરકાંઠા: ખાતર વિતરણ માટેની મોબાઈલ એપ બની માથાનો દુખાવો
સાબરકાંઠા: ખાતર વિતરણ માટેની મોબાઈલ એપ બની માથાનો દુખાવો
બોટાદમાં મધુ નદીમાં કચરો ઠલવાતા સ્થાનિકોમાં ભારે રોષ, પૂરની ભીતિ
બોટાદમાં મધુ નદીમાં કચરો ઠલવાતા સ્થાનિકોમાં ભારે રોષ, પૂરની ભીતિ
દ્વારિકાના નાથના અનેરા ભક્તની આકરી ભક્તિ, દંડવત કરી દ્વારકા પહોંચશે
દ્વારિકાના નાથના અનેરા ભક્તની આકરી ભક્તિ, દંડવત કરી દ્વારકા પહોંચશે
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કેમ્પસ સુધી પહોંચ્યો દીપડો
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કેમ્પસ સુધી પહોંચ્યો દીપડો
અમદાવાદમાં રિક્ષા મુસાફરી મોંઘી થઈ: મિનિમમ અને પ્રતિ કિમી ભાડું વધ્યું
અમદાવાદમાં રિક્ષા મુસાફરી મોંઘી થઈ: મિનિમમ અને પ્રતિ કિમી ભાડું વધ્યું
g clip-path="url(#clip0_868_265)">