Breaking News : વન વિભાગના કર્મચારીઓ પર હુમલાના કેસમાં AAP ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 8 આરોપીઓ દોષિત જાહેર
ડેડીયાપાડા જંગલ જમીન વિવાદ કેસમાં નર્મદા સેશન્સ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવા, તેમની પત્ની સહિત કુલ આઠ આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. આ કેસ છેલ્લા ત્રણ વર્ષથી ચર્ચામાં રહ્યો હતો.

Chaitar Vasava
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા જંગલ જમીન વિવાદ મામલે ચૈતર વસાવા સહિત તેમના પરિવાર પર આરોપ હતો કે તેમણે વન વિભાગના કર્મચારીઓ પર હુમલો કર્યો હતો જે મુદ્દે નર્મદા સેશન્સ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવા, તેમની પત્ની સહિત કુલ આઠ આરોપીઓને દોષિત જાહેર કર્યા છે
Follow Us
