AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બોટાદમાં દારૂકાંડની ઘટનામાં Dyspની અધ્યક્ષતામાં SITની રચના, વિપક્ષે કહ્યું ભ્રષ્ટાચારનું એપિસેન્ટર ગૃહ વિભાગ

બોટાદ જિલ્લાના રોજીદ ગામે લઠ્ઠાકાંડની આશંકા સેવાઈ રહી છે. સંભવિત લઠ્ઠાકાંડની (Hooch Tragedy)  ઘટનામાં 4 લોકોના મોત થયા છે.  આ ઘટનામાં દારૂ પીધા બાદ 10થી વધુ લોકોની તબિયત બગડી હતી. તે પૈકી એકનું ભાવનગરમાં સારવાર દરમિયાન મોત થયું હતું.

બોટાદમાં દારૂકાંડની ઘટનામાં Dyspની અધ્યક્ષતામાં SITની રચના, વિપક્ષે કહ્યું ભ્રષ્ટાચારનું એપિસેન્ટર ગૃહ વિભાગ
SIT headed by Dysp formed in Botad liquor case hooch tragedy, Congress says home department is epicenter of corruption
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2022 | 7:20 PM
Share

બોટાદમાં  (Botad) સંભવિત લઠ્ઠાકાંડ (Hooch Tragedy) થી ઓછામાં ઓછા 8 લોકોના મોત થયા હોવાના અહેવાલ  સૂત્રો દ્વારા પ્રાપ્ત  થયા છે. આ ઘટનામાં રેન્જ આઇજી અશોક યાદવ,  પણ હોસ્પિટલમાં પહોંચ્યા હતા બોટાદ જિલ્લાના રોજીદ ગામે લઠ્ઠાકાંડની આશંકા સેવાઈ રહી છે. સંભવિત લઠ્ઠાકાંડની ઘટનામાં  પહેલા 4 લોકોના મોત  ત્યાર બાદ 8 લોકોના મોત થયા હોવાના અહેવાલ સૂત્રો દ્વારા પ્રાપ્ત થયા  છે.  બોટાદ જિલ્લાના બરવાળાના રોજીદ ગામમાં સવારે 10 લોકોની તબિયત બગડી હોવાની ઘટના બની હતી.  પીધા બાદ 10 વધુ લોકોની તબિયત બગડી હતી. આ ઘટનામાં તપાસ માટે SITની રચના કરવામાં આવી છે બોટાદ જિલ્લાના રોજીદ ગામે લઠ્ઠાકાંડની આશંકા સેવાઈ રહી છે. સંભવિત લઠ્ઠાકાંડની (Hooch Tragedy)  ઘટનામાં 8 લોકોનાં મોત થયાં છે.  આ ઘટનામાં દારૂ પીધા બાદ 10થી વધુ લોકોની તબિયત બગડી હતી. તે પૈકી એકનું ભાવનગરમાં સારવાર દરમિયાન મોત થયું હતું. તેમજ અસરગ્રસ્ત અન્ય લોકોને પણ બોટાદ તેમજ ભાવનગરની હોસ્પટિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

સરપંચે  પોલીસને દારૂના વેચાણ અંગે કરી હતી રજૂઆત

આ સમગ્રોર ઘટનામાં વિગતો સામે આવી છે કે  રોજીદ ગામમાં  કેટલાય સમયથી દેશી દારૂના ધૂમ વેંચાણ થતું હતું અને આ મુદ્દાને લઇને સરપંચે અગાઉ પણ પોલીસને રજૂઆત કરી હતી.  નોંધનીય છે કે અસરગ્રસ્ત થનારા લોકોએ નભોઈ ગામમાંથા દારૂ પીધો હતો.  નભોઈ ગામે ઝેરી દારૂ પીધા બાદ તમામની તબીયત લથડી હતી. બીજી તરફ ઝેરી દારૂથી મોત થયાની વાત સામે આવતા ભાવનગર રેન્જ આઈજી બોટાદ હોસ્પિટલ પહોંચ્યા હતા.

દરમિયાન  કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોષીએ  સરકાર પર ચાબખા મારતા કહ્યું હતું કે ગુજરાત સરકારનો ગૃહ વિભાગ મોટી જાહેરાતો કરે અને બુટલેગરો બેફામ  બનીને દારૂનો વેપલો કરે  છે.

આ પણ વાંચો

નોંધનીય છે  કે અમદાવાદમાં વર્ષ 2009ના ઓઢવ લઠ્ઠાકાંડ કેસમાં 6 આરોપીઓને કોર્ટે દોષિત જાહેર કર્યા હતા. આ લઠ્ઠાકાંડમાં કુલ 123 લોકોનાં મોત થયાં હતાં. કેસમાં 33થી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. સેશન્સ કોર્ટે ચુદાકો આપતા 6 આરોપીને દોષિત જાહેર કર્યા છે. સુનાવણી દરમિયાન 650 જેટલા સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી.

Follow Us
આ બેઠક પર તમામ પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, જુઓ Video
આ બેઠક પર તમામ પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, જુઓ Video
વડોદરા: ઇસ્કોન હાઇટ્સમાં ભીષણ આગ; 300 લોકોના જીવ તાળવે ચોંટ્યા
વડોદરા: ઇસ્કોન હાઇટ્સમાં ભીષણ આગ; 300 લોકોના જીવ તાળવે ચોંટ્યા
ચૂંટણી પંચ ભાજપનો ભગવો પહેરી કામ કરે છેઃ MLA શૈલેષ પરમાર
ચૂંટણી પંચ ભાજપનો ભગવો પહેરી કામ કરે છેઃ MLA શૈલેષ પરમાર
દાણીલીમડા વોર્ડમાં AP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
દાણીલીમડા વોર્ડમાં AP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી
ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી
મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો
મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો
મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ
મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ
Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો
Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો
Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'
Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
g clip-path="url(#clip0_868_265)">