કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પાલીતાણાના ખાખરીયા ગામને લીધુ દત્તક, આદર્શ ગામ બનાવવા કર્યો સંકલ્પ

Bhavnagar News : કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ સાંસદ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત ખાખરીયા ગામને દત્તક લીધુ હતુ. મનસુખ માંડવિયાએ ખાખરીયા ગામને આદર્શ ગામ બનાવવાનો સંકલ્પ લીધો છે.

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પાલીતાણાના ખાખરીયા ગામને લીધુ દત્તક, આદર્શ ગામ બનાવવા કર્યો સંકલ્પ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 13, 2023 | 4:00 PM

ભાવનગરના પાલીતાણામાં સતુઆબાબા વિદ્યાસંકુલ ખાતે ખાતર ઉત્પાદક સંસ્થા ઇફકો દ્વારા કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયાની અધ્યક્ષતામાં સહકારી સંમેલન યોજાયુ હતુ. જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ સાંસદ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત ખાખરીયા ગામને દત્તક લીધુ હતુ. મનસુખ માંડવિયાએ ખાખરીયા ગામને આદર્શ ગામ બનાવવાનો સંકલ્પ લીધો છે. સમગ્ર ગામની કાયાકલ્પ કરી તેને એક આદર્શ ગામ બનાવવાનો નિર્ધાર મનસુખ માંડવિયાએ કર્યો છે.

વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા

કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયાએ પાલીતાણાના ખાખરીયાને સાંસદ આદર્શ ગામ તરીકે દત્તક લીધુ છે. ખાતર ઉત્પાદક સંસ્થા ઇફકો દ્વારા યોજાયેલા એક કાર્યક્રમમાં મનસુખ માંડવિયાએ ખાખરીયા ગામને આદર્શ ગામ બનાવવાનો સંકલ્પ લીધો છે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયાએ રૂ. 13.47 લાખના વિવિધ વિકાસના કામોના ખાત મુર્હૂત કર્યા હતા. સાથે જ રૂ. 14.77 લાખના વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ તકે કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ ભાઈ માંડવીયાએ જણાવ્યું હતું કે ભૌતિક સુવિધાની સાથે ગામમાં નાગરિકોનો વ્યવહાર આદર્શ બને તે ગામ ખરા અર્થમાં આદર્શ ગામ બને છે. નીતિ, રીતે અને વ્યવહાર હજુ ગામડામાં રહેલા છે. આવનારો સમય ગામડાનો આવી રહ્યો છે. આદર્શ ગામની વ્યાખ્યામાં આદર્શ જીવન રહેલું છે. આ કાર્યક્રમમાં ભાજપ ના પદાધિકારીઓ, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

BSF અને CRPF માં શું અંતર છે? જાણો કોને કેટલી મળે છે સેલરી
આજનું રાશિફળ તારીખ : 25-09-2024
જાહ્નવી શ્રીમાંકર અમદાવાદમાં ગરબાની રમઝટ બોલાવશે
શું તમને પણ રહે છે Dry Eyesની સમસ્યા? તો જાણો ઘરેલુ ઉપચાર
T20 વર્લ્ડ કપમાં માત્ર મહિલાઓ જ કરશે અમ્પાયરિંગ, જાણો કેટલો મળે છે પગાર?
કાશ્મીરી રાજમા આ રીતે બનાવી તમારા ડિનરને બનાવો ખાસ

ક્યારથી શરુ થઇ સાંસદ આદર્શ ગ્રામ યોજના ?

વર્ષ 2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સાંસદ આદર્શ ગ્રામ યોજના શરુ કરવામાં આવી હતી. ગામડાઓના સર્વાંગી વિકાસ માટે વડાપ્રધાન મોદી દ્વારા આ યોજના શરુ કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત સાંસદો ઓછામાં ઓછા ત્રણ ગામને દત્તક લેવાના રહે છે. ત્યારબાદ આરોગ્ય, શિક્ષણ અને પર્યાવરણની સાથે સ્વચ્છતાની દિશામાં પણ ગામમાં સુધારા કરવાના રહે છે.

આદર્શ ગામમાં હોસ્પિટલ, શાળા, લાઈબ્રેરી, રમત-ગમતનું મેદાન, ઈ-સાક્ષરતા અને સાર્વજનિક શૌચાલયની સુવિધા ઊભી કરવાની રહે છે. આ ઉપરાંત આદર્શ ગામના દરેક ખેડૂતોને આરોગ્ય કાર્ડ અને આધાર કાર્ડની સાથે સોઈલ હેલ્થ કાર્ડ પણ આપવામાં આવશે. શાળાને સ્માર્ટ સ્કૂલ પણ બનાવી શકાશે. આદર્શ ગામ પોતાનો આર્થિક એજન્ડા પણ તૈયાર કરશે.

વાઘોડિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસ્યો ભારે વરસાદ
વાઘોડિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસ્યો ભારે વરસાદ
ફલોરસન્ટ પબ્લિક સ્કૂલના સંચાલકે કર્યો આપઘાત,18 પાનાની સ્યૂસાઈડ નોટ મળી
ફલોરસન્ટ પબ્લિક સ્કૂલના સંચાલકે કર્યો આપઘાત,18 પાનાની સ્યૂસાઈડ નોટ મળી
ખાણ ખનીજ અધિકારીની કારમાં GPS ટ્રેકર લગાવવા મામલે ત્રણની ધરપકડ
ખાણ ખનીજ અધિકારીની કારમાં GPS ટ્રેકર લગાવવા મામલે ત્રણની ધરપકડ
ગુજરાતમાં આગામી 3 દિવસ અતિભારે વરસાદની આગાહી
ગુજરાતમાં આગામી 3 દિવસ અતિભારે વરસાદની આગાહી
સાબરકાંઠા હિંમતનગરમાં અકસ્માતમાં 7ના મોત
સાબરકાંઠા હિંમતનગરમાં અકસ્માતમાં 7ના મોત
આ રાશિના જાતકો આવક વધતા સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકો આવક વધતા સંપત્તિમાં વધારો થવાના સંકેત
પાણી ન મળતા મહિલા બની રણચંડી, રોડ પર ચક્કાજામ કરી કર્યો વિરોધ- Video
પાણી ન મળતા મહિલા બની રણચંડી, રોડ પર ચક્કાજામ કરી કર્યો વિરોધ- Video
બોટાદ નગરપાલિકામાં ફાયરના વાહનો બન્યા શોભાના ગાંઠિયા, બન્યા ભંગાર
બોટાદ નગરપાલિકામાં ફાયરના વાહનો બન્યા શોભાના ગાંઠિયા, બન્યા ભંગાર
કતારગામમાં દેશી હાથ પિસ્તોલ સાથે એક આરોપી ઝડપાયો
કતારગામમાં દેશી હાથ પિસ્તોલ સાથે એક આરોપી ઝડપાયો
નવરાત્રી દરમિયાન મહિલાઓની સુરક્ષા માટે પોલીસે કર્યું વિશેષ આયોજન
નવરાત્રી દરમિયાન મહિલાઓની સુરક્ષા માટે પોલીસે કર્યું વિશેષ આયોજન
g clip-path="url(#clip0_868_265)">