AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhavnagar : ભાવનગરવાસીઓને ઉનાળામાં નહીં પડે પાણીની તકલીફ, મહાનગરપાલિકાએ કર્યું ખાસ આયોજન

ભાવનગરમાં દર વર્ષે ઉનાળાની શરૂઆતમાં જ કેટલાક વિસ્તારોમાં પાણીનો કકળાટ શરૂ થઈ જાય છે. પરંતુ આ વર્ષે લોકોને પાણીની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે મહાનગર પાલિકાએ ખાસ આયોજન કર્યું છે.

Bhavnagar : ભાવનગરવાસીઓને ઉનાળામાં નહીં પડે પાણીની તકલીફ, મહાનગરપાલિકાએ કર્યું ખાસ આયોજન
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 04, 2023 | 9:47 AM
Share

ભાવનગરવાસીઓને ઉનાળામાં પીવાના પાણી માટે નહીં મારવા પડે વલખાં. ભાવનગરમાં દર વર્ષે ઉનાળાની શરૂઆતમાં જ કેટલાક વિસ્તારોમાં પાણીનો કકળાટ શરૂ થઈ જાય છે. પરંતુ આ વર્ષે લોકોને પાણીની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે મહાનગર પાલિકાએ ખાસ આયોજન કર્યું છે.

આ પણ વાંચો : Bhavanagar : શ્વાનના ત્રાસથી શહેરીજનોમાં ફફડાટ, ખસીકરણની કામગીરી ગોકળગતિએ, જુઓ Video

મેયરનું કહેવું છે કે આ વર્ષે ઉનાળામાં પીવાના પાણીની કોઇ સમસ્યા ઉભી નહીં થાય. લોકોને પાણીની તકલીફ ન પડે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. મેયરનો દાવો છે કે ઉનાળામાં ચાલે તેટલા પ્રમાણમાં શહેરના બોર તળાવમાં પાણીનો જથ્થો છે. જો બોર તળાવ અને સ્થાનિક પાણીના સોર્સમાંથી પાણી ઘટશે તો છેલ્લે સૌની યોજનાથી બોર તળાવ અને શેત્રુંજી ડેમમાં પાણી ઠલવવામાં આવશે.

રાજકોટના 67 ગામો માટે રાહતના સમાચાર

આ અગાઉ રાજકોટ જિલ્લાના ધોરાજી, કુતિયાણા અને માણાવદરના 67 ગામો માટે રાહતના સમાચાર છે. રાજકોટના આ ગામડાઓને પીવાનું પાણી પુરૂ પાડતા ભાદર-2 ડેમમાં પુષ્કળ પ્રમાણમાં પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ધોરાજી તાલુકાના ભૂખી ગામ પાસે આવેલા ભાદર-2 ડેમમાં ઓગસ્ટ માસ સુધી ચાલે એટલો પાણીનો જથ્થો છે. જેથી ઓગસ્ટ માસના અંત સુધી આ 67 ગામોને પીવાના પાણીની સમસ્યા નહીં સર્જાય તેવી શક્યતા છે.

ન્યારી-1 ડેમમાં પહોંચ્યું સૌની યોજનાનું પાણી

તો બીજી તરફ રાજકોટના ન્યારી-1 ડેમમાં સૌની યોજનાનું પાણી પહોંચ્યું છે. ઉનાળાની શરૂઆતમાં જ રાજકોટમાં પાણીની બુમરાણ ઉગ્ર બની હતી. શહેરના ડેમ તળિયા ઝાટક થવાના આરે હતા. જેને લઈને રાજકોટ કોર્પોરેશને સરકાર પાસે પાણીની માગ કરી હતી. જેથી ન્યારી-1 ડેમમાં સૌની યોજનાનું પાણી પહોંચાડવામાં આવ્યું છે.

શું છે સૌની યોજના ?

સૌની યોજનાનું પૂરું નામ સૌરાષ્ટ્ર-નર્મદા સિંચાઈ યોજના છે. આ યોજનાનું સપનું ગુજરાતના ભૂતર્પૂવ મુખ્યમંત્રી અને વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતના પાણીની અછતવાળા વિસ્તારોમાં પાણી પૂરું પાડવા માટે અમલમાં મુકવામાં આવી હતી. આ યોજનાની જાહેરાત વર્ષ 2012માં કરવામાં આવી હતી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
g clip-path="url(#clip0_868_265)">