AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video: ભાવનગરના ખેડૂતોએ ડુંગળીના ભાવ મુદ્દે પંજાબના CM ભગવંત માનને કરી રજૂઆત, ભગવંત માને ડુંગળીની ખરીદીની તૈયારી દર્શાવી

Bhavnagar News : પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. ત્યારે ખેડૂતોએ ભગવંત માનને જણાવ્યું હતુ કે ડુંગળીના પૂરતા ભાવ ન મળવાને કારણે ખેડૂતો પાકનો નાશ કરવા મજબૂર બન્યા છે.

Gujarati Video: ભાવનગરના ખેડૂતોએ ડુંગળીના ભાવ મુદ્દે પંજાબના CM ભગવંત માનને કરી રજૂઆત, ભગવંત માને ડુંગળીની ખરીદીની તૈયારી દર્શાવી
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 26, 2023 | 6:14 PM
Share

ભાવનગરમાં ડુંગળીના સતત ગગડી રહેલા ભાવને કારણે જગતના તાતની આર્થિક હાલત વધુ કફોડી થઇ છે. ત્યારે ભાવનગરની મુલાકાતે આવેલા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સમક્ષ ખેડૂતોએ તેમની વ્યથા રજૂ કરી હતી. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. ત્યારે ખેડૂતોએ ભગવંત માનને જણાવ્યું હતુ કે ડુંગળીના પૂરતા ભાવ ન મળવાને કારણે ખેડૂતો પાકનો નાશ કરવા મજબૂર બન્યા છે.

ભગવંત માને ખેડૂતો પાસેથી ડુંગળીની ખરીદીની તૈયારી બતાવી

ખેડૂતોની રજૂઆતની સામે ભગવંત માને ખેડૂતો પાસેથી ડુંગળીની ખરીદીની તૈયારી બતાવી હતી. ભગવંત માને ખેડૂતોને આગામી 2 સપ્તાહ સુધી ડુંગળીના પાકનો નાશ ન કરવા જણાવ્યું હતુ. ભગવંત માને કહ્યું કે તેઓ તેમના અધિકારીઓ સાથે વાતચીત કરશે. આગામી 10 દિવસમાં પંજાબ અને દિલ્લી સરકાર ડુંગળીની ખરીદી કરશે તેવું આશ્વાસન પણ ભગવંત માને ખેડૂતોને આપ્યું.

આ વર્ષે ડુંગળીનું મબલખ ઉત્પાદન

મહત્વનું છે કે ભાવનગર જિલ્લામાં આ વર્ષે ડુંગળીનું મબલખ ઉત્પાદન થયું છે, પરંતુ ડુંગળીના ભાવ સાવ તળિયે પહોંચી જતાં ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. 20 કિલો ડુંગળીના 40 થી 50 રૂપિયા જેવા તળિયાના ભાવ મળી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસથી કિસાન મોરચા તથા ભાવનગર જિલ્લાના ખેડૂતો સરકાર સમક્ષ રજૂઆતો કરી રહ્યા છે, પરંતુ સરકાર દ્વારા ન તો સબસીડી જાહેર કરાઇ છે કે ન તો ટેકાના ભાવ જાહેર કરાયા છે. જેના કારણે અનેક ખેડૂતો પાયમાલ થવાના આરે આવી ગયા છે.

મહુવા માર્કેટ યાર્ડમાં આજે ડુંગળીની રેકોર્ડ બ્રેક આવક

ભાવનગર મહુવા માર્કેટ યાર્ડમાં આજે ડુંગળીની રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ છે. સૌરાષ્ટ્રમાં ડુંગળીનું હબ ગણાતા મહુવા માર્કેટ યાર્ડમાં લાલ અને સફેદ ડુંગળીની કુલ 6 લાખથી વધુ આવક થઈ છે. મોટી સંખ્યામાં ખેડૂતો ડુંગળી વેચવા યાર્ડમાં આવ્યા હતા, પરંતુ ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં રોષ ફેલાયો હતો. ડુંગળીના 50થી 90ના આસપાસ ભાવ મળતા ખેડૂતોને મોટાપાયે નુકસાન થઈ રહ્યું છે. મોંઘાભાવના બિયારણ સામે ખેડૂતોનો ખર્ચ પણ નહીં નીકળતા ખેડૂતોએ સરકાર સામે રોષ ઠાલવ્યો હતો.

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">