ભાવનગરઃ જ્વેલરી પાર્કની જાહેરાત પર દોઢ દાયકાની ધૂળ જામી ગઈ ! નિરાશ રત્ન કલાકારો સ્થળાંતરનાં માર્ગે

રાજ્યમાં સુરત બાદ ભાવનગરમાં(Bhavnagar) રત્ન કલાકારો વસે છે પરંતુ અહીં જેમ્સ જ્વેલરીની જાહેરાતને 15 વર્ષથયા બાદ પણ તે અંગે કોઈ નક્કર કામ થયું નથી.

ભાવનગરઃ જ્વેલરી પાર્કની જાહેરાત પર દોઢ દાયકાની ધૂળ જામી ગઈ ! નિરાશ રત્ન કલાકારો સ્થળાંતરનાં માર્ગે
ભાવનગરઃ જેમ્સ એન્ડ જ્વેલરી પાર્ક બનવાની 2007માં થઈ હતી જાહેરાત
Follow Us:
Ajit Gadhavi
| Edited By: | Updated on: Jun 10, 2022 | 9:34 AM

(Bhavnagar)ભાવનગર શહેર અને જિલ્લામાં વિવિધ પ્રકારના હીરા બનાવતા નાના-મોટા અસંખ્ય કારખાનાઓ આવેલા છે. જોકે હીરા ઉદ્યોગની માળખાગત સુવિધાના અભાવને પગલે રત્ન કલાકારોને મૂળ વતનથી દૂર સુરત વસવાટ કરવા મજબૂર બનવું પડે છે. ત્યારે રત્ન કલાકારો (Gem artists)અને હીરા ઉદ્યોગ (Diamond industry)એસોસિયેશનની માંગ છે કે  જેમ સુરતમાં  ડાયમંડ બુર્સ બન્યો તેમ ભાવનગરમાં  જેમ્સ જવેલરી પાર્કનું સત્વરે નિર્માણ કરવામાં આવે.રાજ્યમાં સુરત બાદ ભાવનગરમાં મોટી સંખ્યામાં રત્ન કલાકારો વસે છે, પરંતુ અહીં જેમ્સ જ્વેલરીની જાહેરાતને 15 વર્ષ થયા બાદ પણ તે અંગે કોઈ નક્કર કામ થયું નથી.

સુરતમાં હીરાના મોટા વેપારીઓ ભાવનગરમાં પરત આવીને મોટી રોજગારી ઊભી કરવા માંગે છે અને પોતાના કારખાનાઓ સ્થાપવા માગે છે.પરંતુ આ બધું તો શક્ય બને જો ભાવનગરમાં જેમ્સ એન્ડ જ્વેલરી પાર્ક બનાવવામાં આવે. નોંધનીય છેકે સરકાર દ્વારા ભાવનગરમાં વર્ષ 2007માં જ જેમ્સ એન્ડ જ્વેલરી પાર્ક સ્થાપાવની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ આટલા વર્ષો વિતી ગયા છતાં આ પાર્ક બનાવવા અંગે કોઈ પગંલા લેવામાં આવ્યા નથી.

પાર્ક બને તો એક છત હેઠળ અનેક ફાયદા

જેમ્સ એન્ડ જ્વેલરી પાર્ક બને તો પાર્ક બનતા એક જ સ્થળે હીરાની ઓફીસો ઊભી થાય

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

હીરાને લગતા નાના મોટા વેપારીઓ એક જગ્યાએ વેપાર માટે મુલાકાત કરી શકે.

હીરાની અને રોકડની પણ ખૂબ જ મોટી સિક્યુરિટી ઉભી થતા ઉદ્યોગકારો તેમજ રત્નકલાકારોની ચિંતા ઓછી થાય.

અમરેલી, બોટાદ, ભાવનગરના નાના કારખાનેદારોને કાચો માલ ખરીદવામાં સરળતા રહે.

આ રત્ન કલાકારો સુરત મુંબઈ જતા હોય છે તેમના સમય અને નાણાંની પણ બચત થાય.

જો ભાવનગરમાં નવાં કારખાનાં ઊભાં થાય તો આસપાસના નાના ગામડાઓમાં અને તાલુકાઓમાં પણ રત્નકલાકારોને ખૂબ જ મોટી સંખ્યામાં રોજગારી મળવાની પૂરી શક્યતાઓ રહેલી છે

કોંગ્રેસે કર્યા આક્ષેપ

કોંગ્રેસનો આક્ષેપ છે કે ભાવનગરમાં હીરા ઉદ્યોગના વિકાસ માટે 2007થી સરકારે મોટા દાવા કર્યા છે. અને જહાંગીર મિલની જગ્યામાં જેમ્સ એન્ડ જ્વેલરી પાર્કની જાહેરાત થયાને પણ 15 વર્ષ થઈ ગયા, પરંતુ ભાવનગરવાસીઓનું સ્વપ્ન હજી સાકાર થયું નથી.

ડાયમંડ એસોસિયેશનને  ચૂંટણી  પહેલા કામ થવાની આશા

તો પ્રમુખ ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે ભાવનગરવાસીઓ વર્ષોથી ડાયમંડ ક્ષેત્રે કોઈ મોટી તક સર્જાય તેની રાહ જોઈ રહ્યાં છે.આ મુદ્દે સ્થાનિક હીરા એસોસિએશન, ડાયમંડ કારીગર એસોસિએશન સહિત ઉદ્યોગકારોએ વારંવાર રજૂઆત કરી ચૂક્યા છે ત્યારે હવે હવે ચૂંટણીઓ નજીક છે ત્યારે નેતાઓ આપેલા વચન પાળશે તેવી હીરા ઉદ્યોગને આશા છે.

Latest News Updates

દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
g clip-path="url(#clip0_868_265)">