Bhavnagar : નિષ્કલંક મહાદેવ મંદિરે ભાદરવી અમાસ નિમિત્તે ભાવિકોનું ઘોડાપૂર ઉમટ્યુ

ભાવનગર (Bhavnagar)જિલ્લાના કોળીયાક ખાતે સમુદ્રમાં બિરાજમાન શિવજીના દર્શન અને સમુદ્ર માં સ્નાન થી લોકોના ભવોભવના પાપો ધોવાઈ અને નિષ્કલંક થાય છે. તેમાંય ખાસ કરીને ભાદરવી અમાસના દિવસે અહીંયા સમુદ્રના સ્નાનનો અનેરો મહેમાન રહેલો છે

Bhavnagar : નિષ્કલંક મહાદેવ મંદિરે ભાદરવી અમાસ નિમિત્તે ભાવિકોનું ઘોડાપૂર ઉમટ્યુ
Bhavnagar Niskalank Mandir
Follow Us:
Ajit Gadhavi
| Edited By: | Updated on: Aug 27, 2022 | 4:19 PM

ગુજરાતમાં ભાવનગર (Bhavnagar)જિલ્લાના કોળીયાક ખાતે આવેલા નિષ્કલંક મહાદેવ((Nishkalank Mahadev) મંદિરે આજે ભાદરવી અમાસ નિમિત્તે ભાવિકોનું ઘોડાપૂર ઉમટયું છે. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગઈકાલ રાત્રેથી જ કોળીયાક ખાતે આવી પહોંચ્યા. તંત્ર દ્વારા પણ તમામ પ્રકારની તૈયારીઓ કરી લેવાઇ હતી, બે વર્ષ ના વિરામબાદ આ વર્ષે આ મેળા નું ભવ્ય આયોજન કરવામાં આવેલ અને લોકોએ મેળાની મોજ માણેલ, ભાવનગર જીલ્લાના કોળીયાકના દરિયાકિનારે સમુદ્ર માં સ્થાપિત પાંચ શિવલિંગ નિષ્કલંક મહાદેવ તારીખે જાણીતા છે, અહીના સમુદ્રમાં લગભગ એક કિલોમીટર દુર ભગવાન નિષ્કલંક મહાદેવ બિરાજે છે, સમુદ્રમાં ઓટ આવ્યા બાદ સમુદ્રના પાણી ઉતર્યા બાદ અહી મહાદેવના દર્શન માટે જઈ શકાય છે, ક્યાય ના હોય તેવું અલૌકિક દ્રશ્ય અહી જોવા મળે છે. સમુદ્રમાં ભરતી આવતા જ શિવલિંગ સમુદ્રના પાણીમાં અલોપ થઇ જાય છે અને સમુદ્રના પાણી ઉતરતા ફરી શિવજી ભક્તોને દર્શન આપે છે, અહી તિથી મુજબ દરિયાના પાણીમાં ભરતી ઓટ આવતી હોય તે મુજબ દર્શન થઇ શકે છે.

સમુદ્ર માં સ્નાનથી લોકોના ભવોભવના પાપો ધોવાઈ અને નિષ્કલંક થાય છે

અહી સમુદ્રમાં બિરાજમાન શિવજીના દર્શન અને સમુદ્ર માં સ્નાન થી લોકોના ભવોભવના પાપો ધોવાઈ અને નિષ્કલંક થાય છે, તેમાંય ખાસ કરીને ભાદરવી અમાસના દિવસે અહીંયા સમુદ્રના સ્નાનનો અનેરો મહેમાન રહેલો છે ત્યારે આજે ભાદરવી અમાસ નિમિત્તે સમગ્ર દેશભર માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ નિષ્કલંકના દરિયા કિનારે ઉમટી પડ્યા હતા. નિષ્કલંક મહાદેવ નો ઈતિહાસ જોઈએ તો પાંડવો મહાભારતના યુધ્દ બાદ સો કૌરવો, લાખો સૈનિકો અને વગેરેના મૃત્યુ નું પાપ લાગ્યું હોય અને તે કલંક ધોવા માટે તેમને તેમના ગુરુ દ્વારા સમુદ્ર કિનારે જઈ શિવજીની સ્થાપના કરી અને પૂજા કરવા ની સલાહ આપતા પાંડવો સમુદ્ર કિનારે કિનારે સોમનાથ પહોચ્યા ત્યાંથી પ્રચીમાં ભગવાન કૃષ્ણને મળ્યા ભગવાને તેમને કાળી નાવડી, કાળી ધજા, કાળી ગાય અને કડવી તુંબડી લ્યો અને સમુદ્ર કિનારે કિનારે જાવ અને જ્યાં કાળી ધજા સફેદ થઈ જાય,કડવી તુંબડી મીઠી થઇ જાય તે જગ્યા પર તમે શિવલીંગ સ્થાપિત કરી પૂજા કરજો જ્યાં તમારા તમામ પાપો દુર થઇ જશે અને તમે બધા નિષ્કલંક બની જશો.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

દરિયાની ભરતીના પાણી ઉતરયા પછી અહી દર્શન કરવા જઈ શકાય છે

આથી આ જગ્યા પર આવતા અહી ધજા સફેદ થઇ જતા પાંચેય પાંડવોએ એક પછી એક એમ પાચ શિવલિંગની સ્થાપના કરી, દ્રોપદીએ ભવાની માતાજીની સ્થાપના કરી અને માતા કુંતાએ સ્થંભ ની સ્થાપના કરી અને તેમની પૂજા કરી અને અને સમુદ્રમાં સ્નાન કરતા તમામ ના પાપો ધોવાયા અને તમામ નિષ્કલંક થયા આથી આ સ્થળ આજે આજે નિષ્કલંક મહાદેવ તરીકે ઓળખાય છે. પહેલા આ જગ્યા દરિયાના કિનારે હોવાનું મનાતું હતું આજે એક કિમી જેટલો દરિયો વધી જવાથી તે દરિયાની વચ્ચે આવી ગયું છે. દરિયાની ભરતીના પાણી ઉતરયા પછી અહી દર્શન કરવા જઈ શકાય છે.અને દરિયામાં પૂરી ભરતી આવે ત્યારે શિવલિંગ પાસે આવેલ સ્તંભ પર લગાવેલ ધજા સુધી પાણી આવી જાય છે પૂરો સ્તંભ પાણી માં ગરકાવ થઇ જાય છે..

Latest News Updates

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
g clip-path="url(#clip0_868_265)">