Bhavnagar : ઉનાળામાં મનપા સંચાલિત સ્વિમિંગપુલો 11 દિવસ બંધ રહેશે, તરવૈયાઓમાં નારાજગી

ઉનાળામાં 11 દિવસ સુધી બંધ રહેવાનું હોવાથી તરવૈયાઓમાં કચવાટ ઉભો થયો છે. સામાન્ય રીતે શિયાળા અને ચોમાસા દરમિયાન સ્વિમિંગપુલમાં ખૂબ જ ઓછા તરવૈયાઓ આવતા હોય છે.

Bhavnagar : ઉનાળામાં મનપા સંચાલિત સ્વિમિંગપુલો 11 દિવસ બંધ રહેશે, તરવૈયાઓમાં નારાજગી
Bhavnagar: Manpa-run swimming pools will be closed for 11 days in summer, swimmers angry
Follow Us:
Ajit Gadhavi
| Edited By: | Updated on: Apr 01, 2022 | 2:26 PM

Bhavnagar : સરકારી તંત્રમાં ખરા સમયે જ રીપેરીંગ કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે. તેથી લોકોમાં રોષ ફેલાતો હોય છે. આવું જ ભાવનગર મહાનગરપાલિકાના (Corporation) ગાર્ડન વિભાગમાં જોવા મળી રહ્યું છે. ભાવનગર મહાનગરપાલિકાના ગાર્ડન વિભાગને ઉનાળાના દિવસોમાં જ સ્વિમિંગ પૂલ (Swimming pool)રિપેરિંગની કામગીરી કરવાનું સૂઝ્યું છે. તેથી આગામી એપ્રિલ માસમાં દસ દિવસ સ્વિમિંગ પુલ બંધ રહેશે, જેને લઈને તરવૈયામાં કચવાટ ઉભો થયો છે. જોકે આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને પૂછતાં તેમણે જણાવેલ કે અમે તાત્કાલિક ધોરણે ગાર્ડન વિભાગને સૂચના આપીએ છીએ. અને દસ દિવસ સ્વિમિંગ પૂલ બંધ ના રહે તેવી વ્યવસ્થા કરીશું.

ભાવનગર મહાનગરપાલિકાના ગાર્ડન વિભાગ હેઠળના નિલમબાગ તથા સરદાર નગર સ્વિમિંગ પુલમાં આગામી તારીખ 1 થી 10 એપ્રિલ 2022 દરમિયાન રૂટિન મેન્ટનેસ તથા રીપેરીંગ કામ કરવામાં આવશે. તેથી બંને સ્વિમિંગ પૂલ બંધ રહેશે આગામી તારીખ 11 એપ્રિલે પણ બંધ રહેશે, તેથી આગામી તારીખ 12 એપ્રિલથી સ્વિમિંગ પૂલ રાબેતા મુજબ શરૂ થઈ જશે. જેની દરેક સભ્યોને નોંધ લેવા ગાર્ડન સુપ્રિટેન્ડેન્ટ જણાવેલ છે. દસ દિવસ રિપેરિંગ કામગીરી અને એક દિવસ રજા મળી કુલ 11 દિવસ સુધી બંને સ્વિમિંગ પુલો બંધ રહેવાના છે. ઉનાળાના દિવસોમાં સ્વિમિંગ પૂલમાં વધુ તરવૈયાઓ આવતા હોય છે. પરંતુ ઉનાળાના દિવસોમાં ગાર્ડન વિભાગને રિપેરિંગ કામગીરી યાદ આવી છે.

ઉનાળામાં 11 દિવસ સુધી બંધ રહેવાનું હોવાથી તરવૈયાઓમાં કચવાટ ઉભો થયો છે. સામાન્ય રીતે શિયાળા અને ચોમાસા દરમિયાન સ્વિમિંગપુલમાં ખૂબ જ ઓછા તરવૈયાઓ આવતા હોય છે. ત્યારે રિપેરિંગ કામગીરી હાથ ધરવામાં આવે તો તરવૈયાઓને મુશ્કેલી ના પડે તેવુ જાણકારોમાં ચર્ચાઇ રહ્યું છે. ઉનાળાના દિવસોમાં શાળા કોલેજના વેકેશન પડતાં સ્વિમિંગ શીખવા ઘણા વિદ્યાર્થીઓ આવતા હોય, પરંતુ આવા સમયે સ્વિમિંગ પૂલ બંધ કરવામાં આવતા તરવૈયાઓમાં નારાજગી ફેલાઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. અને છેલ્લા બે વર્ષથી કોરોનાને લીધે સ્વિમિંગ પુલો બંધ હતા. અને હાલમાં આ વર્ષે જ્યારે સ્વિમિંગ પુલ શરૂ થયો અને ઉનાળાની શરૂઆત છે.

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

ત્યારે મેન્ટેનન્સના નામે 11 દિવસ સુધી બંધ રાખવાની વાત થતાંની જાહેરાત થતાં તરવૈયાઓ નારાજ જોવા મળે છે. જોકે આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને પૂછતાં તેમણે જણાવેલ કે ગાર્ડન વિભાગને સુચના આપેલ છે. બે દિવસથી ત્રણ દિવસમાં મેન્ટેન કરી રાબેતા મુજબ સ્વિમિંગપુલ શરૂ રહેશે. હવે જોવાનું એ રહેશે કે સૂચનાનું પાલન થાય છે કે ગાર્ડન વિભાગ પોતાનું ધાર્યું કરે છે.

આ પણ વાંચો : Gujarat Election 2022: પાટીલનું મિશન સૌરાષ્ટ્ર ! મહિનામાં ત્રીજી વખત આવશે રાજકોટમાં, ક્ષત્રિય સમાજના કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત.

આ પણ વાંચો : ગુજરાતમાં કાળઝાળ ગરમીનો અનુભવ, મોટા ભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર ,અમદાવાદ અને ડીસામાં 43 ડિગ્રીને પાર પહોંચવાની શક્યતા

Latest News Updates

બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
g clip-path="url(#clip0_868_265)">